Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસત્તા હાથમાંથી જતી દેખાતા સંજય રાઉતે ધમકી ઉચ્ચારી, "શિવસૈનિકો હજી રસ્તા પર...

    સત્તા હાથમાંથી જતી દેખાતા સંજય રાઉતે ધમકી ઉચ્ચારી, “શિવસૈનિકો હજી રસ્તા પર નથી ઉતર્યા!”

    શિવસેનાના સંસદ સભ્ય અને પ્રવક્તા સંજય રાઉત આજે તેમના મૂળ સ્વરૂપમાં આવી ગયા હતા અને શિંદે જૂથના ધારાસભ્યોને તેમણે ધમકી આપી દીધી હતી.

    - Advertisement -

    જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ શિવસેનાના એક પછી એક ધારાસભ્યો એકનાથ શિંદે (Eknath Shinde) સાથે જોડાઈ રહ્યા છે. મહારાષ્ટ્રના સંગ્રામમાં હાલ એકનાથ શિંદેનો હાથ ઉપર જોવા મળી રહ્યો છે. ઉદ્ધવની ભાવનાત્મક અપીલની કોઈ અસર ના થતાં શિંદે ગ્રુપના ધારાસભ્યો પર ઉશ્કેરાયેલા સંજય રાઉતની ધમકી સામે આવી છે.

    આજે (24 જૂન) સવારે મીડિયા કર્મીઓના સવાલોના જવાબ આપતી વખતે શિવસેનાના રાજ્યસભાના સંસદ સભ્ય અને પ્રવક્તા એક સંજય રાઉતે (Sanjay Raut) ધમકીના સ્વરમાં કહ્યું હતું કે તેમને ટક્કર આપતા પહેલા એકનાથ શિંદે ગ્રુપના ધારાસભ્યોએ જાણવું જોઈએ કે હજુ તેમના કાર્યકર્તાઓ રસ્તાઓ પર નથી ઉતાર્યા.

    શિવસેના નેતા સંજય રાઉતની ધમકી દરમિયાન આગળ જણાવ્યુ કે, “12 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા ચાલી રહી છે (એકનાથ શિંદે જૂથના), તેમની સંખ્યા માત્ર કાગળ પર છે. શિવસેના એક મોટો મહાસાગર છે આવા મોજા આવે છે અને જાય છે.” એટ્લે કે સંજય રાઉતને હજુ આશા છે કે આ પૂરો મામલો હજુ તેમની બાજુ ઢળી શકે છે.

    - Advertisement -

    ઉદ્ધવે કરી હતી ભાવનાત્મક અપીલ

    નોંધનીય વાત છે કે 2 દિવસ પહેલા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર લાઈવ થઈને શિંદે ગ્રુપના નેતાઓને ભાવનાત્મક અપીલ કરી હતી.

    શિવસેના નેતા એકનાથ શિંદેને મનાવવાના પ્રયાસમાં ફેસબુક પર લાઈવ થઈને ઉદ્ધવ ઠાકરેએ અપીલ કરતાં કહ્યું કે “ધારાસભ્યોએ મારી સામે આવીને પોતાની વાત કહેવી જોઈએ. મને મુખ્યમંત્રી પદમાં કોઈ રસ નથી. હું મારું રાજીનામું આપવા તૈયાર છું. હું મુખ્યમંત્રી આવાસ વર્ષા બંગલો છોડવા પણ તૈયાર છું, પરંતુ આ બધી વાતો મારી સામે થવી જોઈએ અને દૂરથી બેસીને વાત કરવી યોગ્ય નથી.”

    પરંતુ તેમની તે ભાવનાત્મક અપીલનો શિંદે ગ્રુપના ધારાસભ્યો પર કોઈ અસર ના થતાં હવે સંજય રાઉત પોતાના મૂળ રૂપમાં પાછા ફર્યા છે અને શિવસૈનિકોના નામ પર શિંદે ગ્રુપના ધારાસભ્યો સામે રસ્તા પર ઉતારવાની ધમકી આપી દીધી છે.

    આ પહેલા ગઈ કાલે પણ એક ટીવી ચેનલ સાથે વાત કરતી વખતે સંજય રાઉતે એકનાથ શિંદે અને તેમની સાથે ગયેલા ધારાસભ્યોને ધમકી આપી હતી.

    એકનાથ શિંદેની આગેવાની હેઠળના પક્ષના વિધાનસભ્યો દ્વારા બળવો કરવા અંગે ગઇકાલે NDTV સાથે વાત કરતી વખતે રાઉતે ધમકીભર્યું નિવેદન આપ્યું હતું. ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન રહેશે કે નહીં તે અંગેના ચોક્કસ પ્રશ્નના જવાબમાં, શ્રી રાઉતે કહ્યું હતું કે, “તમામ ધારાસભ્યોને ગૃહના ફ્લોર પર આવવા દો. અમે પછી જોઈશું. આ ધારાસભ્યો જેઓ છોડી ગયા છે… તેઓ કરશે. મહારાષ્ટ્રમાં પાછા ફરવું અને ફરવું મુશ્કેલ લાગે છે.”

    ત્યારપછી સેનાએ પોતાનું વલણ નરમ કર્યું હતું. પરંતુ આજે ફરી સંજય રાઉત પોતાના ગુસ્સા પર કાબૂ કરવામાં અસફળ રહ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં