Saturday, July 27, 2024
More
    હોમપેજદેશઅદ્વૈત વન, અદ્વૈત લોક મ્યુઝિયમ, ગુરુકુલ, કલાગ્રામ, નર્મદા વિહાર…: ઓમકારેશ્વરમાં જગદગુરુ શંકરાચાર્યની...

    અદ્વૈત વન, અદ્વૈત લોક મ્યુઝિયમ, ગુરુકુલ, કલાગ્રામ, નર્મદા વિહાર…: ઓમકારેશ્વરમાં જગદગુરુ શંકરાચાર્યની 108 ફૂટ ઊંચી પ્રતિમા છે તૈયાર

    આ પ્રતિમાના નિર્માણનું કામ એલએનટી (L&T) કંપની કરી રહી છે. મહારાષ્ટ્રના શોલાપુરના પ્રસિદ્ધ શિલ્પકાર ભગવાન રામ પુરે આ પ્રતિમા તૈયાર કરી છે, જ્યારે ચિત્રકાર વાસુદેવ કામતે 2018માં તેનું ચિત્ર તૈયાર કર્યું હતું. ભાજપે 2017-18માં 'એકત્મા યાત્રા' પણ કાઢી હતી.

    - Advertisement -

    મધ્યપ્રદેશના ઓમકારેશ્વરમાં સનાતન ધર્મના ધ્વજવાહક શંકરાચાર્યની વિશાળ પ્રતિમા લગભગ તૈયાર છે. નોંધનીય કે ઓમકારેશ્વર પણ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક છે. ખંડવા જિલ્લામાં આવેલા આ વિસ્તારમાં માંધાતા પર્વત પર શંકરાચાર્યની આ પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે. અષ્ટધાતુથી બનેલી આ પ્રતિમાના નિર્માણમાં દેશના અનેક પ્રતિભાશાળી અને અનુભવી એન્જિનિયરો અને કલાકારોએ સહયોગ આપ્યો હતો. સોમવારે (18 સપ્ટેમ્બર, 2023) મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેનું ઉદ્ઘાટન કરવાના છે.

    ઉદ્ઘાટન કાર્યક્રમ માટે ધાર્મિક કાર્યક્રમોનો ક્રમ 16 સપ્ટેમ્બરથી જ શરૂ થવાનો છે. પ્રતિમાના અભિષેક ઉપરાંત હવન અને યજ્ઞ સહિત અન્ય ધાર્મિક કાર્યો પણ કરવામાં આવનાર છે. મોટી સંખ્યામાં ઋષિ-મુનિઓ પણ પધારી રહ્યા છે. કેરળમાં જન્મેલા શંકરાચાર્યએ બાળપણમાં જ ઘર છોડીને ઓમકારેશ્વરમાં શરણ લીધું હતું. એવું માનવામાં આવે છે કે તે અહીં 4 વર્ષ સુધી રહ્યા હતા.

    તેમની સ્મૃતિને જાળવી રાખવા માટે મધ્યપ્રદેશની ભાજપ સરકારે અહીં તેમની 108 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ કેબિનેટે ઓમકારેશ્વર ખાતે સ્ટેચ્યુ ઓફ વનનેસ તથા શંકરાચાર્યને સમર્પિત સંગ્રહાલય અને આંતરરાષ્ટ્રીય અદ્વૈત વેદાંત સંસ્થાનના નિર્માણ માટે ₹2,141 કરોડની મંજૂરી આપી હતી.

    - Advertisement -

    ખાસ વાત એ છે કે આ પ્રતિમામાં માત્ર તેમનું બાળ સ્વરૂપ જ દર્શાવવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોરનું નિર્માણ થઈ ચૂક્યું છે અને ભક્તો માટે ઘણા કામો કરવામાં આવ્યા છે. ઓમકારેશ્વરમાં શંકરાચાર્યની પ્રતિમાને ‘સ્ટેચ્યુ ઓફ વનનેસ’ (Statue of Oneness) નામ આપવામાં આવ્યું છે. આ સમગ્ર વિસ્તારને એકાત્મ ધામ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. અહીં ‘અદ્વૈત લોક’ નામનું મ્યુઝિયમ પણ બનાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ‘આચાર્ય શંકર અદ્વૈત વેદાંત સંસ્થા’ની પણ સ્થાપના કરવામાં આવી રહી છે.

    ઓમકારેશ્વરમાં જ શંકરાચાર્ય ગુરુ ગોવિંદ ભગવતપાદ નામના ગુરુને મળ્યા હતા. 12 વર્ષની ઉંમરે, તેઓ દેશભરમાં હિંદુ ધર્મના પુનરુત્થાન માટે અહીંથી પદયાત્રાએ નીકળ્યા હતા. આ પ્રતિમાના નિર્માણનું કામ એલએનટી (L&T) કંપની કરી રહી છે. મહારાષ્ટ્રના શોલાપુરના પ્રસિદ્ધ શિલ્પકાર ભગવાન રામ પુરે આ પ્રતિમા તૈયાર કરી છે, જ્યારે ચિત્રકાર વાસુદેવ કામતે 2018માં તેનું ચિત્ર તૈયાર કર્યું હતું. ભાજપે 2017-18માં ‘એકત્મા યાત્રા’ પણ કાઢી હતી. આ અંતર્ગત 27,000 ગ્રામ પંચાયતોમાંથી ધાતુ સંગ્રહણ માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.

    શું શું બનાવવામાં આવશે?

    ‘એકાત્મ ધામ’માં શંકરાચાર્યને લગતી કાર્ટૂન વાર્તાઓ, લેસર લાઇટ વોટર સાઉન્ડ શો, તેમના જીવન પરની ફિલ્મ, ‘સૃષ્ટિ’ નામનું અદ્વૈત અર્થઘટન કેન્દ્ર, નર્મદા વિહાર, અન્નક્ષેત્ર અને શંકર કલાગ્રામ વિકસાવવામાં આવ્યા છે.

    અહીં પરંપરાગત ગુરુકુળની પણ સ્થાપના કરવામાં આવશે. આ સાથે 36 હેક્ટરમાં ‘અદ્વૈત ફોરેસ્ટ’ પણ વિકસાવવામાં આવી રહ્યું છે. તે 2000 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. સ્ટેચ્યુ સિવાય પ્રોજેક્ટનું બાકીનું કામ ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં