Saturday, July 27, 2024
More
    હોમપેજરાજકારણકોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બાદ હવે કર્ણાટક પૂર્વ સાંસદ વીએસ ઉગ્રપ્પાના બોલ બગડ્યા:...

    કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બાદ હવે કર્ણાટક પૂર્વ સાંસદ વીએસ ઉગ્રપ્પાના બોલ બગડ્યા: પીએમ મોદીને કહ્યા ‘ભસ્માસુર’

    મોદીએ તાજેતરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કહ્યું હતું કે કોંગ્રેસ અને વિપક્ષના લોકો દ્વારા તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. મોદીએ કહ્યું હતું કે તેમના પર જેટલો કાદવ ઉછાળવામાં આવશે તેટલું જ કમળ ખીલશે. એટલે કે ભાજપને જીતવાની તક મળશે.

    - Advertisement -

    પીએમ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ નિવેદન આપતી વખતે કોંગ્રેસના નેતાઓના ખરાબ શબ્દોમાં સુધારો થઈ રહ્યો નથી. તાજેતરનો મામલો કર્ણાટકના પૂર્વ કોંગ્રેસ સાંસદ વીએસ ઉગરપ્પાનો છે. ઉગ્રપ્પાએ મોદીને ભસ્માસુર ગણાવ્યા છે.

    શુક્રવારે એક નિવેદન આપતા ઉગ્રપ્પાએ કહ્યું કે “ભાજપ સરકાર બાળકોના ભવિષ્ય સાથે રમત રમી રહી છે. મેં અગાઉ પણ કહ્યું હતું કે મોદી ભસ્માસુર જેવા છે.” આમ તેઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભસ્માસુર સાથે સરખાવ્યા હતા.

    નોંધનીય છે કે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદીને રાવણ ગણાવ્યા હતા. જેનો મોદીએ જડબાતોડ જવાબ આપતા ગાંધી પરિવારને ઘેરી લીધો હતો.

    - Advertisement -

    ગુજરાત ચૂંટણી પ્રચાર માટે કલોલમાં સભા સંબોધતી વખતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું, “જે કોંગ્રેસ પાર્ટીને રામના અસ્તિત્વ પર શંકા છે, જે કોંગ્રેસ પાર્ટીને રામસેતુ પર શંકા છે. તેવી કોંગ્રેસ પાર્ટી મને ગાળો બોલવા માટે રામાયણમાંથી રાવણને લઇ આવી.”

    આ પહેલા પણ કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓ મોદી વિશે ખરાબ શબ્દો બોલતા રહ્યા છે. સોનિયા ગાંધીએ તેમને મોતના વેપારી કહ્યા હતા. રાહુલ ગાંધીએ મોદી માટે ચોકીદાર ચોર હૈનો નારો આપ્યો હતો. રાહુલે એમ પણ કહ્યું હતું કે દેશના યુવાનો મોદીને લાકડીઓથી મારશે. મણિશંકર ઐયરે મોદીને મીન કહ્યા હતા.

    આ સિવાય ટીએમસી ધારાસભ્ય સાવિત્રી મિત્રાએ મોદી વિશે દુર્યોધન જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. વિપક્ષના ઘણા નેતાઓએ તો મોદીની માતા હીરાબાને પણ ગાળો આપી છે. દરેક વખતે મોદી આવા અપમાનને ચૂંટણીનો મુદ્દો બનાવી રહ્યા છે અને તેનાથી વિપક્ષને ઘણું નુકસાન થઈ રહ્યું છે. આમ છતાં વિપક્ષના નેતાઓ મોદી વિરૂદ્ધ અપશબ્દો બોલવાથી પીછેહઠ કરતા નથી.

    મોદીએ તાજેતરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કહ્યું હતું કે કોંગ્રેસ અને વિપક્ષના લોકો દ્વારા તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. મોદીએ કહ્યું હતું કે તેમના પર જેટલો કાદવ ઉછાળવામાં આવશે તેટલું જ કમળ ખીલશે. એટલે કે ભાજપને જીતવાની તક મળશે. તેમણે જાહેર સભાના મંચ પરથી તેમની સામે અપાયેલા દરેક અપશબ્દોને પણ ગણ્યા હતા. મોદીએ કહ્યું હતું કે તેમને વિપક્ષ તરફથી દરરોજ ત્રણથી ચાર કિલો ગાળો મળે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં