Friday, April 26, 2024
More
    હોમપેજસંપાદકની પસંદમીડિયા, રાણા અય્યુબે કર્યો હિંદુઓ વિરુદ્ધ દુષ્પ્રચાર: એક હિંદુ ડિલિવરી મેનને ઈમરાને...

    મીડિયા, રાણા અય્યુબે કર્યો હિંદુઓ વિરુદ્ધ દુષ્પ્રચાર: એક હિંદુ ડિલિવરી મેનને ઈમરાને ચપ્પલ વડે માર્યો પણ કેવી રીતે આખા કિસ્સાને ખપાવી દીધો ‘ઇસ્લામોફોબિયામાં’!

    પ્રોપગેન્ડા પોર્ટલ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સે દાવો કર્યો હતો કે ઇમરાનની બહેનને હિંદુઓ દ્વારા હેરાનગતિને કારણે કસુવાવડ થઈ હતી. જોકે, નરસાપુરે આ દાવાઓને નકારી કાઢ્યા છે.

    - Advertisement -

    30 મેના રોજ, નાણાકીય છેતરપિંડીના આરોપી, કથિત પત્રકાર રાણા અય્યુબે ધ ન્યૂઝ મિનિટનો એક વિડિયો શેર કર્યો હતો જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે હિંદુઓએ ‘જય શ્રી રામ’ ના નારા લગાવતા મુસ્લિમ વ્યક્તિના પરિવારને માર માર્યો હતો. અય્યુબે મોટા અક્ષરોમાં લખ્યું હતું ‘EVERY DAY NORMAL’ એટલે કે ‘આ રોજનું થયું’. મોટા ભાગના પ્રોપગેન્ડા પોર્ટલોએ પણ આ જ પ્રમાણેના આર્ટિકલ આપ્યા હતા.

    ધ ન્યૂઝ મિનિટ, ધ ક્વિન્ટ અને અન્ય સહિત અનેક પ્રોપગેન્ડા પોર્ટલોએ હિંદુ સંગઠનો અને તેલંગાણાના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર પર મુસ્લિમ વ્યક્તિને માર મારવાનો આરોપ લગાવતા અહેવાલ પ્રકાશિત કર્યા છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે જ્યારે એક મુસ્લિમ પુરુષની માતા અને સગર્ભા બહેન તેમના બચાવમાં આવ્યા ત્યારે હિંદુઓએ તેમના પર હુમલો કર્યો અને મારપીટ કરી.

    સોર્સ: યુટ્યુબ

    હિંદુત્વવોચ જેવા પ્રોપેગન્ડા હેન્ડલ્સે આ ઘટનાનો વાયરલ વીડિયો પ્રકાશિત કર્યો હતો. તેઓએ લખ્યું, “સ્થળ: નરસાપુર, તેલંગાણા. ‘જય શ્રી રામ’ ના નારા લગાવતા એક હિંદુ જમણેરી ટોળાએ ગેસ સિલિન્ડરની ડિલિવરી પર એક વ્યક્તિ સાથે દલીલ કર્યા પછી મુસ્લિમ હોટલના માલિક પર નિર્દયતાથી હુમલો કર્યો. હુમલા દરમિયાન, જ્યારે તેની સગર્ભા બહેને દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેના પર પણ હુમલો કરવામાં આવ્યો, પરિણામે કસુવાવડ થઈ.”

    - Advertisement -

    ઘણા સોશિયલ મીડિયા હેન્ડલ્સ આ ઘટના પર ઇસ્લામોફોબિયાના નામનું રુદન કરી રહ્યા હતા.

    સોર્સ: ટ્વીટર

    નોંધનીય છે કે ધ ન્યૂ મિનિટે જય શ્રી રામના નારાઓ વચ્ચે હિન્દુ ‘ટોળા’એ મુસ્લિમ વ્યક્તિને માર માર્યાના લખાણ સાથે આ ક્લિપ શેર કરી હતી, જો કે, તેમના ટ્વીટ ટેક્સ્ટમાં, તેનું મુખ્ય કારણ શું હતું તેનો ઉલ્લેખ કરવાની તસ્દી લીધી ન હતી. એવી વિચારવું કે ઝપાઝપી મુસ્લિમો સામે એકપક્ષીય નફરતનું પરિણામ હતું, તે હકીકત નથી.

    પહેલા ઈમરાને હિંદુ એલપીજી ડિલિવરી મેનને ચપ્પલ વડે માર માર્યો હતો

    આ ઘટના જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો તે 7 મેના રોજ બની હતી. જો કે, તેને 25 મેના રોજ પ્રોપગેન્ડા પોર્ટલ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા વાઇરલ કરવામાં આવ્યો હતો.

    અહેવાલો અનુસાર, 7 મેના રોજ ગુરલા લિંગમ ‘સ્વામી’ નામના એલપીજી ડિલિવરી મેન, જે હનુમાન માલા (દીક્ષા) પર હતો, તે કલ્યાણી બિરયાની પોઈન્ટના માલિક ઈમરાનના ઘરે સિલિન્ડર પહોંચાડવા ગયો હતો. લિંગમને સિલિન્ડર પહોંચાડવામાં થોડું મોડું થતાં ઈમરાન ઉશ્કેરાઈ ગયો હતો. જ્યારે લિંગમે ખાલી સિલિન્ડર માંગ્યું, ત્યારે ઈમરાનની માતાએ તે આપવાનો ઇનકાર કર્યો કારણ કે જૂના સિલિન્ડરમાં થોડો ગેસ બચ્યો હતો અને તેને લેવા માટે બે દિવસ પછી આવવા કહ્યું.

    લિંગમે તેમને જાણ કરી કે નિયમો અનુસાર, તેમણે રિફિલ કરેલા સિલિન્ડરની ડિલિવરી કર્યા પછી તરત જ ખાલી સિલિન્ડર લઇ લેવાનું હોય છે. તેણે પીકઅપમાં વિલંબ કરવાની અસમર્થતા વ્યક્ત કરી. ઈમરાન અને લિંગમ વચ્ચે બોલાચાલી થઈ હતી જેના પગલે ઈમરાને ચપ્પલ લઈને લિંગમને માર્યો હતો. તેણે કથિત રીતે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને હનુમાન માલા વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.

    આ ઘટનાથી નારાજ લિંગમે તેના સાથી હનુમાન માલા ભક્તોને ઘટના વિશે જાણ કરી. આરએસએસ, હિંદુ વાહિની અને અન્ય સહિત હિંદુ સંગઠનોને આ ઘટનાની જાણ થઈ અને તેઓ ઈમરાનના ઘરની બહાર એકઠા થયા. ઘટનાસ્થળે ભાજપના કાઉન્સિલર રાજેન્દ્ર યાદવ પણ હાજર હતા.

    ઈમરાન અને હિંદુ ભક્તો વચ્ચે ઝપાઝપી થઈ હતી જે દરમિયાન ઈમરાનને માર મારવામાં આવ્યો હતો. બંને પક્ષે સામસામે નરસાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. લિંગમે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, “મેં હનુમાન માળા (ચેન) પહેરેલી હોવા છતાં તેણે મારા પર ચપ્પલ વડે હુમલો કર્યો હતો. તેણે મારા પર લોખંડના સળિયા વડે હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. બીજી તરફ ઈમરાને તેની ફરિયાદમાં દાવો કર્યો છે કે લિંગમને જ્યારે બે દિવસ પછી ખાલી સિલિન્ડર લેવાનું કહ્યું ત્યારે તેણે તેના પર હુમલો કર્યો હતો.”

    લિંગમની ફરિયાદના આધારે, નરસાપુર પોલીસે ઈમરાન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 504 (ઈરાદાપૂર્વક અપમાન), 324 (સ્વેચ્છાએ કોઈ વ્યક્તિને ઠેસ પહોંચાડવી) અને 295-A (આક્રોશ ધાર્મિક લાગણીઓ) હેઠળ એફઆઈઆર નોંધી છે. પોલીસે ઈમરાનની ધરપકડ કરી હતી અને બાદમાં ત્રણ દિવસ પછી જામીન પર છોડવામાં આવ્યો હતો.

    પ્રોપગેન્ડા પોર્ટલોએ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સે દાવો કર્યો હતો કે ઇમરાનની બહેનને હિંદુઓ દ્વારા હેરાનગતિને કારણે કસુવાવડ થઈ હતી. જોકે, નરસાપુરે આ દાવાઓને નકારી કાઢ્યા છે.

    અહેવાલો અનુસાર, ઘટનાના 13 દિવસ પછી ઇમરાનની બહેન આયેશા અંજુમે બાળકને જન્મ આપ્યો હતો. નિલોફર હોસ્પિટલમાં શ્વાસની તકલીફને કારણે ત્રણ દિવસ પછી બાળકનું મોત થયું હતું. આ સંદર્ભમાં ઈમરાનના પરિવાર દ્વારા કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.

    હનુમાન માલા શું હોય છે?

    તીર્થયાત્રા પહેલા, હિંદુઓ હનુમાન માળા પહેરે છે. આ સમયગાળા દરમિયાન, તેઓએ કેસરી વસ્ત્રો પહેરવા પડે છે અને કોઈપણ ‘પાપપૂર્ણ’ પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી દૂર રહેવું પડે છે. જેઓ આ વિધિનું પાલન કરે છે તેઓને ‘સ્વામી’ કહેવામાં આવે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં