Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'અબ્દુલ પંચર બનાવે છે...': ગુજરાતનાં માંગરોળમાં એક જનસભાને સંબોધિત કરતાં AIMIM અધ્યક્ષ...

    ‘અબ્દુલ પંચર બનાવે છે…’: ગુજરાતનાં માંગરોળમાં એક જનસભાને સંબોધિત કરતાં AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ 6 વખત બોલ્યા કે

    ગુજરાતની સાથે ઓવૈસીની નજર રાજસ્થાનની મુસ્લિમ વોટ બેંક પર પણ છે.

    - Advertisement -

    ગઇકાલે ગુજરાતનાં માગરોળ ખાતે ઓલ ઈન્ડિયા મજલીસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની એક જનસભામાં યોજાઇ હતી. જેમાં ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધન દરમિયાન ઓવૈસી ‘અબ્દુલ પંચર બનાવે છે’ એ શબ્દોનો ઉપયોગ 6 વાર કર્યો હતો.

    AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પોતાના ટ્વિટર પ્રોફાઇલ પર માંગરોળની આ સભાનો 2 મિનિટ અને 18 સેકંડનો એક વિડીયો શેર કરતાં લખ્યું છે કે, “અબ્દુલ અત્યાર સુધી પંચર બનાવતો હતો તો હવે અબ્દુલનો દીકરો અબુલ કલામ જેવો વિજ્ઞાની બનશે, ઇન્શાઅલ્લાહ.” ઓવેસીની પાર્ટી AIMIMના ઓફિસિયલ હેન્ડલ પરથી પણ આ જ વિડીયો શેર કરેલો જોવા મળ્યો હતો.

    સવા બે મિનિટના આ વિડિયોમાં ઓવૈસી અબ્દુલને 6 વાર પંચર બનાવવાવાળો કહે છે. અહી અબ્દુલ એ સમગ્ર મુસ્લિમ સમાજ માટે વપરાતો શબ્દ હોય એમ દેખાઈ આવી રહ્યું છે. અહી ઉલ્લેખનીય છે કે આડકતરી રીતે ઓવૈસી પણ સ્વીકારે છે કે મોટાભાગનો મુસ્લિમ સમાજ અભ્યાસ અને ભણતરમાં એટલો પાછળ છે કે આખરે તેઓ ટાયર પંચરની દુકાન જ ખોલતા હોય છે.

    - Advertisement -

    પોતાના સંબોધનમાં ઓવૈસી આગળ કહે છે કે ભલે અબ્દુલ પંચર બનાવતો હોય પણ એનો દીકરો હવે અબ્દુલ કલામ જ બનશે. પરંતુ તેનો આ દાવો પણ નિરર્થક સાબિત થાય છે કેમ કે અબ્દુલ કલામ બનવા માટે વિજ્ઞાનને જાણવું, સમજવું અને માનવું પડે છે. પરતું મોટા ભાગના અબ્દુલના (મુસ્લિમોના) બાળકો મદરેસામાં ભણતા હોય છે, જેમાં મોટા ભાગે તેમના ધાર્મિક પુસ્તકનું જ જ્ઞાન મળતું હોય છે વિજ્ઞાનનુ નહીં.

    આ પછી ઓવૈસીએ કહ્યું, “હવે અમે તેમને કહીશું કે અબ્દુલ અત્યાર સુધી પંચર બનાવતા હતા, પરંતુ અબ્દુલનો પુત્ર એપીજે અબ્દુલ કલામ જેવો વૈજ્ઞાનિક બનશે. ઇન્શા-અલ્લાહ!” તેણે કહ્યું કે અબ્દુલનો દીકરો પંચર નહીં બનાવશે, પરંતુ સાયકલની સંપૂર્ણ ફેક્ટરી ખોલશે. AIMIMના વડાએ કહ્યું કે આ તેમનું સપનું છે, તેમનો પ્રયાસ છે કે તેમના પુત્રો જે ગઈકાલ સુધી પંચર બનાવતા હતા તેમના માટે પંચર ન બને. તેમણે કહ્યું કે ચૂંટણી લડો અને જીતો, જેથી કોઈ અબ્દુલ પંચર ન કરે.

    તેણે કહ્યું કે અબ્દુલે પંચર બનાવ્યું છે, પરંતુ હવે કોઈ અબ્દુલનો દીકરો રસ્તા પર નહીં બેસે. તેણે કહ્યું કે અબ્દુલ ફળો વેચતો હતો, પણ તેનો દીકરો આમ કરતો નથી. મુસ્લિમ પરિવારોને સપના જોવાની અપીલ કરતા તેમણે કહ્યું કે તેઓ સપના જોશે, તો જ તે પૂરા થશે. ઓવૈસીએ આરોપ લગાવ્યો કે આ ‘બદમાશ લોકો’ હંમેશા કહે છે કે તમને સપના જોવાની છૂટ નથી, પરંતુ તમે સપના જોવાનું શરૂ કરો અને અમે સાથે મળીને તે સપનાઓને પૂરા કરીશું.

    લોકોને અલ્લાહમાં શ્રદ્ધા રાખવાની સલાહ આપતાં તેમણે કહ્યું કે ક્યાં સુધી આપણે અન્યાયનું જીવન જીવીશું અને અત્યાચારનો ભોગ બનીશું, ક્યાં સુધી ડર અને ડરમાં જીવીશું- એટલા માટે જ હું આ પ્રવાસે આવ્યો છું,કારણ કે AIMIM ગુજરાતમાં મજબૂત હશે તો જ આ મુદ્દાઓ ઉકેલી શકીશું. તમને જણાવી દઈએ કે ગુજરાતની સાથે ઓવૈસીની નજર રાજસ્થાનની મુસ્લિમ વોટ બેંક પર પણ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં