Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબીજેપી નેતાઓ બાદ હવે પંજાબ પોલીસ પહોંચી કુમાર વિશ્વાસના ઘરે, કવિએ ભગવંત...

    બીજેપી નેતાઓ બાદ હવે પંજાબ પોલીસ પહોંચી કુમાર વિશ્વાસના ઘરે, કવિએ ભગવંત માનને આપી ચેતવણી

    ભાજપના નેતાઓ તાજીન્દર સિંગ બગ્ગા અને નવીન કુમાર જીન્દાલ બાદ હવે પંજાબ પોલીસ ઉત્તર પ્રદેશમાં રહેતા કવિ કુમાર વિશ્વાસના ઘેરે પહોંચી હતી. કુમારે જાતે આ માહિતી ટ્વિટ કરીને આપી હતી

    - Advertisement -

    પંજાબ પોલીસ આ પહેલા ભાજપના યુવા નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગા અને પત્રકારમાંથી રાજકારણી બનેલા નવીન જિંદાલના ઘરે ઘણી વખત આવી ચૂકી હતી. હવે પંજાબ પોલીસે આજે સવારે પ્રખ્યાત કવિ તથા આમ આદમી પાર્ટીના સ્થાપક સદસ્ય કુમાર વિશ્વાસના ઘરનો દરવાજો ખખડાવ્યો છે.

    એવું લાગે છે કે પંજાબ પોલીસ દ્વારા અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ જે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે તેને દબાવવાના પ્રયાસો ચાલુ છે. આ પહેલા પંજાબ પોલીસે ભાજપના યુવા નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગા અને પત્રકારમાંથી રાજનેતા બનેલા નવીન જિંદાલના ઘરે ઘણી વખત મુલાકાત લીધી હતી. હવે પંજાબ પોલીસે આજે સવારે પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસના ઘરે પણ પહોચી છે.

    કુમાર વિશ્વાસે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. પોતાના ટ્વિટમાં તેણે પંજાબના સીએમ ભગવંત માનને ચેતવણીના રૂપમાં સલાહ પણ આપી છે અને માનને તેમના ભૂતકાળની યાદ અપાવી છે. કુમાર વિશ્વાસના ઘરે પંજાબ પોલીસનું પહોચવું એ મુદ્દો હવે વધુ વેગ પકડે એવી આશંકા છે.

    - Advertisement -

    કુમાર વિશ્વાસે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘વહેલી સવારે પંજાબ પોલીસ દરવાજા પર આવી પહોંચી છે. એક સમયે, મારા દ્વારા પાર્ટીમાં સામેલ કરાયેલા ભગવંત માનને હું ચેતવણી આપું છું કે દિલ્હીમાં બેઠેલી વ્યક્તિ, જેને તમે પંજાબની જનતાએ આપેલી સત્તા સાથે રમવા દો છો, તે એક દિવસ તમને અને પંજાબને છેતરશે. દેશને મારી ચેતવણી યાદ રહે.’

    પંજાબ પોલીસે કુમાર વિશ્વાસ વિરૂદ્ધ કયા કેસમાં કેસ નોંધ્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવું લાગે છે કે કુમાર વિશ્વાસે પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલના ખાલિસ્તાનીઓ સાથેના સંબંધોનો દાવો કર્યો હતો. પંજાબ પોલીસ એ જ મામલામાં તેમના ઘર સુધી પહોંચી ગઈ છે જે તેમણે દાવો કર્યો હતો.

    કુમાર વિશ્વાસે પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા દાવો કર્યો હતો કે તેઓ AAPમાં હતા ત્યારે એક દિવસ કેજરીવાલે તેમને કહ્યું હતું કે જો તેઓ પંજાબ જીતશે તો હું અલગ દેશનો પીએમ પણ બની શકું છું. તેના પર આમ આદમી પાર્ટી તરફથી કુમાર વિશ્વાસ વિરુદ્ધ ઉગ્ર નિવેદનો આપવામાં આવ્યા હતા. જો કે, બાદમાં ખાલિસ્તાની આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ SFJના વડા ગુરપતવંત સિંહ પન્નુએ પોતે બે વીડિયો જાહેર કર્યા હતા જેમાં જણાવાયું હતું કે AAPએ ચૂંટણી લડવા માટે તેમની પાસેથી નાણાકીય અને અન્ય ટેકો લીધો હતો.

    પંજાબ પોલીસ દ્વારા, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધના નિવેદનોને લઈને મોહાલીના સાયબર ક્રાઈમ સેલમાં ઉપરાઉપર કેસ નોંધવામાં આવી રહ્યા છે. આ પહેલા દિલ્હીમાં બીજેપી નેતા તેજિંદર બગ્ગા, દિલ્હી બીજેપી પ્રવક્તા નવીન કુમાર જિંદાલ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં પણ પંજાબ પોલીસ તપાસ માટે દિલ્હી પહોંચી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં