Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅયોધ્યા: રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખનું એલાન, આ તારીખે ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે...

    અયોધ્યા: રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખનું એલાન, આ તારીખે ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે ભગવાન: રામનવમીના દિવસે સૂર્યકિરણોથી કરાશે અભિષેક

    જાન્યુઆરીમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોઈ ઓક્ટોબર, 2023 સુધીમાં ગર્ભગૃહનું નિર્માણકાર્ય પૂર્ણ કરી દેવામાં આવશે.

    - Advertisement -

    અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય મંદિરમાં ભગવાન રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 24 જાન્યુઆરી 2024ના રોજ કરવામાં આવશે. આ માટે ગર્ભગૃહનું નિર્માણકાર્ય આગામી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી લેવાનું લક્ષ્યાંક છે. શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને ટાંકીને મીડિયા અહેવાલોમાં આ જાણકારી આપવામાં આવી છે. 

    ચંપત રાયે જણાવ્યું હતું કે, ભગવાન રામલલાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા માટે અનેક તિથિઓ અંગે વિચારણા કરવામાં આવી. આખરે રામલલાને ગર્ભગૃહમાં સ્થાયીરૂપે પ્રતિષ્ઠિત કરવા માટે 22 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે. યોગી સરકારના મંત્રી સુરેશ ખન્નાએ પણ આ બાબતની જાણકારી આપતું એક ટ્વિટ કર્યું હતું. 

    જાન્યુઆરીમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોઈ ઓક્ટોબર, 2023 સુધીમાં ગર્ભગૃહનું નિર્માણકાર્ય પૂર્ણ કરી દેવામાં આવશે. રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, નેપાળથી લાવવામાં આવેલી શાલિગ્રામ શિલામાંથી ભગવાન રામની મૂર્તિ બનાવવાનું કાર્ય પણ ત્યાં સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. 

    - Advertisement -

    ભગવાન રામના આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે તેવી શક્યતા છે. હાલ મંદિરનું નિર્માણકાર્ય 60 ટકા જેટલું પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને બાકીનું કામ પુરજોશથી ચાલી રહ્યું છે. 

    સૂર્યના કિરણોથી રામલલાનો અભિષેક કરવામાં આવશે 

    જાન્યુઆરીમાં રામલલાને ગર્ભગૃહમાં બિરાજમાન કરવામાં આવ્યા બાદ રામનવમીના દિવસે રામલલાની પ્રતિમા પર સૂર્ય કિરણોનો અભિષેક થશે. ગર્ભગૃહમાં પ્રતિમા એ જ પ્રમાણે સ્થાપિત કરવામાં આવશે જેથી સૂર્યકિરણો સીધા ભગવાનના મસ્તિષ્ક પર પડે. રામનવમીના દિવસે 5 મિનિટ સુધી ભગવાનના લલાટ પર સૂર્યકિરણો રહેશે. આ માટે વૈજ્ઞાનિકોએ તેમનું કામ પૂર્ણ કરી લીધું છે અને પ્રયોગ સફળ પણ થઇ ચૂક્યો છે. સ્વયં પીએમ મોદી આ બાબતની દેખરેખ રાખી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. 

    સોનાના આસાન પર બિરાજમાન થશે ભગવાન

    ગર્ભગૃહમાં રામલલા જ્યાં બિરાજમાન થશે તે આસાન સંપૂર્ણ સોનાનું બનાવવામાં આવશે. ઉપરાંત, હાલ ભગવાન રામલલાની મૂર્તિ ઘણી નાની છે. જેના કારણે મોટા અને ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં ભગવાન બિરાજમાન થયા બાદ શ્રદ્ધાળુઓ બરાબર દર્શન કરી શકે તે માટે તેની મોટી પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવશે, જે અઢીથી ત્રણ ફિટ ઊંચી હોય શકે છે. આ માટે દેશભરના મોટા મૂર્તિકારોનો સંપર્ક કરવામાં આવ્યો છે. 

    મંદિરના પહેલા તબકનું કામ ડિસેમ્બર 2023 સુધીમાં, બીજા તબક્કાનું કામ ડિસેમ્બર 2024 સુધીમાં અને ત્રીજા તબક્કાનું કામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થશે. મંદિરના નિર્માણ કાર્ય માટે 1,800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનું અનુમાન છે. સામે 9 હજાર કરોડ રૂપિયાનું દાન પહેલેથી આવી ગયું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં