Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅખિલેશ યાદવે હિંદુ ધર્મની મજાક ઉડાવી, કહ્યું ઝાડ નીચે પથ્થર મુકીને લાલ...

    અખિલેશ યાદવે હિંદુ ધર્મની મજાક ઉડાવી, કહ્યું ઝાડ નીચે પથ્થર મુકીને લાલ ધજા ફરકાવો એટલે મંદિર બની ગયું; જ્ઞાનવાપી મામલો ભાજપ ભડકાવે છે

    ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે હિંદુ ધર્મની મજાક ઉડાડતા કહ્યું છે કે હિંદુ ધર્મમાં ગમે ત્યાં પથરા અને ધજા લગાવીને મંદિર બનાવી દેવામાં આવતું હોય છે.

    - Advertisement -

    અખિલેશ યાદવે હિંદુ ધર્મની મજાક ઉડાવી છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં જ્ઞાનવાપીમાં શિવલિંગ મળી આવવાના દાવા વચ્ચે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે હિંદુ ધર્મની મજાક ઉડાવતા કહ્યું છે કે “હિંદુ ધર્મમાં એવું છે કે પીપળના ઝાડ નીચે ગમે ત્યાં પથ્થર મૂકો, ધજા લગાવો, એટલે તે મંદિર બની ગયું”. સર્વે રિપોર્ટ કોર્ટમાં પહોંચે તે પહેલા બહાર આવી રહેલી માહિતી સામે પણ તેમણે વાંધો ઉઠાવ્યો હતો. અયોધ્યા કેસ પર પણ કહ્યું કે તે સમયે પણ મૂર્તિ અંદર રાખવામાં આવી હતી.

    એક પત્રકાર પરિષદના સંબોધન દરમિયાન અખિલેશ યાદવે કહ્યું કે,” જો તમે અમારા ધર્મમાં ક્યાંય પણ પત્થર અને લાલ ઝંડા લગાવી દો એટલે ત્યાં મંદિર બની જાય છે. લોકો ત્યાં પૂજા કરવા લાગે છે… ભાજપ જાણીજોઈને આખો મામલો વધારી રહી છે જેથી લોકોનું ધ્યાન મોંઘવારી અને બેરોજગારીથી હટી જાય. હાલ આ મામલો કોર્ટમાં છે, તો કોર્ટ જ તેનો નિર્ણય આપશે.”

    વધુમાં, અખિલેશે રામ મંદિર મુદ્દે પણ વાત કરી અને કહ્યું “કે હિંદુઓએ તે જગ્યા જબરજસ્તી તે જગ્યા કબજે કરી છે. તેમણે ભાજપને સાવચેત રહેવાની સલાહ આપી અને વધુમાં કહ્યું કે, “અયોધ્યામાં મૂર્તિ રાખવામાં આવી હતી. ભાજપ જાણીજોઈને વાતાવરણ બગાડવા માંગે છે. વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવીને તે લોકોને ધર્મ, જાતિ અને ધર્મના મુદ્દાઓમાં ભ્રમિત કરવા માંગે છે.”

    - Advertisement -

    પ્રેસ કોન્ફરન્સમાં અખિલેશ યાદવે સદનની કાર્યવાહીને લઈને યોગી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ સદનમાં લોકોના પ્રશ્નો સાંભળવા માંગતી નથી. એવું જાણવા મળ્યું છે કે સદન માત્ર 9 દિવસ ચાલશે. જે રાજ્યનું બજેટ 6 લાખ કરોડ છે. તે રાજ્યની જનતાના પ્રશ્નો 9 દિવસમાં કેવી રીતે પૂર્ણ થશે? અખિલેશે કહ્યું કે તેઓ ગૃહ ચલાવવા માટે દિવસ વધારવા માટે સરકાર સાથે વાત કરશે.

    અખિલેશે સરકાર પર વસુલીનો આરોપ લગાવતા દાવો કર્યો છે કે સરકાર ગરીબોને ઓળખવાનો ઇનકાર કરી રહી છે. તેમના કહેવા પ્રમાણે, જે ગરીબોને રાશન આપવામાં આવ્યું હતું તેમની પાસેથી વસૂલાત કરવામાં આવે છે. સ્ટીલ મોંઘું થયું, કોલસો મોંઘો થયો. જ્યારથી સરકાર બની છે ત્યારથી જ વીજકાપ છે અને પ્રજાને નોટિસો આવી રહી છે.

    સપા વડાએ કેન્દ્ર પર પણ નિશાન સાધતા કહ્યું કે દેશમાં ઉદ્યોગપતિઓને મોટી મોટી વસ્તુઓ વેચવામાં આવી રહી છે. કંપનીઓ વેચાઈ રહી છે, બેંકો મર્જ થઈ રહી છે, એલઆઈસીનું ખાનગીકરણ થઈ રહ્યું છે, એરપોર્ટ વેચાઈ રહ્યા છે, રાજ્યના ઘઉં વિદેશમાં વેચાઈ રહ્યા છે… અખિલેશના કહેવા પ્રમાણે, જ્ઞાનવાપી વિવાદાસ્પદ માળખાનો કેસ આ બધી બાબતો પરથી લોકોનું ધ્યાન હટાવવાનો કીમિયો છે.

    તેમણે વર્તમાન સરકાર પર ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું છે કે જે રીતે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો નિયમથી દેશને ગુલામ બનાવ્યો એ જ નિયમ ભાજપ અપનાવી રહી છે. આ સિદ્ધાંત ઘણા વર્ષો જૂનો હતો જેનો ઉપયોગ અંગ્રેજો કરતા હતા. પ્રજા સાથે આટલો અન્યાય અને અત્યાચાર આ પહેલા ક્યારેય થયો નથી. આ સરકાર ધર્મ અને જાતિના નામે માત્ર ડરાવી-ધમકાવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં