Tuesday, April 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતના નગરોમાં પાણી-પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાનાં કામો માટે કેન્દ્ર સરકારે પાંચ...

    ગુજરાતના નગરોમાં પાણી-પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાનાં કામો માટે કેન્દ્ર સરકારે પાંચ હજાર કરોડ મંજૂર કર્યા

    કેન્દ્ર સરકારે ગુજરાત સરકારની વિનંતીને માન્ય રાખીને શહેરી વિકાસ માટે કરોડોની યોજના સેનિટેશન અને બ્યુટીફીકેશન માટે મંજૂર કરી છે.

    - Advertisement -

    કેન્દ્ર સરકાર દ્વારા અમૃત 2.0 યોજના હેઠળ ગુજરાત રાજ્યના નગરો-મહાનગરોમાં 412 વિવિધ કામો માટે પ્રથમ તબક્કામાં રૂ. 5128 કરોડની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આ મામલે સોમવારે (16 મે 2022) જાણકારી આપવામાં આવી હતી.

    ગુજરાત સરકાર દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, દેશના રાજ્યોમાં નગરો, મહાનગરોમાં 100 ટકા પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટર યોજનાની વ્યવસ્થા પૂરી પાડવા કેન્દ્ર દ્વારા શરૂ કરવામાં આવેલી અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (અમૃત 2.0) મિશન અન્વયે ગુજરાત સરકારે રજૂ કરેલી પ્રથમ તબક્કાના કામો માટેની રૂ. 5128 કરોડની દરખાસ્ત કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયે મંજૂર કરી છે.

    ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) દ્વારા સ્ટેટ વોટર એક્શન પ્લાનના પ્રથમ તબક્કામાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓ, 156 નગરપાલિકાઓ માટે રજૂ કરવામાં આવેલી આ દરખાસ્તમાં પાણી પુરવઠાના 206, ભૂગર્ભ ગટર યોજનાના 70 તથા તળાવ નવિનીકરણના 68 અને બાગ-બગીચાના 68 મળી કુલ 412 કામોનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    સરકારે જણાવ્યું કે, સ્ટેટ હાઇપાવર સ્ટીયરીંગ કમિટિમાં રજુ કરવામાં આવેલી આ દરખાસ્ત રાજ્ય સરકારે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયની એપેક્સ કમિટી સમક્ષ તાજેતરમાં રજૂ કરી હતી. એપેક્સ કમિટીએ GUDM ની આ સંપૂર્ણ દરખાસ્તનો સ્વીકાર કરીને પ્રથમ તબક્કાના 412 કામો અમૃત 2.0 હેઠળ આવરી લેવા રૂ. 5128 કરોડની રકમ મંજૂર કરી છે.

    આ સંદર્ભમાં હવે બધા કામોના ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવીને તથા ટેક્નિકલ એપ્રૂવલ મેળવીને તબક્કાવાર આ કામોનો વિવિધ અમલીકરણ સંસ્થાઓ અમલ કરવામાં આવશે તેમ પણ સરકારે જણાવ્યું હતું.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર-2021માં પાંચ વર્ષ માટે લૉન્ચ કરેલી અમૃત-2.0 યોજના હેઠળ રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં 100 ટકા પાણી પુરવઠા પહોંચાડવાનો તેમજ 31 અમૃત શહેરોમાં 100 ટકા ભૂગર્ભ ગટર યોજનાની વ્યવસ્થા પૂરી પાડવાનો લક્ષ્યાંક ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે.

    ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા આ હેતુસર  15 હજાર કરોડની રકમના કામો સ્ટેટ વોટર એક્શન પ્લાન અન્વયે ૩ તબક્કામાં હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ, પ્રથમ તબક્કાના 5128 કરોડ રૂપિયાના 412 કામોને કેન્દ્ર સરકારે મંજૂરી આપતાં રાજ્યના નગરો-મહાનગરોમાં જળવ્યવસ્થાપનના કામોમાં વેગ આવશે તેમ પણ સરકારે જણાવ્યું હતું.

    તદુપરાંત, સરકારે જણાવ્યું હતું કે, ‘પ્રથમ તબક્કાના 5128 કરોડ રૂપિયાના 412 કામોને કેન્દ્ર સરકારે ત્વરિત મંજૂરી આપતાં રાજ્યના નગરો-મહાનગરોમાં જળવ્યવસ્થાપનના કામોમાં વેગ આવશે અને રાજ્યના નગરો-મહાનગરો કેન્દ્ર અને રાજ્ય સરકારની ડબલ એન્જિનવાળી સરકારની મદદથી જળ આત્મનિર્ભરતા સાકાર કરશે.’ 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં