Friday, May 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટAAP નેતા યુવરાજસિંહ જાડેજા બાદ હવે તેમના સાળા કાનભા ગોહિલની સુરતથી કરાઈ...

    AAP નેતા યુવરાજસિંહ જાડેજા બાદ હવે તેમના સાળા કાનભા ગોહિલની સુરતથી કરાઈ ધરપકડ: સાગીરાતો સાથે મળીને ડમી ઉમેદવારકાંડમાં નામ જાહેર ન કરવા માંગી હતી 1 કરોડની ખંડણી

    ગઈકાલે લાંબી પૂછપરછ બાદ AAP નેતા યુવરાજસિંહની ધરપકડ કરવામાં છે. યુવરાજ પર આરોપ છે કે, તેણે ડમીકાંડમાં નામ જાહેર ન કરવા માટે બે લોકો પાસેથી 1 કરોડ રુપિયા લીધા હતા.

    - Advertisement -

    ગઈ કાલે મોડી રાતે AAP નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આજે સુરતથી યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની પોલીસે ધરપકડ કરી હતી. કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવવાનો આરોપ છે. અહેવાલો છે કે યુવરાજસિંહને રિમાન્ડ મેળવવા માટે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    અહેવાલો અનુસાર 3 એપ્રિલે વિક્ટોરિયા બિલ્ડિંગના પાર્કિંગમાં ઘનશ્યામે કાનભાને 17 લાખ રૂપિયા ભરેલી બેગ આપી હતી. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆરમાં કાનભા ત્રીજા નંબરનો આરોપી છે. કાનભા મૂળ ઘોઘા તાલુકાના ભીકડા ગામનો રહેવાસી છે. સુરત પીસીબીની મદદથી ભાવનગર એસઓજીએ કાનભાને ઝડપી પાડ્યો હતો.

    નોંધનીય છે છે મોદી રાતે 1 વાગે અને 20 મિનિટે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવાં આવી છે. પ્રકાશ દવે પાસેથી 45 લાખ તો પ્રદિપ બારૈયા પાસેથી 55 લાખ મળી 1 કરોડ વસૂલ્યાની ફરિયાદ નોંધાઇ છે. યુવરાજ સિંહ વિરૂદ્ધ કલમ 388,386 અને 120b હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. હાલમાં યુવરાજસિંહ જાડેજા, કાનભા ગોહિલ, શિવુભા ગોહિલ, ઘનશ્યામ લાધવા અને  રાજુ નામ ધરાવતી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે.

    - Advertisement -

    પોલીસે શું કહ્યું?

    ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 19મી તારીખે યુવરાજસિંહને સમન્સ પાઠવી બોલાવવામાં આવ્યા હતા. ફરીથી 21 તારીખે પણ સમન્સ આપ્યું હતું અને  ઘણા મુદ્દાઓ પર પૂછપરછ કરવામાં આવી હતી. સૌથી પહેલા યુવરાજસિંહને સમય આપવામાં આવ્યો હતો કે, તે જે માહિતી હોય તે પોલીસને આપે. 2 કાગળમાં કેટલાક નામ લખી યુવરાજસિંહે પોલીસને આપ્યા છે. આ બાબતે પોલીસ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે.

    યુવરાજસિંહ જાડેજાની ધરપકડ
    પોલીસે બહાર પડેલી પ્રેસનોટ

    જયારે પોલીસે યુવરાજસિંહને નાણાકીય વ્યવહાર અંગે પૂછ્યું ત્યારે તેમણે યુવરાજસિંહ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. પોલીસ પાસે જે હકીકત હતી તે તેમને આપી. યુવરાજસિંહ અને તેમના માણસોએ પ્રકાશ દવે અને પ્રદીપ બારૈયા પાસેથી  રૂ. 1 કરોડ જબરદસ્તીથી કઢાવ્યા.

    SITની રચના અને એક પછી એક ધરપકડો

    ભાવનગર પોલીસે નોંધેલી વ્યાપક ડમીકાંડની ફરિયાદ અંગે પોલીસે વધુ 6 લોકોની અટકાયત કરી છે. સમગ્ર બાબતની તપાસ માટે ભાવનગર એસપીએ ડીવાયએસપી આર આર સિંઘાલની અધ્યક્ષતામાં SITની રચના કરી છે. પોલીસે પકડેલા લોકોમાં ડમી વિદ્યાર્થી, એજન્ટ , પુરાવાઓ સાથે ચેડાં કરનાર લોકોનો સમાવેશ થાય છે.

    કેસની તપાસ આગળ વધે છે તેમ અનેક નવા નામ ખુલતા જાય છે અને પોલીસ તેમની તપાસ કરી રહી છે.  તટસ્થતાથી તપાસ કરવા ગૃહમંત્રાલયે ભાવનગર એસપીને છુટ્ટો દોર પણ આપ્યો છે. પરિણામે આ બનાવમાં આરોપીઓની સંખ્યા હજુ પણ વધી શકે છે. ડમી કૌભાંડમાં ફરિયાદ સિવાયના નવા ચાર આરોપીઓ પકડાયા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં