Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022નું ઉદ્ઘાટન...

    પ્રધાનમંત્રી મોદીએ ગાંધીનગર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022નું ઉદ્ઘાટન કર્યું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ WHOના વડાની હાજરીમાં ગાંધીનગર ખાતે ગ્લોબલ આયુષ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં પરંપરાગત ઔષધિઓ પર ચર્ચા થશે.

    - Advertisement -

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022નું ઉદ્ઘાટન કર્યું. આ ત્રણ દિવસીય ગ્લોબલ આયુષ સમિટ દેશના મુખ્ય નીતિ નિર્માતાઓ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય હિસ્સેદારોને ઇનોવેશન પર વિચારણા કરવા અને ભારતને ઉદ્યોગસાહસિકતાનું માટે વૈશ્વિક આયુષ કેન્દ્ર બનાવવા માટે એકસાથે લાવશે. ત્રણ દિવસની આ સમિટમાં આયુષ ક્ષેત્રમાં રોજગાર, સાહસિકતા, રોકાણ તથા સંશોધન પર ભાર આપશે.

    સમિટના ઉદ્ઘાટન સમારોહમાં મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના મહાનિદેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આયુષના કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ અને રાજ્ય મંત્રી ડો. મુંજપરા મહેન્દ્રભાઈ કાળુભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

    WHO મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસએ પોતાના ટૂંકા સંબોધનમા ગુજરાતીમાં કહ્યું કે, “મને મહાત્મા ગાંધીની ભૂમિ પર આવવાનું સૌભાગ્ય મળ્યું છે.” જે બાદ હજાર મહેમાનોએ તાળીઓ સાથે એમને વધાવી લીધા હતા.

    - Advertisement -

    પ્રધાનમંત્રી મોદીએ આ અવસર પર પોતાના વક્તવ્યમાં ઘણી મહત્વની વાતો કહી હતી.

    પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે આયુષના ક્ષેત્રમાં રોકાણ અને નવીનતાની શક્યતાઓ અમર્યાદિત છે. ભારત પહેલેથી જ આયુષ દવાઓ, પૂરક અને સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં અભૂતપૂર્વ વૃદ્ધિનું સાક્ષી છે. 2014 માં, જ્યાં આયુષ ક્ષેત્ર $3 બિલિયનથી ઓછું હતું.આજે તે વધીને $18 બિલિયનથી વધુ થઈ ગયું છે.
    
    પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યુ કે, FSSAIએ ગયા અઠવાડિયે તેના નિયમોમાં 'આયુષ આહર' નામની નવી શ્રેણીની પણ જાહેરાત કરી છે. આ હર્બલ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સના ઉત્પાદકોને મોટા પ્રમાણમાં સુવિધા આપશે.
    
    મોદીએ ઉમેર્યું કે, ભારતમાં અત્યારે યુનિકોર્નનો યુગ છે. વર્ષ 2022માં જ અત્યાર સુધીમાં ભારતમાંથી 14 સ્ટાર્ટ-અપ્સ યુનિકોર્ન ક્લબમાં જોડાયા છે. એમને ખાતરી છે કે ભારતના આયુષ સ્ટાર્ટઅપ્સમાંથી યુનિકોર્ન બહુ જલ્દી બહાર આવશે.
    
    આયુષ ઉપચારનો લાભ લેવા ભારત આવવા માંગતા વિદેશી નાગરિકો માટે સરકાર વધુ એક પહેલ કરી રહી છે. ખૂબ જ ટૂંક સમયમાં, ભારત એક વિશેષ આયુષ વિઝા શ્રેણી દાખલ કરવા જઈ રહ્યું છે. આનાથી લોકોને આયુષ ઉપચાર માટે ભારતની મુસાફરી કરવાની સુવિધા મળશે. એક વિદેશી નાગરિક રોઝમેરી કે જેણે આયુર્વેદિક સારવાર દ્વારા દ્રષ્ટિ પાછી મેળવી હતી, PM મોદીએ મહાત્મા મંદિરમાં એની આપવીતી સૌ સમક્ષ મૂકી હતી.
    
    ભારત એક ખાસ આયુષ ચિહ્ન પણ બનાવવા જઈ રહ્યું છે. આ ચિહ્ન ભારતમાં બનેલા ઉચ્ચતમ ગુણવત્તાવાળા આયુષ ઉત્પાદનો પર લાગુ કરવામાં આવશે. આ આયુષ ચિહ્ન આધુનિક ટેકનોલોજીની જોગવાઈઓથી સજ્જ હશે. આનાથી વિશ્વભરના લોકોને ગુણવત્તાયુક્ત આયુષ ઉત્પાદનોનો વિશ્વાસ મળશે.
    
    અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહા નિર્દેશક ડો. ટેડ્રોસને નવું ગુજરાતી નામ 'તુલસીભાઈ' આપ્યું અને ટેડ્રોસએ પણ સહજ ભાવે હસીને નવું નામ સ્વીકાર્યું હતું. સાથે મોદીએ તુલસીના છોડનું મહત્વ પણ સમજાવ્યું હતું.

    આ ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022 ત્રણ દિવસ ચાલવાની છે.

    ત્રણ દિવસમાં વૈશ્વિક આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ 2022માં 5 પૂર્ણ સત્રો, 8 રાઉન્ડ ટેબલ, 6 વર્કશોપ, 2 સિમ્પોઝિયમ હશે. સમિટના ઉદ્દઘાટન પછી તકનીકી સત્રો યોજાશે. આ સત્રોમાં બે રાઉન્ડ ટેબલ હશે.

    પ્રથમ દિવસના પહેલા સત્રમાં રાજદ્વારી કોન્ક્લેવ અને વિશ્વ માટે ભારતીય આયુષ તકો પર કેન્દ્રિત હશે. ડિપ્લોમેટ કોન્ક્લેવ રિપબ્લિક ઓફ કોંગો, લેસોથો, માલી, મેક્સિકો, રવાન્ડા, ટોગો, મોંગોલિયા, બાંગ્લાદેશ, ચિલી, ક્યુબા, ગામ્બિયા, જમૈકા, થાઈલેન્ડ, કિર્ગિઝ્સ્તાન, ઝિમ્બાબ્વે, કોસ્ટા રિકાના દૂતાવાસો અને અને માનવ સેવા, યુએસ એમ્બેસી તથા યુએસ આરોગ્ય વિભાગના પ્રતિનિધિઓ સહભાગી બનવાના છે.

    પ્રથમ દિવસનું બીજું રાઉન્ડ ટેબલ ચર્ચા-વિચારણા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં મુખ્ય મંત્રાલયો અને ઉદ્યોગો/ઉદ્યોગ સાહસિકો/સ્ટાર્ટ-અપ્સ વચ્ચે G2B ક્રિયાપ્રતિક્રિયાઓ, FMCG કોન્ક્લેવમાં આયુષ અને યોગ પ્રમાણપત્રનું વૈશ્વિકરણ જેવા વિષયો કેન્દ્રમાં રહેશે. પ્રથમ દિવસ આયુષ-ગ્લોબલ ઇન્ડસ્ટ્રી પ્રોસ્પેક્ટ્સ: રોકાણની તકો (ઉદ્યોગનું કદ અને અંદાજો, નિયમનકારી પાસાઓ, ઉત્પાદનો અને સેવાઓની નિકાસ) પર પૂર્ણ સત્ર સાથે સમાપ્ત થશે.

    આ સમિટ 20 થી 22 એપ્રિલ 2022 દરમિયાન બહુવિધ ભાગોમાં સુનિશ્ચિત કરવામાં આવી છે, જે આયુષ શિક્ષણ, સંશોધન, નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને સમગ્ર આયુષ પ્રણાલીઓમાં સતત આરોગ્યની વૈશ્વિક સમજની હિમાયત કરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં