Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચમચા, ચેલા, શકુની, જયચંદ… હવે સંસદમાં નહીં ચાલે: જાણો કયા શબ્દો અને...

    ચમચા, ચેલા, શકુની, જયચંદ… હવે સંસદમાં નહીં ચાલે: જાણો કયા શબ્દો અને વાક્યોનો ઉપયોગ અસંસદીયજાહેર થયો, વિપક્ષને લાગ્યાં મરચાં

    સંસદનું ચોમાસું સત્ર ચાલુ થાય એ પહેલાં સંસદના સેક્રેટરીએટ દ્વારા અસંસદીય શબ્દોની યાદીને અપડેટ કરવામાં આવી છે, પરંતુ વિપક્ષને હવે આ નિર્ણય માટે પણ વાંધો પડ્યો છે.

    - Advertisement -

    ભારતીય સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભામાં અનેક વાક્યોનો ઉપયોગ અસંસદીય થયો, ઘણીવાર એવું જોવા મળે છે કે નેતાઓ એકબીજા પર રાજકીય પ્રહારો કરતી વખતે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરે છે. નેતાઓ એકબીજા માટે જુમલાજીવી, બાળ બુદ્ધિ સાંસદ, શકુની, જયચંદ, વિનાશ પુરુષ જેવા શબ્દો વાપરે છે. પરંતુ હવેથી ગૃહમાં આવા અનેક શબ્દોના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. આમ આવા વાક્યોનો ઉપયોગ અસંસદીય થયો

    લોકસભા સચિવાલયે તાજેતરમાં ગૃહમાં અસંસદીય શબ્દોના ઉપયોગને લગતી પુસ્તિકા બહાર પાડી છે. જેમાં તે શબ્દોની યાદી આપવામાં આવી છે, જેનો સંસદના બંને ગૃહોમાં ઉપયોગ હવે અસંસદીય ગણાશે. પુસ્તિકા અનુસાર ‘અરાજકતાવાદી’, ‘શકુની’, ‘તાનાશાહી’, ‘જુલમી’, ‘જયચંદ’, ‘વિનાશક માણસ’, ‘ખાલિસ્તાની’ અને ‘ખૂન સે ખેતી’ જેવા શબ્દોના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે. જો ગૃહમાં ચર્ચા દરમિયાન આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો સંબંધિત વ્યક્તિને બહાર કાઢી શકાય છે.

    સંસદની પુસ્તિકામાં આટલા અસંસદીય શબ્દોનો સમાવેશ

    - Advertisement -

    સંસદમાં બિનસંસદીય શબ્દોમાં જાહેર કરવામાં આવેલ શબ્દોમાં શરમજનક, દુર્વ્યવહાર, ભ્રષ્ટ, નાટક, પાખંડ, અક્ષમ, બેવડું, ચારિત્ર, નકામા નોટંકી, ઢંઢેરો પીટવો, બહેરી સરકાર, રક્તપાત, ખૂની, વિશ્વાસઘાત, શર્મિંદા, દુર્વ્યવહાર, દગો, ચમચા, ચમચાગીરી, ચેલા, બચકાના, ભ્રષ્ટ, કાયર, અપરાધી, મગરના, આંસુ, અપમાન, ગધો, નાટક, ચક્કર, ગુંડાગર્દી,પાખંડ, ભ્રામક, જૂઠું અસત્ય અરાજકતાવાદી ગદર ગીરગીટ ગુંડા, ઘડિયાળી આંસુ, અપમાન, અસત્ય, અહંકાર, કાળો દિવસ, કાળા બઝાર, અને ખરીદ ફારોખ્ત જેવા શબ્દો લોકસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલી પુસ્તિકામાં અસંસદીયનાં રુપે ઉમેરવામાં આવ્યા હતા.

    પુસ્તિકા પર વિપક્ષ આક્રમક બન્યો

    આ પુસ્તિકા પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા ટ્વિટ કર્યું છે. ન્યૂ ઈન્ડિયા પર કટાક્ષ કરતા, તેમણે લખ્યું, “ધ ન્યૂ ડિક્શનરી ઑફ ન્યૂ ઈન્ડિયા, અસંસદીય, ચર્ચાઓ અને ચર્ચાઓમાં વપરાતા શબ્દોનો ઉલ્લેખ કરે છે, જે પીએમની કામગીરીનું સચોટ વર્ણન કરે છે, જેમને હવે બોલવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.” તેમણે લખ્યું, “જુમલાજીવી સરમુખત્યાર જ્યારે તેના જુઠ્ઠાણા અને અસમર્થતાનો પર્દાફાશ થવા પર મગરના આંસુ વહાવ્યા.”

    રાહુલ ગાંધી ઉપરાંત ડેરેક ઓ બ્રાયન, મહુઆ મોઇત્રા, પ્રિયંકા ચતુર્વેદી સહિતના વિપક્ષી નેતાઓએ પણ આ પુસ્તિકાને લઈને મોદી સરકારની ટીકા કરી છે. ટીએમસીના સાંસદ ડેરેક ઓ’બ્રાયને કહ્યું, “સત્ર થોડા દિવસોમાં શરૂ થવાનું છે. સાંસદો પર જારી કરાયેલા આ આદેશ બાદ હવે અમને સંસદમાં ભાષણ આપતી વખતે આ મૂળભૂત શબ્દોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. શરમજનક, દુર્વ્યવહાર, વિશ્વાસઘાત, ભ્રષ્ટ, દંભી, અસમર્થ વગેરે આ બધા શબ્દો હું વાપરીશ, મને સસ્પેન્ડ કરો. હું લોકશાહી માટે લડીશ.”

    શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, “આ શબ્દો બોલવાથી અસંસદીય માનવામાં આવશે, તેણે બસ વાહ મોદી જી વાહ સાથે જોડીને અહીં જ છોડી દો.” ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું, “બેસી જાઓ, બેસી જાઓ, પ્રેમથી બોલો. સંસદ માટે બિનસંસદીય શબ્દોની નવી યાદીમાં સંઘીનો સમાવેશ કરાયો નથી. ભાજપ ભારતને કેવી રીતે બરબાદ કરી રહ્યું છે તેનું વર્ણન કરવા માટે વિપક્ષ દ્વારા ઉપયોગમાં લેવાતા તમામ શબ્દો પર સરકાર પ્રતિબંધ લગાવી રહી છે.”

    વિપક્ષનાં હોબાળા પર લોકસભાના અધ્યક્ષનું નિવેદન

    લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સમગ્ર મામલે કહ્યું હતું કે “જે શબ્દો કાઢી નાખવામાં આવ્યા છે તે વિપક્ષો તેમ જ સત્તામાં રહેલા પક્ષ દ્વારા સંસદમાં બોલાયા અને ઉપયોગમાં લેવાયા છે. માત્ર વિપક્ષ દ્વારા ઉપયોગમાં લેવાતા શબ્દોને પસંદગીયુક્ત દૂર કરવા જેવું કંઈ નથી”

    આ ઉપરાંત ઓમ બિરલાએ કહ્યું હતું કે “અગાઉ આવા અસંસદીય શબ્દોનું પુસ્તક બહાર પાડવામાં આવતું હતું… કાગળનો બગાડ ન થાય તે માટે આ વખતે અમે તેને ઇન્ટરનેટ પર મૂક્યું છે. કોઈ શબ્દ પર પ્રતિબંધ નથી, અમે કાઢી નાખેલા શબ્દોનું સંકલન જારી કર્યું છે.”

    અસંસદીય શબ્દ શું છે

    ઉલ્લેખનીય છે કે, વર્ષ 1999માં સંસદની યાદીમાં અસંસદીય શબ્દનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન એક પુસ્તિકા તૈયાર કરવામાં આવી, જેનું નામ અસંસદીય અભિવ્યક્તિ હતું. આવા ઘણા શબ્દો તેમાં સામેલ કરવામાં આવ્યા હતા, જેને અસંસદીય અભિવ્યક્તિ માનવામાં આવતા હતા.

    બંધારણની કલમ 105(2) સ્પષ્ટપણે જણાવે છે કે બંને ગૃહોના સાંસદોને આવા અસંસદીય શબ્દોનો ઉપયોગ કરવાની કોઈ સ્વતંત્રતા નથી. ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈથી શરૂ થશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં