Saturday, July 27, 2024
More
    હોમપેજદુનિયાચંદ્રયાન-3 ની સફળતા માટે ISROને મળ્યો પ્રસિદ્ધ લીફ એરિક્સન લુનર એવોર્ડ: વિદેશ...

    ચંદ્રયાન-3 ની સફળતા માટે ISROને મળ્યો પ્રસિદ્ધ લીફ એરિક્સન લુનર એવોર્ડ: વિદેશ મંત્રી એસ જયશંકરે પાઠવ્યા અભિનંદન

    વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે લીફ એરિક્સન લુનર એવોર્ડ માટે એક નિવેદન બહાર પાડ્યું અને ISROને અભિનંદન આપ્યા. જયશંકરે કહ્યું કે ચંદ્રયાન 3 દેશની પ્રતિષ્ઠા વધુ વધારશે.

    - Advertisement -

    આઈસલેન્ડના હુસાવિક મ્યુઝિયમે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનને (ISRO) પ્રતિષ્ઠિત લીફ એરિક્સન લુનર પુરસ્કાર એનાયત કર્યો છે. આ સન્માન ખાસ કરીને ચંદ્રયાન 3 મિશન માટે આપવામાં આવ્યું છે. આ દરમિયાન, ચંદ્ર પરના સંશોધન મિશન પર સતત આગળ વધવા અને અવકાશી રહસ્યોને સમજવામાં તેના મહત્વપૂર્ણ યોગદાન માટે ISROના સમર્પણ અને ઉત્સાહની પણ પ્રશંસા કરવામાં આવી હતી.

    અહેવાલો મુજબ ભારતીય દૂતાવાસે કહ્યું કે રાજદૂત બાલાસુબ્રમણ્યમ શ્યામને ઈસરો વતી આ એવોર્ડ મળ્યો. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે પણ પોતાનો વિડીયો સંદેશ મોકલ્યો હતો. એ જ રીતે, વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે લીફ એરિક્સન લુનર એવોર્ડ માટે એક નિવેદન બહાર પાડ્યું અને ISROને અભિનંદન આપ્યા. જયશંકરે કહ્યું કે ચંદ્રયાન 3 દેશની પ્રતિષ્ઠા વધુ વધારશે.

    નોંધનીય છે કે લીફ એરિક્સનને યુરોપિયન માનવામાં આવે છે જે ક્રિસ્ટોફર કોલંબસના 400 વર્ષ પહેલા અમેરિકન ખંડમાં પહોંચ્યા હતા. આ વાર્ષિક પુરસ્કાર તેમના નામે આપવામાં આવે છે.

    - Advertisement -

    શું છે લીફ એરિક્સન લુનર પુરસ્કાર

    લીફ એરિક્સન લુનર એવોર્ડ એ 2015થી એક્સપ્લોરેશન મ્યુઝિયમ દ્વારા આપવામાં આવતો વાર્ષિક પુરસ્કાર છે. તેનું નામ લીફ એરિક્સન પર રાખવામાં આવ્યું છે. તે નોર્સ સંશોધક છે, તેઓ ક્રિસ્ટોફર કોલંબસના અભિયાનની લગભગ ચાર સદીઓ પહેલાં ખંડીય અમેરિકામાં પગ મૂકનાર પ્રથમ યુરોપીયન હોવાનું માનવામાં આવે છે.

    23 ઑગસ્ટના દિવસે ચંદ્રયાને રચ્યો હતો ઈતિહાસ

    ચંદ્રયાન-3ની જીત એ ઐતિહાસિક સીમાચિહ્નરૂપ હતું જ્યારે 23 ઓગસ્ટે લેન્ડર મોડ્યુલ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર અમેરિકા, ચીન અને રશિયા પછી ભારત ચોથો દેશ બન્યો છે. ચાર વર્ષ પહેલાં ચંદ્રયાન-2ના ક્રેશ લેન્ડિંગની નિરાશા બાદ મિશને માત્ર ટેકનિકલ કૌશલ્ય જ દર્શાવ્યું ન હતું પરંતુ સફળતાનો સંકેત પણ આપ્યો હતો.

    લેન્ડિંગ પછી, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર વિવિધ કાર્યો કર્યા, જેમાં સલ્ફર અને અન્ય તત્વોની હાજરી શોધવી, સંબંધિત તાપમાન રેકોર્ડ કરવું અને ચંદ્ર પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવું, વગેરે હતા. ચંદ્રયાન-3ની સફળતાએ ચંદ્ર સંશોધનમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત કરી છે. ચંદ્ર વિજય પછી, ભારતે 2 સપ્ટેમ્બરે લોન્ચ કરેલા તેના પ્રથમ સૌર મિશન, આદિત્ય-L1 સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં