Tuesday, April 30, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટBJPએ ફાયરબ્રાન્ડ નેતા ટી રાજા સિંઘનું સસ્પેન્શન પાછું ખેંચ્યુંઃ હૈદરાબાદથી સતત ત્રીજી...

    BJPએ ફાયરબ્રાન્ડ નેતા ટી રાજા સિંઘનું સસ્પેન્શન પાછું ખેંચ્યુંઃ હૈદરાબાદથી સતત ત્રીજી વખત મેદાનમાં ઉતાર્યા, કાર્યકરોમાં ઉજવણીનો માહોલ

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા ધારાસભ્ય રાજા સિંઘના સહયોગી અર્જુને જણાવ્યું કે ભાજપે તેમને ગોશમહલથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ વખતે પણ રાજા સિંઘને ગોશમહેલથી ટિકિટ આપવામાં આવી છે. રાજા સિંઘ આ બેઠક પરથી સતત બે વખત ધારાસભ્ય છે અને તેઓ ત્રીજી વખત આ બેઠક પરથી પોતાનો દાવો રજૂ કરશે.

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટીએ તેલંગાણા રાજ્યની ગોશામહલ વિધાનસભા બેઠક પરથી પોતાના ધારાસભ્ય ટી રાજા સિંઘનું સસ્પેન્શન પાછું ખેંચી લીધું છે. પાર્ટીની ‘કેન્દ્રીય શિસ્ત સમિતિ’ના સચિવ ઓમ પાઠકે રવિવારે (22 ઓક્ટોબર, 2023) એક સત્તાવાર પત્ર જારી કરીને આ માહિતી જાહેર કરી હતી. પત્રમાં રાજા સિંઘે પોતાને જારી કરાયેલી ‘કારણ બતાવો નોટિસ’ પર આપેલા જવાબને સંતોષકારક ગણવામાં આવ્યો છે. ધારાસભ્ય રાજા સિંઘે પણ આ નિર્ણય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે.

    ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંઘે 22 ઓક્ટોબરે તેમના એક્સ હેન્ડલ પર તેમના સસ્પેન્શનની સમાપ્તિનો પત્ર મૂક્યો હતો. આ પત્ર સાથે ધારાસભ્ય રાજા સિંઘે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સંગઠન સચિવ બીએલ સંતોષ, તેલંગાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જી કિશન રેડ્ડી, ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ કે લક્ષ્મણ, ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ સંજય કુમાર અને પી મુરલીધર રાવનો આભાર માન્યો હતો.

    આ સાથે રાજા સિંઘે ભાજપના તમામ સભ્યો અને તેમના વિધાનસભા ક્ષેત્ર ગોશામહલના લોકોનો પણ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કેપ્શનમાં ‘સંગઠન સર્વોચ્ચ અને જય ભાજપ, વિજય ભાજપ’ લખ્યું છે. જ્યારે OpIndiaએ રાજા સિંઘના નંબર પર ફોન કર્યો ત્યારે તેમના સાથી અર્જુને ફોન ઉપાડ્યો હતો. અર્જુને કહ્યું કે સસ્પેન્શન હટાવવાની ઉજવણી કરવા માટે, બીજેપી કાર્યકર્તાઓએ રાજા સિંઘના કાર્યાલયમાં ફટાકડા ફોડ્યા અને મીઠાઈઓ વહેંચી હતી.

    - Advertisement -

    ગોશામહેલથી જ લડશે ચૂંટણી

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા ધારાસભ્ય રાજા સિંઘના સહયોગી અર્જુને જણાવ્યું કે ભાજપે તેમને ગોશમહલથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ વખતે પણ રાજા સિંઘને ગોશમહેલથી ટિકિટ આપવામાં આવી છે. રાજા સિંઘ આ બેઠક પરથી સતત બે વખત ધારાસભ્ય છે અને તેઓ ત્રીજી વખત આ બેઠક પરથી પોતાનો દાવો રજૂ કરશે.

    ઓગસ્ટમાં કરાયા હતા સસ્પેન્ડ

    ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2022માં ભારતીય જનતા પાર્ટીએ તેલંગાણા રાજ્યમાંથી તેના એકમાત્ર ધારાસભ્યને સસ્પેન્ડ કરી દીધા હતા. ત્યારબાદ મુસ્લિમ સંગઠનોએ તેમના પર તેમના પ્રોફેટ મુહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો. ભારે વિરોધ વચ્ચે આ કેસમાં ભાજપના ધારાસભ્યની પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે, OpIndia સાથે વાત કરતા ટી રાજા સિંઘે જાહેરાત કરી હતી કે ધર્મના મામલે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં