Tuesday, April 23, 2024
More
    હોમપેજમંતવ્યઅતિવૃષ્ટિ હોય કે અન્ય આફત, વર્ષોથી પોતાની અસરકારકતા સાબિત કરતું ગુજરાત મોડેલ

    અતિવૃષ્ટિ હોય કે અન્ય આફત, વર્ષોથી પોતાની અસરકારકતા સાબિત કરતું ગુજરાત મોડેલ

    ગુજરાત મોડલે શ્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે શરૂ થયું ત્યારથી તેની અસરકારકતા વારંવાર સાબિત કરી છે. તેને સમયે પરિપક્વ બનાવ્યું છે અને તે પુરવાર થયેલો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.

    - Advertisement -

    રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આઇએમડી તરફથી ઉપલબ્ધ ડેટા જોઇએ તો કેટલા પ્રમાણમાં ભારે વરસાદ પડ્યો છે તે જોઇ અને સમજી શકાય છે. હું 1લી જૂનથી 13મી જુલાઈ 2022 સુધીનો ઉપલબ્ધ ડેટા ધ્યાને લાવીશ. સમગ્ર ગુજરાત રાજ્યની સરેરાશ, જે 840 mm છે તેના 46.70% જેટલો કુલ વરસાદ પડ્યો છે, એટલે કે માત્ર આ સમયગાળામાં 397.02 મીમી વરસાદ થયો છે. ગયા વર્ષે તે માત્ર 155.92 mm (18.56%) હતો.

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસું હજુ પણ સક્રિય હોવાથી, દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં અને સૌરાષ્ટ્ર પ્રદેશના ગીર સોમનાથ જિલ્લામાં શુક્રવારે સવારે 6 થી 10 વાગ્યાની વચ્ચે નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.

    શુક્રવારે સવારે 6 વાગ્યે પૂરા થયેલા 24 કલાકના સમયગાળામાં વલસાડના કપરાડા તાલુકામાં 253 mm જેટલો ધોધમાર વરસાદ નોંધાયો હતો. તે ઉપરાંત નવસારીના ચીખલી (244 mm), ગીર સોમનાથના સુત્રાપાડા (240 mm), ગણદેવી અથવા નવસારી (231 mm), વલસાડના ધરમપુર (212 mm), નવસારી તાલુકા (211 mm) અને નવસારીના જલાલપોર (183 mm)નો સમાવેશ થાય છે, એમ SEOCએ જણાવ્યું હતું.

    - Advertisement -

    શુક્રવારે ગીર સોમનાથના તાલાલા તાલુકામાં સવારે 6 થી 10 દરમિયાન 60 mm વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ વલસાડના કપરાડા (49 mm), ગીર સોમનાથના વેરાવળ (47 mm) અને નવસારીના ગણદેવી તાલુકામાં 38 mm વરસાદ નોંધાયો હતો.

    હવામાન વિભાગે ચેતવણી પણ આપી છે કે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત સ્થિત નવસારી અને ડાંગ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ, મુખ્યત્વે અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથમાં “અતિભારે વરસાદ” થઈ શકે છે. જેના કારણે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

    આ અતિવૃષ્ટિ અને પૂર જેવી સ્થિતિ ઉદ્દભવવાના કારણે ગુજરાત રાજ્યમાં જનજીવન ઠપ થઇ ગયું છે અને રસ્તાઓ, મિલકતોને નુકસાન પહોંચ્યું છે અને મોટી સંખ્યામાં વસ્તીને અસર થઇ છે. આવી અભૂતપૂર્વ પરિસ્થિતિઓમાં ખૂબ જ સક્રિય વહીવટીતંત્ર અને ઝડપી પ્રતિસાદની જરૂર હોય છે.

    પીએમ અને ગૃહમંત્રી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને કેન્દ્ર તરફથી શક્ય તમામ સહયોગ આપી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને ફોન કર્યો હતો અને રાજ્યના કેટલાક ભાગોમાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિઓની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને સંભવિત પૂર વિશે વડાપ્રધાનને માહિતી આપી હતી. વડાપ્રધાને એનડીઆરએફની વધારાની ટીમો મોકલવા સહિત કેન્દ્ર તરફથી તમામ મદદની ખાતરી આપી હતી.

    કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટેનું ગુજરાત મોડલ:

    ગુજરાત એક એવું રાજ્ય છે જે તેના સીએમ ડેશબોર્ડ માટે જાણીતું છે જ્યાં એક ક્લિક પર તરત જ સમગ્ર રાજ્યનો ડેટા ઉપલબ્ધ થઇ જાય છે. 13મીએ મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી હતી અને સમીક્ષાના આધારે સૂચનાઓ આપી હતી.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સીએમ ડેશબોર્ડ દ્વારા રાજ્યના વરસાદથી પ્રભાવિત થયેલાં પાંચ જિલ્લાઓની પરિસ્થિતિની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી અને જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું.

    મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિની સંપૂર્ણ વિગતો જિલ્લા કલેકટરો પાસેથી મેળવી હતી. તે પહેલાં મુખ્યમંત્રીએ મંગળવારે વરસાદથી અસરગ્રસ્ત નર્મદા, નવસારી અને છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લીધી હતી.

    મુખ્યમંત્રીશ્રીએ આ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારો અને ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોને સલામત વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે અને તેમને આપવામાં આવતી સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ત્યારબાદ આ પાંચ જિલ્લાના જિલ્લા વહીવટીતંત્રોને માર્ગદર્શન આપ્યું હતું કે જેથી બચાવ અને રાહત કામગીરી, વીજ પુરવઠો, પાણી પુરવઠો, આરોગ્ય સેવાઓ તેમજ એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો જરૂર જણાય તો સંકલન કરી શકે. તેમણે જરૂરી સલામતીનાં પગલાં અને જાનહાનિનું પ્રમાણ ઓછામાં ઓછું રહે તેની કાળજી લેવાની સૂચના આપી હતી.

    મુખ્યપ્રધાને વહીવટીતંત્રને આશ્રયસ્થાનોમાં રહેતા લોકોને પૂરતા પ્રમાણમાં ખોરાક અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરવાની વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખાસ કરીને નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદી પાણીનો નિકાલ થાય કે તરત જ બેરેકો હટાવીને રોડ તાત્કાલિક ખોલવા જોઈએ. આ ઉપરાંત મુખ્યમંત્રીએ તે વિસ્તારોમાં સફાઈ કરવા પણ સૂચના આપી હતી.

    મુખ્યમંત્રીએ આ જિલ્લાના કલેક્ટરોને તાકીદની કોઇ વધુ મદદ માટે રાજ્ય સરકાર સાથે સતત સંકલન જાળવી રાખવા પણ જણાવ્યું હતું.

    નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટરની ત્રણ-ત્રણ ટીમો નવસારી જિલ્લામાં બચાવ કામગીરીમાં જોડાઈ હતી જ્યાંથી સાદકપોર અને ખુંદ ગામમાં ઘરની અગાસી પર ફસાયેલા 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને ગુરુવારે સલામત જગ્યાએ લઇ જવાયા હતા.

    પૂરથી પ્રભાવિત નવસારી જિલ્લાના કેટલાક ભાગોમાં પાણી ઓછું થવાનું શરૂ થતાં, રાજ્ય સરકારે જિલ્લામાં સફાઈ પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે બે વધારાના કલેક્ટરો અને ચાર નાયબ કલેક્ટરની નિમણૂક કરી છે. વહીવટીતંત્ર વરસાદને કારણે લોકોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે સર્વે પણ કરશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો પણ નવસારી પહોંચી છે અને સફાઈની કામગીરી શરૂ કરી દીધી છે.

    નવસારી જિલ્લામાં ‘ઓપરેશન નિરામય’ હેઠળ સુરત મહાનગરપાલિકાના 200 કામદારોની ટીમે વરસાદી પરિસ્થિતિ બાદ સફાઈ, કાદવ દૂર કરવા, દવાનો છંટકાવ કરવા, 47થી વધુ જેસીબી, પાંચ ડી વોટરિંગ પંપ, ટીપર ટ્રક, ગલ્ફર મશીનો અને અદ્યતન સાધનો સાથે મદદ કરવા પહોંચી છે. એટલું જ નહીં, નવસારી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગ નિવારણ અને નિયંત્રણ માટે 40 આરોગ્ય ટીમો પણ તૈનાત કરવામાં આવી છે, એમ મુખ્યમંત્રીને જણાવવામાં આવ્યું હતું. વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાંથી 14,900 લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે હવે વરસાદની તીવ્રતા ઘટી રહી છે અને નદીઓમાં પાણી ઓછું થવા લાગ્યું છે. સાપુતારા જવાનો રસ્તો જે કાદવ અને ખડકોના કારણે બંધ થઈ ગયો હતો તે નાના વાહનો માટે ફરીથી ખુલ્લો કરવામાં આવ્યો છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તાત્કાલિક સર્વેલન્સ કર્યું હતું. તેમણે કહ્યું તું કે, “મારી સરકારે ઝડપથી પ્રતિભાવ આપ્યો છે, જાન અને માલના નુકસાનને નિયંત્રિત કર્યું છે. રાજ્યભરમાં એનડીઆરએફની 18 ટીમો તૈનાત કરવામાં આવી છે. વધારામાં, ગુજરાતમાં 18 એસડીઆરએફ પ્લાટુન પણ તૈનાત રાખવામાં આવી છે. કુલ 8 ટીમો (એનડીઆરએફ અને એસડીઆરએફ) આરક્ષિત છે. 33,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.”

    અત્યાર સુધીમાં, ભારે વરસાદના કારણે 5150 રહેણાંક વસાહતોમાં વીજ પુરવઠાની સમસ્યા સર્જાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વચ્છતા, ઘન કચરાના નિકાલ, વગેરે માટે 156 નગરપાલિકાઓને કુલ રૂ. 17.1 કરોડની નાણાકીય સહાય કરવાની ખાતરી આપી છે. રાજ્ય પ્રશાસન લોકોને બ્લોકેજ, ઈમરજન્સી હોટલાઈનો અને ગુજરાતની ચોમાસાની પેટર્ન વિશે ઝડપથી ચેતવણી આપવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.

    છોટાઉદેપુર જિલ્લામાં પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 5,278 લોકોને, નવસારીમાં 2,902 લોકોને અને વલસાડમાં 469 લોકોને અને અન્ય વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાંથી થોડા વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

    વલસાડના કલેક્ટરે અંબિકા નદીના કિનારે અચાનક પૂરના કારણે ફસાયેલા લોકોને બચાવવા માટે વિનંતી કરી તો, ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી અને ભારે પવન અને વરસાદમાં નજીવી દૃશ્યતા વચ્ચે 16 લોકોને એરલિફ્ટ કર્યા હતા. વરસાદ ઓછો થતાં જ ટીમો રોગચાળાના ફેલાવાને રોકવા માટે વિસ્તારોને સાફ કરવા માટે તૈયાર છે, રોડ સર્વે શરૂ થઈ ગયા છે, રસ્તાઓ સાફ કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 

    કુદરતી આફતો ત્રાટકી શકે છે પરંતુ ગુજરાતનું વહીવટી મોડલ સુસંશોધન અને રિહર્સલ સાથે જાનહાનિ ઘટાડવાના પગલાંની યોજનાઓ સાથે તૈયાર છે. દરેક જિલ્લા કલેક્ટર પાસે ખોરાક, દવાઓ, સાધનસામગ્રીનો પૂરતો સ્ટોક હોય છે અને તેમની પાસે બચાવકર્તાની ટીમો હોય છે. મુખ્ય ઘટક સચોટ ડેટાનો ઉપયોગ કરીને ટોચના સ્તરે સીએમ ડેશબોર્ડ પરથી થતી યોગ્ય દેખરેખ છે.

    આ યોજનાઓ બચાવ અને પુનર્વસન માટેની છે અને તેમને લગભગ તરત જ અમલમાં મૂકાય છે. દરેક જિલ્લા કલેક્ટર આવી પરિસ્થિતિઓ માટે અગાઉથી તૈયાર છે. દરેક વ્યક્તિ તેમની ભૂમિકા જાણે છે અને સંપર્કમાં રહે છે અને યોગ્ય સંકલન ધરાવે છે.

    સ્વચ્છ રસ્તાઓ અને પુનઃનિર્મિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ટૂંક સમયમાં જ ગુજરાત તેની પૂર્વવત સ્થિતિએ જોવા મળશે. ગુજરાત મોડલે શ્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ થયું ત્યારથી અતિવૃષ્ટિ હોય કે અન્ય કોઈ આફત, વારંવાર તેની અસરકારકતા સાબિત કરી છે. તેને સમયે પરિપક્વ બનાવ્યું છે અને તે પુરવાર થયેલો ટ્રેક રેકોર્ડ ધરાવે છે.

    An Article by Himanshu Jain Political Analyst

    ડિસ્ક્લેમર: આ આર્ટીકલમાં આપવામાં આવેલા મંતવ્યો લેખકના પોતાના છે અને ઑપઇન્ડિયા તેની સાથે સહમત નથી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં