Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘આપ’નાં મહિલા નેતાને સાત વર્ષની જેલ : ભીડને ઉશ્કેરીને તોફાનો કરાવ્યા હતાં,...

    ‘આપ’નાં મહિલા નેતાને સાત વર્ષની જેલ : ભીડને ઉશ્કેરીને તોફાનો કરાવ્યા હતાં, મનિષ સિસોદિયાના સલાહકાર રહી ચૂક્યાં છે

    નિશા સિંહ દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદિયાનાં નજીકનાં ગણાય છે અને ભૂતકાળમાં તેઓ સિસોદિયાના સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યાં છે.

    - Advertisement -

    હરિયાણાના ગુરુગ્રામમાં શહેરી આવાસ પ્રાધિકરણની એક ટીમ પર પથ્થરમારો અને તોફાનો કરવાના કેસમાં આમ આદમી પાર્ટીનાં નેતા અને પૂર્વ સ્થાનિક કોર્પોરેટર નિશા સિંહ સહિત 10 મહિલાઓને કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે. આ ઘટનામાં સામેલ અન્ય સાત ગુનેગારોને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ઉપરાંત કોર્ટે ગુનેગારોને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

    એડિશનલ સેશન જજ મોના સિંહની કોર્ટે ગુરુવારે (28 એપ્રિલ 2022) આ સજા પરનો નિર્ણય સંભળાવ્યો હતો. પોલીસ રેકોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે 15 મે 2015 ના દિવસે HUDA ના JE રાજપાલ સિનીયર અધિકારીઓ સાથે સેક્ટર 47માં અતિક્રમણ હટાવવાની કાર્યવાહી કરી રહ્યા હતા. આ દરમિયાન એડવોકેટ ખજાન સિંહ, પ્રદીપ જૈલદાર અને નગરનિગમની તત્કાલીન મહિલા કોર્પોરેટર નિશા સિંહે ભીડને ઉશ્કેરી હતી.

    જે બાદ ભીડે અધિકારીઓ અને તેમની ટીમ ઉપર હુમલો કરી દીધો હતો. પોલીસ ટીમો પર પેટ્રોલ બોમ્બ અને એલપીજી સિલિન્ડર ફેંકવામાં આવ્યા હતા. જે ઘટનામાં ડ્યુટી મેજિસ્ટ્રેટ અને 15 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ થાણામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

    - Advertisement -

    આ ઘટના બાદ નિશા સિંહ સહિત તમામ 19 લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેમની ઉપર તોફાનો કરવા અને હત્યાના પ્રયાસ કરવા સહિતના આરોપ લગાવવામાં આવ્યા હતા. જોકે, સબૂતના અભાવે હત્યાના પ્રયાસની કલમો હટાવી દેવામાં આવી હતી અને જે બાદ તમામ આરોપીઓ જામીન પર છૂટી ગયા હતા.

    બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે કુલ 19 લોકોને IPC ધારા 148, 149, 186, 325, 332, 333, 353, 436, 427 અને 435 હેઠળ ગુનેગાર ઠેરવ્યા હતા. જેમાંથી બે વ્યક્તિઓ ટ્રાયલ દરમિયાન જ મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત પૂર્વ કોર્પોરેટર નિશા સિંહને IPC ધારા 114 હેઠળ પણ ગુનેગાર ઠેરવવામાં આવ્યાં છે.

    આ ઉપરાંત, બુધરામ, અશોક, સોનું, ચાંદરામ, તેજપાલ, સંદીપ અને અનિલ કુમાર નામના આરોપીઓને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ પણ ગુનેગાર ઠેરવીને 10 વર્ષની જેલ અને 20 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ કોર્ટે કહ્યું હતું કે દંડ ન ભરે તો તેમણે ત્રણ વર્ષ વધુ જેલમાં રહેવું પડશે.

    નોંધનીય છે કે, નિશા સિંહે વર્ષ 2011 માં ગુરુગ્રામના વોર્ડ નંબર 30 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. જે બાદ તેઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયાં હતાં. તેઓ વર્ષ 2016 સુધી કોર્પોરેટર રહ્યાં હતાં.

    આમ આદમી પાર્ટીનાં નેતા નિશા સિંહે મુંબઈ યુનિવર્સીટીમાંથી એન્જિનિયરીંગ કર્યા બાદ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ફાયનાન્સ વિષય સાથે એમબીએ કર્યું છે. કોર્સ પૂર્ણ કર્યા બાદ તેઓ ટેક કંપની ગૂગલ સાથે જોડાયાં હતાં. જોકે, ત્યારબાદ તેમણે નોકરી છોડીને રાજકારણમાં ડગ માંડ્યા હતા.

    નિશા સિંહ દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદિયાનાં નજીકનાં ગણાય છે અને ભૂતકાળમાં તેઓ સિસોદિયાના સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં