Saturday, July 27, 2024
More
    હોમપેજદેશભગત સિંઘ અને ડો. આંબેડકર આજુબાજુમાં, વચ્ચે જેલબંધ અરવિંદ કેજરીવાલ!: AAPએ બહાર...

    ભગત સિંઘ અને ડો. આંબેડકર આજુબાજુમાં, વચ્ચે જેલબંધ અરવિંદ કેજરીવાલ!: AAPએ બહાર પાડ્યો સુનીતા કેજરીવાલનો નવો વિડીયો, નેટીઝન્સ ભડક્યાં

    આ બાબતે હવે ભારતીય જનતા યુવા મોરચાએ AAPને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. તેઓએ આમ આદમી પાર્ટીના આ કૃત્યને ભગત સિંઘ અને ડો. આંબેડકરના અપમાન સાથે જોડ્યું છે.

    - Advertisement -

    દિલ્હીના મતદારોને આપેલા તેમના તાજેતરના નાટકીય સંબોધનમાં, AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલના પત્નીએ એક વિડીયો શેર કર્યો છે. જેમાં ‘જેલના સળિયા પાછળ’ અરવિંદ કેજરીવાલ હોય તેવા એક એડિટેડ ફોટા સાથે ભગત સિંહ અને આંબેડકરની તસવીરો ઉમેરવામાં આવી છે. આ વિડીયો મુખ્યમંત્રીના ઘરમાં આવેલ ઓફિસનો હોય એમ લાગી રહ્યું છે.

    લેટેસ્ટ મેસેજમાં સુનીતા કેજરીવાલ એમ કહેતા સાંભળવા મળે છે કે તેમના પતિ અને દિલ્હીના વર્તમાન સીએમ અરવિંદ કેજરીવાલ જેલમાં હોવા છતાં તેઓ દિલ્હીના લોકોને ભૂલ્યા નથી અને AAPના તમામ ધારાસભ્યોને સંદેશ મોકલ્યો છે. AAP ધારાસભ્યોને મુખ્યમંત્રીનો સંદેશ છે, “દરેક ધારાસભ્યએ દરરોજ તેમના વિસ્તારની મુલાકાત લેવી જોઈએ અને લોકોની સમસ્યાઓની ચર્ચા કરવી જોઈએ અને તેનું નિરાકરણ કરવું જોઈએ.”

    અરવિંદ કેજરીવાલનો તેમની પાર્ટીના ધારાસભ્યોને કહેવાતો સંદેશ છે, “તમારું મૂળભૂત કામ કરો”. પરંતુ કોઈક રીતે, સુનિતા કેજરીવાલે તે મૂળભૂત કાર્ય તરીકે રજૂ કર્યું જે કોઈપણ રીતે ધારાસભ્યો પાસે અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ કેજરીવાલ દ્વારા તેમના ધારાસભ્યોને યાદ અપાવવાની જરૂર છે કે તેઓ તેમના મતદારો સાથે સંપર્કમાં રહે.

    - Advertisement -

    ‘જેલમાં બંધ’ કેજરીવાલના પોટ્રેટના અચાનક દેખાવથી નેટીઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. કેટલાકે પૂછ્યું કે શું AAP હવે સત્તાવાર રીતે કેજરીવાલને ભગતસિંહ અને આંબેડકરના સ્તરે મૂકે છે. ખરાબ રીતે એડિટ કરેલા ફોટામાં કેજરીવાલ વાદળી શર્ટમાં દેખાય છે, જેમાં તેમના ચહેરાની આગળ ફોટોશોપ કરીને જેલના સળિયા ઉમેરવામાં આવ્યા છે.

    દિલ્હીના સીએમ ખરેખર જેલમાં હોવા છતાં, ‘સળિયા પાછળ’નો ફોટો એક સ્પષ્ટ ફોટોશોપ છે કારણ કે તિહારની અંદર કેમેરાપર્સનને તેમના જેલના રૂમમાં રાજકારણીઓના વિશેષ ફોટા લેવાની મંજૂરી નથી.

    આ બાબતે હવે ભારતીય જનતા યુવા મોરચાએ AAPને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. તેઓએ આમ આદમી પાર્ટીના આ કૃત્યને ભગત સિંઘ અને ડો. આંબેડકરના અપમાન સાથે જોડ્યું છે.

    આ ઉપરાંત અન્ય કેટલાય X યુઝર્સે આ બાબતે પોતાનો રોષ ઠાલવ્યો છે અને આ કૃત્યની નિંદા કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં