Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘કેજરીવાલ પોતે જ એક ગડબડ છે, આખા દેશને નુકસાન કરશે’: અન્ના હજારેના...

    ‘કેજરીવાલ પોતે જ એક ગડબડ છે, આખા દેશને નુકસાન કરશે’: અન્ના હજારેના પત્ર બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેજરીવાલ પર નિશાન સાધ્યું

    અન્ના હજારેએ કેજરીવાલને પત્ર લખીને તેમની સરકારની શરાબ નીતિની ટીકા કરવા બદલ ઠપકો આપ્યા બાદ હવે ભાજપ પ્રદેશ પ્રમુખે પણ નિશાન સાધ્યું.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ જેમની સભાઓ અને આંદોલનો થકી દેશભરમાં ચર્ચામાં આવ્યા એવા અન્ના હજારેએ તેમને પત્ર લખીને તેમની સરકારની નવી શરાબ નીતિની ટીકા કરી હતી. જે બાદ આ પત્ર સતત ચર્ચામાં છે. હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ ટિપ્પણી કરી હતી. 

    ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, “અન્ના હજારેને હવે સમજાયું છે કે તેમણે કેજરીવાલમાં વિશ્વાસ કરીને ભૂલ કરી હતી અને એટલે તેમણે પત્ર લખ્યો છે.” તેમણે એમ પણ કહ્યું કે, અરવિંદ કેજરીવાલ આવનારા દિવસોમાં આખા દેશને નુકસાન કરવા માટે ગડબડ કરતા રહેશે.

    ભાજપ પ્રમુખે કહ્યું, “પહેલાં દારૂની દુકાનો 31 દિવસ બંધ રહેતી હતી, તે હવે 28 દિવસ ઘટાડીને 3 દિવસ કરી દેવામાં આવ્યા છે. તેની પાછળ મોટો સોદો થયો હોય તેમ લાગે છે. તેમણે દારૂ પીવા માટેની ઉંમર પણ ઘટાડી દીધી છે. સ્વાભાવિક છે કે અન્ના હજારેજીએ કરેલો વિશ્વાસ તૂટ્યો છે, તેથી તેમણે બહુ કડક શબ્દોમાં આ વાત લખી છે.” 

    - Advertisement -

    તેમણે ઉમેર્યું કે, “એક જૂના વિડીયોમાં જોઈ શકાય છે કે અન્ના હજારેની બાજુમાં બેસીને કેજરીવાલ બોલી રહ્યા હતા કે ખુરશીમાં જ કંઈક ગડબડ છે અને જે ત્યાં બેસે છે તે ગડબડ થઇ જાય છે. અને આ આંદોલનથી નીકળનાર જે પણ પાર્ટી હશે કે જે કોઈ નીકળશે તે પણ આ ખુરશી પર બેસશે તો ગડબડ થઇ જશે. તેમની એ વાત જ સાચી પડી રહી છે. અરવિંદ કેજરીવાલ પહેલેથી જ ગડબડ હતા, આજે પણ ગડબડ છે અને આવનાર દિવસોમાં આખા દેશને નુકસાન કરવા માટે ગડબડ કરતા રહેશે.” 

    ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલના જૂના રાજકીય ગુરુ અન્ના હજારેએ તાજેતરમાં તેમને પત્ર લખીને નવી શરાબ નીતિ અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ સત્તાના નશામાં વિચારધારા ભૂલી ગયા છે. 

    અન્ના હજારેએ કેજરીવાલને પત્ર લખીને કહ્યું હતું કે, “રાજકારણમાં જઈને મુખ્યમંત્રી બન્યા પછી આપ આ આદર્શ વિચારધારા ભૂલી ગયા હોવ તેમ લાગે છે. તેથી દિલ્હી રાજ્યમાં તમારી સરકારે નવી શરાબ નીતિ બનાવી. એવું લાગે છે કે તેનાથી દારૂનું વેચાણ અને દારૂ પીવાને પ્રોત્સાહન મળી શકે છે. શેરીએ-શેરીએ દુકાનો ખુલી શકે છે. તેનાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી શકે છે. આ બાબત જનતાના હિતમાં નથી. તેમ છતાં આપે એવી શરાબ નીતિ લાવવાનો નિર્ણય કર્યો છે. જેથી એવું લાગે છે કે, જે પ્રકારે દારૂનો નશો હોય છે, એ જ પ્રકારે સત્તાનો પણ નશો હોય છે. તમે પણ આવા જ સત્તાના નશામાં ડૂબી ગયા હોવ એવું લાગે છે.” 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં