Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'અમે જ કોંગ્રેસને સત્તામાં લાવ્યા અને…': કર્ણાટકમાં ઉર્દૂ એકેડેમીને મળતી ₹1 લાખની...

    ‘અમે જ કોંગ્રેસને સત્તામાં લાવ્યા અને…’: કર્ણાટકમાં ઉર્દૂ એકેડેમીને મળતી ₹1 લાખની રકમમાં વધારો ન થતા સરકારથી મુસ્લિમો નારાજ

    કોંગ્રેસને ચૂંટણી સમયે મુસ્લિમોના મતની જરૂર હોય છે, જેના માટે તેમણે ઘણો ઈમોશનલ અત્યાચાર પણ કર્યો હતો, પરંતુ ચૂંટણીમાં જીતતાની સાથે જ તે મુસ્લિમોને ભૂલી જાય છે. ઉર્દૂ એકેડમીની ખરાબ હાલતને કારણે કર્ણાટકના મુસ્લિમો કોંગ્રેસ સરકારથી ભારે નારાજ છે.

    - Advertisement -

    કર્ણાટકની કોંગ્રેસ સરકારે ઉર્દૂ એકેડમી માટે જાહેર કરેલી 1 લાખ રૂપિયાની ગ્રાન્ટની રકમમાં વધારો કરવાને બદલે તેને યથાવત રાખી, જેના કારણે સ્થાનિક મુસ્લિમો નિરાશ થયા છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસને ચૂંટણી સમયે મુસ્લિમોના મતની જરૂર હોય છે, જેના માટે તેમણે ઘણો ઈમોશનલ અત્યાચાર પણ કર્યો હતો, પરંતુ ચૂંટણીમાં જીતતાની સાથે જ તે મુસ્લિમોને ભૂલી જાય છે. ઉર્દૂ એકેડમીની ખરાબ હાલતને કારણે કર્ણાટકના મુસ્લિમો કોંગ્રેસ સરકારથી ભારે નારાજ છે.

    દરરોજ માત્ર રૂ. 274માં ચાલે છે ઉર્દૂ એકેડમી

    ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, ભૂતપૂર્વ વડા પ્રધાન વીપી સિંહના ભૂતપૂર્વ સલાહકાર સૈયદ અશરફે છેલ્લા બે વર્ષથી ખાલી પડેલી ઉર્દૂ એકેડમીના અધ્યક્ષ પદ પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે “એકેડેમીની જાળવણી માટે એક વર્ષમાં 1 લાખ રૂપિયા આપવામાં આવે છે, જે ખૂબ જ ઓછા છે. આ 1 લાખ રૂપિયાને 365 પ્રમાણે વહેંચવામાં આવે તો ઉર્દૂ અકાદમીના ખર્ચના નામે રોજના માત્ર 274 રૂપિયા જ આવે છે. આ પૈસાથી ઉર્દૂ એકેડમી કયા પુસ્તકો પ્રકાશિત કરશે અને તે કેવી રીતે સાહિત્યની સેવા કરશે?”

    અશરફે કહ્યું કે બોમ્માઈ સરકારે 1 લાખ રૂપિયાની ચૂકવણી શરૂ કરી હતી, પરંતુ મુસ્લિમ મતોના આધારે સત્તામાં આવેલી કોંગ્રેસે પણ માત્ર 1 લાખ રૂપિયા જ આપ્યા છે. ઉર્દૂ માત્ર મુસ્લિમો સાથે જ જોડાયેલું ન હતું, પરંતુ દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દર કુમાર ગુજરાલ અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી ધરમ સિંહ પણ ઉર્દૂનો ઉપયોગ કરતા હતા. તે ઉર્દૂમાં વાત કરતા હતા. પરંતુ વર્તમાન સરકાર ખૂબ જ ખોટું કરી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકાર પાસેથી આવી અપેક્ષા બિલકુલ ન હતી.

    - Advertisement -

    કોંગ્રેસના મુસ્લિમ મંત્રી પર નિશાન સાધ્યું

    અહેવાલ મુજબ સૈયદ અશરફ રાજ્યના વક્ફ અને લઘુમતી કલ્યાણ મંત્રી બીજે જમીર અહેમદ ખાનથી પણ અત્યંત નારાજ છે. તેમણે જમીરને મુસ્લિમ સમુદાય માટે બોલવામાં નિષ્ફળતા અને ઉર્દૂ એકેડમીને વધારાના ભંડોળની ફાળવણી કરવામાં નિષ્ફળતા બદલ નિશાન બનાવ્યા. તેમણે કહ્યું કે જમીર પાસે ઉર્દૂમાં પ્રમાણપત્ર છે, પરંતુ જો તે સાચા વિદ્વાન હોત તો તે આ પીડાને સમજી શક્યા હોત.

    અશરફ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મળશે

    અશરફે કહ્યું કે એક પ્રતિનિધિમંડળ આગામી એક-બે દિવસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મળશે. તેમને એક મેમોરેન્ડમ સોંપવામાં આવશે અને તેમને જણાવવામાં આવશે કે ઉર્દૂ એકેડમીની શું હાલત છે. તેની નકલ કોંગ્રેસ હાઈકમાન્ડને પણ મોકલવામાં આવશે. આ મુદ્દે સંશોધક આલમ પાશા કહે છે કે કોંગ્રેસ મુસ્લિમોના મતો માટે ખૂબ પ્રયાસ કરે છે, પરંતુ જ્યારે જરૂર પડે છે ત્યારે તે મુસ્લિમ સમુદાયની સાથે ઉભી રહેતી નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં