Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધીની તપાસમાં EDને કેમ વાર લાગી રહી છે તેના આ રહ્યાં...

    રાહુલ ગાંધીની તપાસમાં EDને કેમ વાર લાગી રહી છે તેના આ રહ્યાં કારણો: શું રાહુલ ગાંધી કોઈક પર દોષનો ટોપલો ઢોળીને બચી જવા માંગે છે?

    નેશનલ હેરાલ્ડ મામલે રાહુલ ગાંધીની ઇડી દ્વારા થઇ રહેલી પુછપરછ દરમ્યાન ખબર પડી છે કે રાહુલ ગાંધી પાસેથી જવાબ મેળવવામાં શી તકલીફ પડી રહી છે અને તેમણે દોષનો ટોપલો કોના માથે નાખી દીધો છે.

    - Advertisement -

    મળતા અહેવાલો મૂજબ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ EDને જણાવ્યુ છે કે કોંગ્રેસનાં પૂર્વ કોષાધ્યક્ષ મોતીલાલ વોરા યંગ ઈન્ડિયન દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની કોંગ્રેસ પાસેથી સેંકડો કરોડની સંપત્તિના સંપાદન સંબંધિત તમામ વ્યવહારો માટે જવાબદાર હતા.

    AJLની મિલકતો કબજે કરી રહેલી ગાંધી પરિવાર દ્વારા નિયંત્રિત કંપની યંગ ઈન્ડિયન (YI) પર સતત ત્રીજા દિવસે પૂછપરછ કરવામાં આવતા કોંગ્રેસના સાંસદે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે કથિત મની લોન્ડરિંગ માટે તપાસ કરવામાં આવી રહેલા વ્યવહારોની વ્યક્તિગત જાણકારીને નકારી કાઢી હતી. “તેમણે યંગ ઇન્ડિયન દ્વારા લેવામાં આવેલી લોન અથવા રહેઠાણની એન્ટ્રી વિશે કોઈ જાણકારી હોવાનો ઇનકાર કર્યો છે, અને મોતીલાલ વોરા પર બધો દોષ ઠાલવ્યો છે, જે હવે જીવિત નથી” તેમ EDનાં સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે જવાબ માટે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે કોંગ્રેસના સચિવ પ્રણવ ઝાએ TOIને કહ્યું: “EDની કાર્યવાહી ન્યાયિક પ્રકૃતિની છે અને તેને લીક કરવી એ ફોજદારી ગુનો છે. આથી, અમે તેના પર ટિપ્પણી કરીશું નહીં.”

    રાહુલ ગાંધીની પૂછપરછ શુક્રવારે પણ ચાલુ રહેશે કારણ કે તેમણે ગુરુવારે પૂછપરછમાંથી મુક્તિ માંગી હતી. રાહુલ અને તેમના માતા સોનિયા ગાંધી, કોંગ્રેસના વડા, યંગ ઈન્ડિયનમાં ભેગા મળીને 76% હિસ્સો ધરાવે છે અને બાકીનો 24% મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિસ (દરેક 12%) પાસે હતો.

    - Advertisement -

    અહિયાં નોંધવા જેવી બાબત એ છે કે મોતીલાલ વોરા અને ફર્નાન્ડિસનું અનુક્રમે ડિસેમ્બર 2020 અને સપ્ટેમ્બર 2021માં અવસાન થયું હતું.

    રાહુલ ગાંધીની લાંબી પૂછપરછ થવાની વાત ખોટી

    EDના સૂત્રોએ એ સમાચારોને નકારી કાઢ્યા હતા કે તે રાહુલ ગાંધીને રાતના 11 વાગ્યા સુધી પૂછપરછ માટે બેસાડી રાખે છે. “તે મોડેથી બહાર નીકળે છે કારણ કે દર ત્રણ કલાકની પૂછપરછ પછી, કોંગ્રેસ નેતા પોતાના જવાબોની સમીક્ષા કરવા માટે 3-4 કલાકનો વિરામ લે છે. જે કારણે અસરકારક રીતે, અમને તેમને પ્રશ્ન કરવા માટે માત્ર છ કલાકનો સમય મળે છે,” સૂત્રએ જણાવ્યું હતું.

    હવે રાહુલની પૂછપરછ શુક્રવારે ફરી શરૂ થશે, જ્યારે સોનિયા ગાંધીએ કોવિડના સંક્રમણને કારણે પૂછપરછ મુલતવી રાખવાની માંગણી કરી ત્યારે તેમને આ કેસમાં પૂછપરછ માટે 25 જૂને બોલાવવામાં આવ્યા છે. એપ્રિલમાં કોંગ્રેસના કાર્યકર્તા મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટીના વર્તમાન ખજાનચી પવન બંસલના નિવેદનો નોંધ્યા બાદ EDએ તેમને સમન્સ જારી કર્યા હતા. ખડગે અને બંસલ પણ YI અને AILમાં પદાધિકારી છે.

    દરમિયાન, મધ્ય દિલ્હીના રસ્તાઓ પર અરાજકતા ચાલુ રહી હતી જેમાં કોંગ્રેસના કાર્યકરો આગ અને હિંસક વિરોધમાં સામેલ હતા. કોંગ્રેસ કાર્યકર્તાઓએ એપીજે અબ્દુલ કલામ રોડ પર ED ઓફિસ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરતી વખતે પોલીસનો બંદોબસ્ત તોડ્યો હતો. રાહુલ, હંમેશની જેમ, બુધવારે સવારે 11 વાગ્યા પછી એજન્સીમાં હાજર થયા હતા અને સાંજે 4 વાગ્યે ફરીથી તપાસમાં જોડાતા પહેલા એક કલાક માટે લંચ બ્રેક લીધો હતો.

    શેર હોલ્ડિંગની માયાજાળ

    સૂત્રોએ જણાવ્યું હતું કે તપાસ દર્શાવે છે કે YI દ્વારા AILના સંપાદન પછી, YIના બે સ્થાપકો સુમન દુબે અને સામ પિત્રોડા, સોનિયા અને ફર્નાન્ડિસને તેમના શેર ટ્રાન્સફર કરીને શેરધારક તરીકે બહાર નીકળી ગયા હતા. “આના પરિણામે YI નું ટ્રાન્સફર અને નિયંત્રણ સોનિયા અને રાહુલના હાથમાં આવ્યું, બંને બહુમતી શેરધારકો, દરેકના 38% શેરહોલ્ડિંગ છે અને તેમના નજીકના સહયોગીઓ મોતીલાલ વોરા અને ફર્નાન્ડિસ પ્રત્યેક 12% શેર ધરાવે છે,” તપાસ અહેવાલમાં જણાવાયું છે.

    AIL અને YI બંનેમાં ડિરેક્ટરોનો એક સરખા જ હતા જેઓ કોંગ્રેસના પદાધિકારીઓ પણ હતા, જેમણે આ સંસ્થાઓને એક સમજદાર ઉદ્યોગપતિ તરીકે વ્યવહારોના તાર્કિક ક્રમને અનુસર્યા વિના પણ તેમની વચ્ચે ખૂબ જ ઝડપથી વ્યવહાર કરવામાં મદદ કરી હતી. પ્રથમ દૃષ્ટિએ જોતાં આ તમામ બાબતો એક જ અનિવાર્ય નિષ્કર્ષ તરફ દોરી જાય છે કે આ વ્યવહારો પૂર્વ-નિર્ધારિત, પૂર્વ આયોજિત અને તબક્કાવાર સંચાલિત હતા.

    YIની સ્થાપના રૂ. 5 લાખથી કરવામાં આવી હતી અને કોંગ્રેસ પર 90 કરોડ રૂપિયાના દેવાની AILને ટેકઓવર કરવા માટે તેની પાસે નાણાકીય સંસાધનો નહોતા. ED ડોઝિયર મુજબ, “કારણ કે, 90.21 કરોડની લોનની કથિત ખરીદી વખતે YI પાસે કોઈ ભંડોળ નહોતું, તેણે કોલકાતા સ્થિત શેલ કંપની ડોટેક્સ મર્ચેન્ડાઇઝ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રૂ. 1 કરોડની લોન લેવાનો દાવો કર્યો હતો.”

    આમ સમગ્રપણે જોવા જઈએ તો રાહુલ ગાંધી અહિયાં પોતાના પરના તમામ આરોપો કોઈક રીતે એક મૃત વ્યક્તિ મોતીલાલ વોરા પર ઢોળવાના પ્રયાસમાં છે. બીજી બાજુ આવા જ એક કેસમાં દિલ્હી સરકારના મંત્રી સત્યેંદ્ર જૈન આરોપોથી બચવા માટે એવું કહી રહ્યા છે કે કોરોનાને કારણે તેમની યાદશક્તિ જતી રહી છે. પણ ચિંતાજનક વાત તો એ છે કે સેંકડો લોકો આવા આરોપીઓનું સમર્થન કરી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં