Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનુપુર શર્મા બાદ હવે નવીન જિંદાલને મહારાષ્ટ્ર પોલીસનું સમન્સ: પયગંબર મોહમ્મદના કથિત...

    નુપુર શર્મા બાદ હવે નવીન જિંદાલને મહારાષ્ટ્ર પોલીસનું સમન્સ: પયગંબર મોહમ્મદના કથિત અપમાનના આરોપમાં પૂછપરછ માટે 15 જૂને બોલાવાયા

    નુપુર શર્મા બાદ હવે ભાજપના પૂર્વ નેતા નવીન જીન્દાલને પણ મુંબઈ પોલીસનું તેડું આવ્યું છે. જીન્દલે આવતા અઠવાડિયે થાણે પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું છે.

    - Advertisement -

    મોહમ્મદ પયગંબર પર કથિત ટિપ્પણીના મામલામાં દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન જિંદાલને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મહારાષ્ટ્ર પોલીસે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા નવીન જિંદાલને પયગંબર મુહમ્મદ પર તેમની ટિપ્પણી સંબંધિત એક કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. થાણે જિલ્લાના ભિવંડી પોલીસ સ્ટેશન દ્વારા જિંદાલ વિરુદ્ધ સમન્સ જારી કરવામાં આવ્યું છે.

    મહારાષ્ટ્ર પોલીસના જિંદાલ વિરુદ્ધ સમન્સ પત્રની નકલ સામે આવી છે. જે મુજબ પોલીસે જિંદાલને 15 જૂને સવારે 11:30 વાગ્યે મહારાષ્ટ્રના ભિવંડી પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે કહ્યું છે. આ સાથે તેમને પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન તેમણે એવું કોઈ કામ ન કરવું જોઈએ, જેનાથી તપાસમાં અડચણો ઉભી થાય. પુરાવાનો નાશ ન કરવા અને તેની સાથે છેડછાડ ન કરવા પણ કહેવામાં આવ્યું છે. તેમની સામે IPC 295(A) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જિંદાલ પહેલા થાણે જિલ્લાના મુંબ્રા પોલીસ સ્ટેશન દ્વારા ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માને 22 જૂને વ્યક્તિગત રીતે જુબાની આપવા માટે સમન્સ પાઠવ્યું હતું.

    થાણે પોલીસે નવીન જિંદાલને પાઠવેલું સમન્સ (ફોટો: ऑपइंडिया)

    નોંધનીય છે કે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા અને નવીન જિંદાલ દ્વારા કથિત રીતે પયગંબર મુહમ્મદ વિશે ટિપ્પણી કરવાના મામલામાં ઘણા ઇસ્લામિક દેશોએ આ મામલો ભારત સરકાર સમક્ષ મુખ્ય રીતે ઉઠાવ્યો હતો. ત્યારબાદ, ભારતીય જનતા પાર્ટીએ પ્રોફેટ મુહમ્મદ પરના તેમના નિવેદનો અને કથિત રીતે ઇસ્લામિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ 5 જૂનના રોજ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા અને નવીન કુમાર જિંદાલને પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા. બંને નેતાઓએ એમ કહીને માફી માંગી હતી કે તેમનો કોઈ ધાર્મિક સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો.

    - Advertisement -

    જણાવી દઈએ કે નવીન કુમાર જિંદાલ અને નુપુર શર્મા વિરુદ્ધ પયગંબર મોહમ્મદ વિશે ટિપ્પણી કરવા બદલ ઘણા કેસ નોંધાયેલા છે. આતંકવાદી સંગઠન અલ કાયદા સહિત અનેક ઈસ્લામિક સંગઠનોએ નેતાઓ અને તેમના પરિવારોને મારી નાખવાની ધમકી આપી છે.

    દિલ્હી પોલીસે બુધવારે પૂર્વ ભાજપના પ્રવક્તા નુપુર શર્મા, પૂર્વ ભાજપ નેતા નવીન કુમાર જિંદાલ, ‘પત્રકાર’ સબા નકવી અને અન્ય કેટલાક લોકો સામે સાયબર સ્પેસમાં અશાંતિ ફેલાવવાના ઈરાદાથી ખોટી માહિતીનો પ્રચાર કરવા બદલ FIR નોંધી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં