Saturday, July 27, 2024
More
    હોમપેજદેશમોદી સરકારની મોટી જીત: EWS અનામત પર સુપ્રીમ કોર્ટની મહોર, સરકારી નોકરીઓમાં...

    મોદી સરકારની મોટી જીત: EWS અનામત પર સુપ્રીમ કોર્ટની મહોર, સરકારી નોકરીઓમાં પણ 10% અનામત અકબંધ રહેશે

    જેવો સુપ્રિમકોર્ટનો આ ઐતિહાસિક નિર્ણય આવ્યો એ બાદ ગૃહ મંત્રીની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. અમિત શાહે સુપ્રીમ કાર્ટનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આ નિર્ણય અને આ કાયદો કોઈ પણ રીતે સંવિધાનનું ઉલ્લંઘન નહોતો કરી રહ્યો.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ને સરકારી નોકરીઓમાં આપવામાં આવતી અનામતને મંજૂરી આપી દીધી છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચમાંથી ત્રણે બંધારણના 103માં સુધારાને સમર્થન આપ્યું હતું. નોંધનીય છે કે EWS આરક્ષણ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ આર્થિક અનામત માન્ય છે અને આ અનામત ગેરબંધારણીય નથી. પાંચ જજોની બંધારણીય બેન્ચે સોમવારે (7 નવેમ્બર) આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

    મુખ્ય ન્યાયાધીશ ઉદય લલિતની અધ્યક્ષતાવાળી બંધારણીય બેન્ચે આ નિર્ણય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે ચીફ જસ્ટિસ ઉદય લલિતનો છેલ્લો કાર્યકારી દિવસ છે. 103મો બંધારણીય સુધારો કરીને કેન્દ્ર સરકારે ઉચ્ચ જાતિના આર્થિક રીતે પછાત વર્ગો માટે અનામતની જોગવાઈ કરી હતી. તે જ સમયે, પાંચમાંથી ત્રણ ન્યાયાધીશોએ આર્થિક અનામતની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જો કે, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ EWS અનામત અંગેના બંધારણીય સુધારા સાથે અસંમત હતા અને તેને રદ કરવાનો ચુકાદો આપ્યો હતો.

    નોંધનીય છે કે વર્ષ 2019માં કેન્દ્ર સરકારે સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં 10 ટકા અનામતની જોગવાઈ કરી હતી, જેના માટે 103મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના આ નિર્ણય વિરુદ્ધ 40 જેટલી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ ઉદય લલિતે ચીફ જસ્ટિસનો પદભાર સંભાળ્યા બાદ તરત જ બંધારણીય બેંચ સમક્ષ આ મામલાની સુનાવણી થઈ હતી. આ મામલામાં છેલ્લી સુનાવણી સપ્ટેમ્બર મહિનાથી શરૂ થઈ હતી.

    - Advertisement -

    જસ્ટિસ દિનેશ મહેશ્વરીએ જ્યારે પોતાનો નિર્ણય સંભળાવ્યો ત્યારે તેમાં ચીફ જસ્ટિસ ઉદય લલિતનો નિર્ણય પણ સામેલ હતો. જસ્ટિસ મહેશ્વરીએ કહ્યું કે આર્થિક આરક્ષણ બંધારણના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરતું નથી. તેમણે કહ્યું કે આર્થિક અનામત ગેરબંધારણીય નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે EWS આરક્ષણ 50 ટકા આરક્ષણની ટોચમર્યાદાનું ઉલ્લંઘન કરતું નથી.

    અમિત શાહે કર્યું ચુકાદાનું સ્વાગત

    જેવો સુપ્રિમકોર્ટનો આ ઐતિહાસિક નિર્ણય આવ્યો એ બાદ ગૃહ મંત્રીની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. અમિત શાહે સુપ્રીમ કાર્ટનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આ નિર્ણય અને આ કાયદો કોઈ પણ રીતે સંવિધાનનું ઉલ્લંઘન નહોતો કરી રહ્યો.

    નોંધપાત્ર રીતે, બંધારણમાં સામાજિક રીતે પછાત જાતિઓ અને જનજાતિઓ માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે ઉચ્ચ જાતિઓને અનામત આપવા પર સુપ્રીમ કોર્ટના આ નિર્ણયે દેશભરમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. માનવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની ભવિષ્યમાં ઘણી અસર થવાની છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં