Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટAAPના મુસ્લિમ નેતાઓએ જયપુરમાં AAPના પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન હવન અને હિન્દુ વિધિ...

    AAPના મુસ્લિમ નેતાઓએ જયપુરમાં AAPના પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન હવન અને હિન્દુ વિધિ વડે કરાયું એનો વિરોધ કર્યો

    આમ આદમી પાર્ટીના રાજસ્થાન મુખ્યાલયના ઉદ્ઘાટન સમયે હિંદુ ધાર્મિક વિધિ કરવામાં આવતા આમ આદમી પાર્ટીના મુસ્લિમ સભ્યોએ પોતાના પક્ષ વિરુદ્ધ જ વિરોધનો સૂર બુલંદ કર્યો છે.

    - Advertisement -

    રાજસ્થાનમાં આગામી વર્ષે યોજાનારી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવી સ્થિતિમાં, ગુરુવાર 5 મે 2022 ના રોજ જયપુરમાં રાજ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જો કે, પાર્ટી પહેલેથી જ તેના મુસ્લિમ કાર્યકરોના આક્રોશનો સામનો કરી રહી છે, કારણ કે રાજ્યના મુખ્ય AAP કાર્યાલયનું ઉદ્ઘાટન થયું એ દરમિયાન હિન્દુ ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. AAP સાથે જોડાયેલા કેટલાક મુસ્લિમ કાર્યકરો પાર્ટીના પગલાની ટીકા કરવા આગળ આવ્યા હતા.

    ETV ભારતના અહેવાલ મુજબ, આમ આદમી પાર્ટીએ ગુરુવારે જયપુરમાં તેના રાજ્ય મુખ્યાલયની ઇમારતનું ઉદ્ઘાટન કર્યું. AAP કાર્યાલયનું ઉદ્ઘાટન હવન, રામાયણના સુંદરકાંડનું પઠન અને હિંદુ ભક્તિ ગીતો ગાવા સહિતની સંપૂર્ણ હિંદુ ધાર્મિક વિધિઓ દ્વારા થયું હતું. આ ધાર્મિક વિધિઓ લગભગ ચાર કલાક સુધી ચાલી હતી. તેમાં રાજ્યના ચૂંટણી પ્રભારી અને ધારાસભ્ય વિનય મિશ્રા સહિત આમ આદમી પાર્ટીના ઘણાં કાર્યકરો અને નેતાઓએ હાજરી આપી હતી.

    કાર્યક્રમમાં સુંદરકાંડ (ફોટો : ટ્વિટર દુષ્યંત યાદવ)

    ધાર્મિક વિધિનો સમગ્ર કાર્યક્રમ હિંદુ રીતિ-રિવાજ મુજબ થયો હતો. જો કે તેને આમ આદમી પાર્ટીની સોફ્ટ હિંદુત્વ પહેલ તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ તેના જ કાર્યકર્તાઓએ તેનો વિરોધ કર્યો હતો. પાર્ટી સાથે જોડાયેલા કેટલાક મુસ્લિમ કાર્યકરોએ પાર્ટીના પગલાની ટીકા કરતા મીડિયાની સામે ઘણા સવાલો ઉઠાવ્યા હતા.

    - Advertisement -

    મુસ્લિમ કાર્યકરોએ એવો પણ સવાલ કર્યો હતો કે રાજસ્થાનમાં AAPના મુખ્ય કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન માત્ર હિંદુ ધાર્મિક વિધિઓ જ શા માટે કરવામાં આવે છે અને ઇસ્લામિક ધાર્મિક વિધિઓ શા માટે કરવામાં આવતી નથી.

    AAP કાર્યકર રાશિદ હસને કહ્યું, “બંધારણ કહે છે કે તમામ ધર્મો સમાન છે. દરેક ધર્મને સમાન સન્માન મળે છે. તો પછી ‘દીન’ (ઈસ્લામ)ને સમાન સન્માન કેમ ન અપાયું? આ પહેલો પ્રશ્ન છે. બીજું, આ એક ઓફિસ ફંક્શન હતું. આ કોઈ ધાર્મિક કાર્ય ન હતું. કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમને ધાર્મિક કાર્યક્રમમાં ફેરવવામાં આવ્યો હતો. જો તમે તેને ધાર્મિક કાર્યક્રમ બનાવવા માટે ધર્મોને આમંત્રિત કરો છો, તો અમે ત્યાં પહોંચનારા પ્રથમ વ્યક્તિ હોઈશું. અમને કોઈના ધર્મથી કોઈ વાંધો નથી. પરંતુ અન્યની અવગણના સહનશીલતાની બહાર છે. તે સ્વીકારવામાં આવતું નથી. ”

    AAPના અન્ય સભ્ય હાજી મુબારક અલીએ કહ્યું, “અમે તે ધાર્મિક વિધિઓમાં ખલેલ પહોંચાડી નથી. ગઈકાલે અમારી મીટિંગ હતી. લોકોએ અમારામાંથી ચારને પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા. આ બાબતે પક્ષના જૂથોમાં ચર્ચા ચાલી રહી છે. તે બધાને રૂબરૂમાં તેમજ ટેલિફોન પર પણ જણાવવામાં આવે છે કે આ ગાંધીવાદી માર્ગ નથી, આ આંબેડકરવાદી માર્ગ પણ નથી. તેમજ આ બંધારણીય માર્ગ નથી. આ એક રાજકીય પક્ષ છે. આ કોઈ રાજકીય પક્ષનો ધર્મ નથી.”

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમે ભૂતકાળમાં અમારી ઓફિસનું ઉદ્ઘાટન એક રિક્ષા ચાલકના હાથે કર્યું છે. આ પક્ષની શરૂઆતથી જ અમે તેના સભ્ય છીએ અને જ્યાં સુધી અમને હાંકી કાઢવામાં ન આવે ત્યાં સુધી અમે સભ્ય રહીશું. શક્ય છે કે જો આપણે અવાજ ઉઠાવીએ તો આપણને હાંકી કાઢવામાં આવે અને આપણા અવાજને કચડી નાખવામાં આવે. પરંતુ અમે બધા તેના માટે પણ તૈયાર છીએ. હું AAPના જયપુર યુનિટનો જનરલ સેક્રેટરી રહ્યો છું.

    જયપુર આપ કાર્યાલય (ફોટો : ટ્વિટર દિષ્યંત યાદવ)

    જ્યારે AAPના રાજ્ય ચૂંટણી પ્રભારી અને ધારાસભ્ય વિનય મિશ્રાને આ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું, “આપણે તેને ધાર્મિક દૃષ્ટિથી ન જોઈએ. આજે અમે ઓફિસનું ઉદ્ઘાટન કર્યું. જ્યારે પણ આપણે કોઈ વસ્તુનું ઉદ્ઘાટન કરીએ છીએ, ત્યારે આપણે તે સ્થાપિત પરંપરાઓ અને પૂજા વગેરે દ્વારા કરીએ છીએ, તેથી અમે તે રીતે કર્યું છે. અમે સુંદરકાંડનો પાઠ કર્યો કારણ કે અમે આમ આદમી પાર્ટીના સભ્યો ભગવાન હનુમાનના ભક્ત છીએ. દરેક જગ્યાએ આપણે ભગવાન હનુમાન અને તેમના આશીર્વાદ સાથે લઈ જઈએ છીએ. આપણું કોઈપણ કાર્ય તેના વિના સફળ થતું નથી. તેથી અમે આજે સુંદરકાંડનો પાઠ કર્યો. અમે શુદ્ધિકરણ માટે પૂજા કરી છે. આ ઉપરાંત, અમે અજમેર દરગાહમાં ચાદર ચઢાવી છે અને ગુરુદ્વારામાં લાડુનું વિતરણ પણ કર્યું છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં