Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમધ્યપ્રદેશ: પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર અને કોંગ્રેસ સાંસદ નકુલ નાથે મુસ્લિમ બહુમતી...

    મધ્યપ્રદેશ: પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર અને કોંગ્રેસ સાંસદ નકુલ નાથે મુસ્લિમ બહુમતી વિસ્તારમાં પ્રવેશતા પહેલા કપાળ પરથી તિલક લૂછી નાખ્યું, વિડીયો થયો વાયરલ

    આ વીડિયો પહેલા નકુલ નાથે પોતે ફેસબુક લાઈવ પર પોસ્ટ કર્યો હતો, પરંતુ તે વાયરલ થયા બાદ તેને હટાવી દેવામાં આવ્યો હતો અને ભાજપના નેતાઓએ તેની નિંદા કરી હતી.

    - Advertisement -

    બુધવારે (13 જુલાઇ), છિંદવાડાથી કોંગ્રેસના સાંસદ નકુલ નાથે તેમના કોંગ્રેસના સમર્થકો સાથે મધ્ય પ્રદેશમાં તેમના મતવિસ્તારમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં પ્રવેશતા પહેલા તેમના કપાળ પરનું તિલક લૂછીને વિવાદ ઉભો કર્યો હતો. મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથના પુત્ર નકુલ નાથ ચૂંટણી પ્રચાર માટે મધ્યપ્રદેશના પરાસિયા વિસ્તારમાં હતા.

    અહેવાલો અનુસાર, નકુલ નાથે છિંદવાડા જિલ્લાના પરાસિયામાં ઇસ્લામિક પ્રભાવિત વિસ્તારમાં પ્રવેશતા પહેલા કુમકુમ તિલક જે હિંદુ ધર્મનું મહત્વપૂર્ણ પ્રતીક છે તેને દૂર કર્યું હતું. તેને એક રૂમાલ આપવામાં આવ્યો જેનાથી તેણે કપાળ પરથી તિલક લૂછ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ભાજપના નેતાઓએ તેની ટીકા કરી હતી.

    બીજેપી દિલ્હીના પ્રવક્તા તજિન્દર પાલ સિંહ બગ્ગાએ વીડિયો ટ્વીટ કર્યો અને હિંદુ ધર્મના પ્રતીકનો અનાદર કરવા બદલ છિંદવાડા કોંગ્રેસના સાંસદની નિંદા કરી. “કમલનાથના પુત્ર નકુલ નાથે ‘તેમના’ વિસ્તારમાં પ્રવેશતા પહેલા તિલક હટાવી નાખ્યું”, તેમણે વીડિયોને કેપ્શન આપ્યું હતું.

    - Advertisement -

    બીજેપીના અન્ય એક સભ્યએ વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે કમલનાથના પુત્ર નકુલ નાથ દ્વારા તિલકને રગદોળીને કોંગ્રેસ પાર્ટીની માનસિકતા છતી કરાઇ છે. “કમલનાથના પુત્ર, નકુલનાથે આ શાંતિપૂર્ણ વિસ્તારમાં પ્રવેશતા પહેલા માત્ર તેમનું તિલક જ હટાવ્યું ન હતું, તેમણે આમ કરીને કોંગ્રેસની માનસિકતા પણ છતી કરી હતી. તેમના જેવા લોકો તેમના કિલ્લાઓ બનાવવા માટે જનતાની નિર્દોષતા પર ખવડાવેલા ગીધ છે”, તેમણે કહ્યું.

    આ વીડિયો સૌથી પહેલા નકુલ નાથે ફેસબુક લાઈવ પર પોસ્ટ કર્યો હતો. તેના દ્વારા હિન્દુઓ ગુસ્સે ભરાતા તે વિડીયો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ ગયો. દરમિયાન, કોંગ્રેસના મીડિયા સેલના પ્રભારી કે કે મિશ્રાએ નકુલ નાથનો બચાવ કર્યો અને કહ્યું કે તેઓ પ્રચાર દરમિયાન પરસેવો લૂછી રહ્યા હતા. “ભાજપના નેતાઓનું ટ્વીટ રાજકીય રીતે પ્રેરિત છે અને તે તેમની માનસિકતા દર્શાવે છે”, તેમણે કહ્યું.

    મિશ્રાએ એમ પણ ઉમેર્યું હતું કે કોઈપણ નેતા માટે રેલીઓ અને પ્રચાર દરમિયાન પરસેવો લૂછવો સામાન્ય છે અને ભાજપ તેમના રાજકીય ફાયદા માટે ‘ખૂબ જ સામાન્ય’ ઘટનાનો ઉપયોગ કરી રહી છે.

    નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને બાદમાં નકુલ નાથના ફેસબુક એકાઉન્ટ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. જો નેતા છિંદવાડામાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં પ્રવેશતા પહેલા કુમકુમ તિલક નહીં પરંતુ પોતાનો પરસેવો લૂછતા હોય તો વિડીયો અકબંધ રહેવો જોઈતો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં