Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપંજાબ સરકારમાં પાલતું શ્વાન ને પીડા; કુતરાઓને ઘરની બહાર ફેંકી દો :...

    પંજાબ સરકારમાં પાલતું શ્વાન ને પીડા; કુતરાઓને ઘરની બહાર ફેંકી દો : CM ભગવંત માનનું ફરમાન, બગ્ગાએ કહ્યું લાચાર CM હવે કુતરાઓ પાછળ પડ્યા

    પંજાબના મુખ્યમંત્રીએ સરકારી કર્મચારીઓએ પોતાના નિવાસમાંથી પાલતુ કુતરાઓને કાઢી મુકવાનો તઘલખી નિર્ણય જાહેર કર્યો છે જેના વિષે ભાજપના તાજીન્દર સિંગ બગ્ગાએ કટાક્ષ કર્યો છે.

    - Advertisement -

    પંજાબ સરકારમાં પાલતું શ્વાન ને પીડાદાયક ફરમાન અપાયું, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સરકારી કર્મચારીઓને તેમના ક્વાર્ટરમાં પાલતુ કૂતરાઓ રાખવા પર પ્રતિબંધ મૂક્યો છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે સરકારી બંગલા અને ક્વાર્ટર્સમાં રહેતા પોલીસ અધિકારીઓને એક સપ્તાહની અંદર તેમના પાલતુ કૂતરાઓને ઘરની બહાર કાઢવાનો આદેશ આપ્યો છે. તો બીજી તરફ પંજાબ સરકારમાં પાલતું શ્વાન ને લઈને વિચિત્ર ફરમાનથી લોકો ગિન્નાયા છે.

    13 મેના રોજ એક આદેશમાં, એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, પટિયાલા (ADGP) એ પોલીસ અધિકારીઓને સ્પષ્ટપણે કહ્યું છે કે, તેઓને સરકારી આવાસમાં પાલતુ કૂતરાઓ રાખવાની મંજૂરી નથી, કુતરાઓને ઘરની બહાર કરીદો.

    પત્રમાં કહેવામાં આવ્યું છે કે જે કર્મચારીઓ પોતાના ઘરે પાલતુ કૂતરાઓ રાખે છે, શું તેમને આની પરવાનગી છે ખરી? એડીજીપીએ કહ્યું હતું કે જે અધિકારીઓએ હજુ સુધી આ આદેશનું પાલન નથી કર્યું તેઓ તેમના પાલતુ કૂતરાઓને એક સપ્તાહની અંદર ક્વાર્ટરની બહાર કરી દે. આદેશ મુજબ જો કોઈ કર્મચારી આમ કરવાનો ઈન્કાર કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -
    સરકારી આવાસો માંથી પાલતું શ્વાન હાંકી કાઢવાનો લેખિત આદેશ (સાભાર Opindia Hindi)

    આ આદેશને લઈને ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તજિંદર પાલ સિંહ બગ્ગાએ પંજાબની ‘આપ’ સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું હતું કે, “શું પંજાબમાં તમામ મુદ્દાઓનો અંત આવી ગયો છે? તે હવે લાચાર CM પાલતું શ્વાન પાછળ પડ્યા છે, જ્યારે તમે કોઈ પ્રાણીને ઘરમાં લાવો છો, ત્યારે તે થોડા જ સમયમાં પરિવારના સભ્ય જેવું બની જાય છે. પરંતુ એમ કહેવું છે કે તમામ પોલીસકર્મીઓએ 1 અઠવાડિયાની અંદર કૂતરાઓને તેમના ઘરમાંથી હટાવી દેવા જોઈએ. આવું માત્ર એક અસંવેદનશીલ વ્યક્તિ જ આ કરી શકે છે.”

    તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભગવંત માન જ્યાં તેઓ પાલતુ કૂતરાઓથી છુટકારો મેળવવા પર ધ્યાન આપી રહ્યા છે. તે જ સમયે, AAP ના સત્તામાં આવ્યા બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સતત કથળી રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ની જોરદાર જીત બાદ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હિંસા થઈ રહી છે. ત્યાં સુધી કે પ્રખ્યાત કબડ્ડી ખેલાડીઓ પણ આ હિંસાથી બકાત નથી રહ્યા. રાજ્યમાં ડ્રગ્સના ખુલ્લેઆમ વેચાણના વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને રાજ્યમાં ઘણા વર્ષો પછી સાંપ્રદાયિક હિંસા પણ જોવા મળી રહી છે.

    નોંધનીય છે કે ગયા મહિને પંજાબના પટિયાલામાં હિંસાના મામલામાં પોલીસે કાર્યવાહી કરી હતી અને 6 એફઆઈઆર નોંધી હતી. આ એફઆઈઆરમાં 25 લોકોના નામ હતા, જેમાંથી 3ની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં શિવસેના દ્વારા હાંકી કાઢવામાં આવેલા હરીશ સિંઘલાનો પણ સમાવેશ થાય છે, જેને કોર્ટે બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ ઉપરાંત કુલદીપ સિંહ અને દલજીત સિંહ પણ ઝડપાયા હતા.

    જણાવી દઈએ કે આ સમગ્ર હિંસાનો માસ્ટરમાઈન્ડ બરજિંદર સિંહ પરવાનાને જણાવવામાં આવ્યો હતો. પટિયાલાના આઈજી એમએસ ચિન્નાએ જણાવ્યું હતું કે, “પટિયાલામાં કાયદા વ્યવસ્થાનો ભંગ થયો હતો, જેના સંદર્ભમાં 6 FIR નોંધવામાં આવી છે અને હરીશ સિંઘલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી અને માસ્ટરમાઇન્ડ બરજિંદર સિંહ પરવાનાની પંજાબ પોલીસ દ્વારા ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં