Sunday, May 19, 2024
More
    હોમપેજગુજરાતગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ વિવિધ યુનિવર્સીટીના 100 પ્રોફેસરો સાથે ભાજપમાં જોડાયા:...

    ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ વિવિધ યુનિવર્સીટીના 100 પ્રોફેસરો સાથે ભાજપમાં જોડાયા: સીઆર પાટીલે પહેરાવ્યો ભગવો ખેસ

    ભાજપમાં જોડાયા બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા પ્રોફેસર રાજેન્દ્ર જાદવે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, "મુખ્ય હેતુ શિક્ષણ સાથે સમાજ સેવા થાય, રાજકારણ થકી લોકોની પરિસ્થિતિઓમાં સુધારો લાવી શકાય એ હેતુથી ભાજપમાં જોડાયો છું. "

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી વિપક્ષ ઉપરાંત વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. આ જ શ્રેણીમાં હવે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ પ્રોફેસર રાજેન્દ્ર જાદવ ભાજપમાં જોડાયા છે. તેઓ એકલા જ નહીં, પરંતુ અનેક યુનિવર્સીટીના 100 જેટલા અધ્યાપકો પણ ભાજપમાં જોડાયા છે. ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં ખેસ પહેરીને તમામ ભાજપમાં જોડાયા હતા.

    મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ પ્રોફેસર રાજેન્દ્ર જાદવ સીઆર પાટીલના હાથે ભગવો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે સરદાર પટેલ યુનિવર્સીટીના પ્રોફેસર ડૉ ભરત બી. સોલંકી, ગુજરાત યુનિવર્સીટીના અધ્યાપક પીડી પટેલ, ગુજરાત યુનિવર્સીટીના જ અધ્યાપક અને સેનેટ સભ્ય વિપુલ સોલંકી, સરદાર પટેલ યુનિવર્સીટીના અધ્યાપક અને પૂર્વ કોર્પોરેટર જેપી બોડાદ, પ્રો. અરવિંદ ચૌધરી, પ્રો. રાજેન્દ્ર દવે, પ્રો. જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ સહિત લગભગ 100 અધ્યાપકો ભાજપમાં જોડાયા હતા.

    ભાજપમાં જોડાયા બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા પ્રોફેસર રાજેન્દ્ર જાદવે ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “મુખ્ય હેતુ શિક્ષણ સાથે સમાજ સેવા થાય, રાજકારણ થકી લોકોની પરિસ્થિતિઓમાં સુધારો લાવી શકાય એ હેતુથી ભાજપમાં જોડાયો છું. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી દ્વારા આખા દેશમાં વિકાસનો રથ ચાલી રહ્યો હોય, ત્યારે સમાજના જવાબદાર વ્યક્તિ તરીકે અમારી પણ એક ફરજ બને છે કે અમે પણ તેમાં સહયોગી થઈએ. ભાજપ સરકાર પર આવો જ ભરોસો રાખીને અમે તેમાં જોડાયા છીએ.”

    - Advertisement -

    100 પ્રધ્યાપકો વિધિવત રીતે ભાજપમાં જોડાયા- પ્રો. જાદવ

    પાર્ટીમાં કેવા પ્રકારની કામગીરી અને જવાબદારી રહેશે તે વિશે ઑપઇન્ડિયા સાથે વાત કરતા પ્રો. રાજેન્દ્ર જાદવ જણાવે છે કે, “માનનીય સીઆર પાટીલ સાહેબે અમારી સાથે ચર્ચા કરી જ છે. કયા અધ્યાપકો કેવા પ્રકારની કામગીરી કરી શકે તેમ છે તેનો અભ્યાસ કરવામાં આવશે અને બાદમાં તેમની રૂચી અનુસાર તેમને કામ સોંપવામાં આવશે.”

    તેમની સાથે કેટલા પ્રધ્યાપકો ભાજપમાં જોડાયા તે સવાલના જવાબ પર તેઓ જણાવે છે કે, “આજે લગભગ 100 જેટલા અધ્યાપકો મારી સાથે હાજર હતા અને મારી સાથેના તમામ અધ્યાપકો ભાજપમાં જોડાયા છે. મારી સાથે જુદી-જુદી યુનિવર્સીટીના સેનેટર- પૂર્વ સેનેટર રહી ચુકેલા કેટલાક અન્ય સભ્યો પણ ભાજપમાં જોડાયા છે. કુલ 100 પ્રધ્યાપકો મારી સાથે ભાજપમાં જોડાયા છે.”

    કોંગ્રેસી MLAએ પણ ધારણ કર્યો હતો ભગવો

    ઉલ્લેખનીય છે કે થોડા કલાકો અગાઉ જ પૂર્વ કોંગ્રેસ MLA સી.જે. ચાવડા 1500 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. માત્ર તેઓ જ નહીં, પણ વિજાપુર ખાતે તેમના 1500 જેટલા સમર્થકો, કોંગ્રેસના પૂર્વ હોદેદારો અને કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા.

    પાર્ટીમાં જોડાયા બાદ તેમણે કહ્યું હતું કે, “મેં ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે અને હવે હું ભાજપમાં જોડાઈ ગયો છું. મને જે પણ કામગીરી આપવામાં આવશે તે હું કરીશ. આજે 1500 કાર્યકરો અને અનેક આગેવાનો સાથે આજે ભાજપમાં જોડાયો છું. મેં આ જિલ્લામાં કામ કર્યું છે, કોને શું જોઈએ એનાથી હું માહિતગાર છું અને મારે જે પણ કામ કરવાનું થશે એના માટે હું તૈયાર છું.”

    આ ઉપરાંત તેમણે કોંગ્રેસને આડેહાથ લેતાં કોંગ્રેસની કાર્યશૈલી અને પાર્ટીના નેતાઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, “કોંગ્રેસ જે રસ્તે ચાલે છે તે રસ્તે હું ચાલી શકતો નથી. કોંગ્રેસ સારી બાબતની પ્રશંસા કરવાની ક્ષમતા ગુમાવી ચુકી છે. રામમંદિરનો વિરોધ કોંગ્રેસ માટે યોગ્ય નથી. કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ જ અટવાયેલી છે. ભટકેલી કોંગ્રેસને જોઈએ એ દિશા દેખાડે એવું નેતૃત્વ હવે રહ્યું જ નથી.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં