Wednesday, October 23, 2024
More
    હોમપેજદેશ‘મુસ્લિમ સમૂહોએ અરજી કર્યાના 24 કલાકમાં જ ભલામણ, અમુકે રજૂઆત પણ ન...

    ‘મુસ્લિમ સમૂહોએ અરજી કર્યાના 24 કલાકમાં જ ભલામણ, અમુકે રજૂઆત પણ ન કરી અને શરૂ થઈ ગયા સરવે’: OBC યાદીને લઈને સુપ્રીમે જવાબ માંગ્યો તો છતી થઈ ગઈ બંગાળ સરકારની કરામત

    મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા બાદ CJI ચંદ્રચૂડની ખંડપીઠે બંગાળ સરકાર પાસેથી આ સમુદાયોને OBCમાં સમાવવા માટે કઈ પ્રક્રિયા અનુસરવામાં આવી તેની વિગતો મંગાવી હતી. 5 ઑગસ્ટના આ આદેશ બાદ બંગાળ સરકારના એડિશનલ સેક્રેટરી અને બેકવર્ડ ક્લાસિસ વેલ્ફેર ડિપાર્ટમેન્ટના જોઇન્ટ કમિશનર અભિજિત મુખર્જીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ સોગંદનામું દાખલ કર્યું હતું. 

    - Advertisement -

    ગત મે મહિનામાં એક મહત્વપૂર્ણ ચુકાદામાં કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા 2010થી 2012 વચ્ચે ઈસ્યુ કરવામાં આવેલાં OBC સર્ટિફિકેટ રદ કરી દીધાં હતાં, જે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. જ્યાં મમતા બેનર્જી સરકારે 77 જાતિઓને OBCમાં સમાવવાના પોતાના નિર્ણયનો બચાવ કરતું એક એફિડેવિટ કોર્ટમાં દાખલ કર્યું હતું. આ એફિડેવિટ પરથી અન્ય અમુક મહત્વની વિગતો સામે આવી છે, જેનાથી સ્પષ્ટ જાણવા મળે છે કે કઈ રીતે પહેલાં ડાબેરી સરકાર અને ત્યારબાદ મમતા સરકારે મુસ્લિમ વૉટ બેન્ક કબજે કરવા માટે મુસ્લિમ જાતિઓને OBCમાં સમાવી હતી અને સર્ટિફિકેટ આપ્યાં હતાં. 

    અહીં નોંધવું જોઈએ કે ગત મે, 2022ના એક ચુકાદામાં કલકત્તા હાઈકોર્ટે 2010થી લઈને 2012 સુધી પહેલાં લેફ્ટની સરકાર અને ત્યારબાદ મમતા બેનર્જીની TMC સરકાર દ્વારા કુલ 77 જાતિસમૂહોને આપવામાં આવેલાં OBC સર્ટિફિકેટ રદબાતલ ઠેરવ્યાં હતાં. પછીથી સામે આવ્યું હતું કે જે 77 સમુદાયોનાં સર્ટિ રદ થયાં હતાં, તેમાંથી 75 સમુદાયો મુસ્લિમ હતા. જેમાંથી 41ને લેફ્ટ સરકારે અને 34ને મમતા સરકારે દરજ્જો આપ્યો હતો. 

    હાઇકોર્ટે એમ કહીને તેમનાં સર્ટિફિકેટ રદ કરી દીધાં હતાં કે આ સમુદાયોને OBC સર્ટિફિકેટ આપવામાં નિયમોનું અને કાયદાનું પાલન કરવામાં આવ્યું ન હતું. આદેશમાં વેસ્ટ બેંગાલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસ એક્ટ ઑફ 1993ને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે OBCના સબ-ક્લાસિફિકેશન તેમજ ક્લાસ કે સબ-ક્લાસ માટેના અનામતની ટકાવારી નક્કી કરવા માટે કમિશન સાથે પરામર્શ ફરજિયાત છે, જે પ્રક્રિયા કરવામાં આવી ન હતી. 

    - Advertisement -

    મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા બાદ CJI ચંદ્રચૂડની ખંડપીઠે બંગાળ સરકાર પાસેથી આ સમુદાયોને OBCમાં સમાવવા માટે કઈ પ્રક્રિયા અનુસરવામાં આવી તેની વિગતો મંગાવી હતી. 5 ઑગસ્ટના આ આદેશ બાદ બંગાળ સરકારના એડિશનલ સેક્રેટરી અને બેકવર્ડ ક્લાસિસ વેલ્ફેર ડિપાર્ટમેન્ટના જોઇન્ટ કમિશનર અભિજિત મુખર્જીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ સોગંદનામું દાખલ કર્યું હતું. 

    અમુક મુસ્લિમ જાતિઓએ અરજી કર્યાના 24 કલાકમાં જ ભલામણ કરી દેવાઇ 

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, બંગાળ સરકારે પોતાના એફિડેવિટમાં વિગતો આપીને 77 સમુદાયોને OBC યાદીમાં સમાવવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે તમામ પ્રક્રિયા થ્રી-ટીયર પ્રોસેસ થકી જ કરવામાં આવી હતી, જેમાં બે સરવે અને બેકવર્ડ ક્લાસ કમિશન દ્વારા એક સુનાવણીનો સમાવેશ થાય છે. પરંતુ તેમ છતાં સરકાર પર પ્રશ્ન એટલા માટે ઉઠી રહી છે, કારણ કે અમુક મુસ્લિમ જાતિઓના કિસ્સામાં આ પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી. 

    ઉદાહરણ તરીકે, ખોટ્ટા મુસ્લિમ સમુદાયે 13 નવેમ્બર, 2009ના રોજ બંગાળના OBC કમિશન સામે જાતિને OBC યાદીમાં સમાવવા માટે અરજી કરી હતી. અને આ જ દિવસે કમિશને અરજી સ્વીકારીને ભલામણ કરી દીધી હતી. જમાદાર મુસ્લિમ સમુદાયનો પણ આવો જ કિસ્સો છે. તેમણે 21 એપ્રિલ, 2010ના રોજ અરજી કરી અને તે જ દિવસે તેમની ભલામણ કરી દેવામાં આવી. હવે સરકારી મશીનરી જે પ્રમાણે કામ કરે છે અને આવાં કામોમાં જે જટિલતા જોવા મળે છે, તેને ધ્યાને લઈએ તો આટલી ઝડપ અશક્ય છે. 

    એફિડેવિટની વિગતો આપતા રિપોર્ટ અનુસાર, ભાટિયા મુસ્લિમ, ચૂતોર મિસ્ત્રી સમુદાય વગેરે સમુદાયો માટે પણ OBC કમિશને અસાધારણ ઝડપ દાખવીને ગણતરીના દિવસોમાં જ ભલામણ કરી દીધી હતી. જ્યારે અન્ય ડઝનેક એવી મુસ્લિમ જાતિઓ હતી, જેની ભલામણ એક મહિનાથી ઓછા સમયમાં કરી દેવામાં આવી હતી. 

    અમુક જાતિઓએ અરજી કરી તે પહેલાં જ શરૂ થઈ ગયો સરવે 

    અન્ય એક ચોંકવનારી વિગત એ સામે આવી છે કે અમુક કિસ્સાઓમાં તો સમુદાયના સભ્યો પોતાની જાતિને OBC યાદીમાં સમાવવા માટે અરજી કરે તે પહેલાં જ તેમના સબ-કેટેગરાઈઝેશન માટે સરવે શરૂ કરી દેવામાં આવ્યા હતા. જેમકે, કાઝી, હઝારી, લાયેક, ખાસ વગેરે મુસ્લિમ સમુદાયો માટે સરવે થયાનાં વર્ષો પછી તેમણે અરજી કરી હતી. 

    એફિડેવિટમાં મમતા સરકારે જણાવ્યું છે કે, ‘વિગતવાર તપાસ અને દસ્તાવેજી સામગ્રીને ધ્યાનમાં લઈને તેમજ કમિશનની અંતિમ ભલામણોને ધ્યાનમાં રાખીને 34 સમુદાયોના ફાઈનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. એમ પણ કહેવામાં આવ્યું કે થ્રી-ટીયર પ્રોસેસને બહુ બારીકાઈથી અનુસરવામાં આવી હતી. 

    જેમાં પ્રક્રિયા એ રીતે સમજાવવામાં આવી છે કે પહેલાં જેઓ OBCમાં સમાવવા માંગતા હોય તેમણે વર્ગ, વસ્તી, મૂળ સ્થાન અને સામાજિક, શૈક્ષણિક, વ્યવસાયિક, આર્થિક વગેરે ડેટા આપવાનો રહે છે. ત્યારબાદ કમિશન સરવે હાથ ધરે છે. તે દરમિયાન કમિશન જાહેર નોટિસ પાઠવે છે અને તેની ઉપર સુનાવણી હાથ ધરે છે અને વાંધા અરજીઓ પણ સ્વીકારવામાં આવે છે. સુનાવણી દરમિયાન રેકર્ડ તપાસાય છે, સરવે ઈનપુટ્સ જોવામાં આવે છે, સુનાવણી દરમિયાન સામે આવેલાં તથો ધ્યાને લેવાય છે અને ત્યારબાદ અરજી સ્વીકારવામાં કે નકારવામાં આવે છે. પછીથી સરકારને મોકલવામાં આવે છે અને કેબિનેટની મંજૂરી બાદ આધિકારિક ગેઝેટથી યાદી પ્રકાશિત કરવામાં આવે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં