Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભાજપ મહારાષ્ટ્રના તેના 106 ધારાસભ્યોને અમદાવાદ મોકલે તેવી શક્યતા, દેવેન્દ્ર ફડણવીસ અને...

    ભાજપ મહારાષ્ટ્રના તેના 106 ધારાસભ્યોને અમદાવાદ મોકલે તેવી શક્યતા, દેવેન્દ્ર ફડણવીસ અને પાર્ટીના ટોચના નેતાઓ એકનાથ શિંદેને મળે તેવી સંભાવના

    અગાઉ પણ મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકારો તૂટી અને ભાજપની સરકાર બની હતી.

    - Advertisement -

    ભાજપ મહારાષ્ટ્રના તેના 106 ધારાસભ્યોને અમદાવાદ મોકલે તેવી અટકળો ચાલી રહી છે, મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે , ભારતીય જનતા પાર્ટી (BJP) તેના તમામ 106 ધારાસભ્યોને અમદાવાદ ખસેડવાના અહેવાલો સામે આવ્યા છે. અહેવાલ મુજબ, મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય ધારાસભ્યોને મળે તેવી શક્યતા છે, જેઓ ગઈ રાતથી સુરતમાં ધામા નાખ્યા છે.ભાજપ મહારાષ્ટ્રના તેના 106 ધારાસભ્યોને શિંદેના ધારાસભ્યોને મ્લાવશે.

    શિવસેનાના કદાવર નેતા એકનાથ શિંદેના પક્ષ સામે બળવો અને એમવીએ ગઠબંધનને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ મચ્યા બાદ, આખરે ભાજપ પણ આ દ્રશ્યમાં પ્રવેશી રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. એબીપી માઝાએ અહેવાલ આપ્યો છે કે સુરતની લે મેરિડીયન હોટલમાં શિંદેની સાથે 35 જેટલા ધારાસભ્યો હોવાની શક્યતા છે .

    મહારાષ્ટ્ર વિપક્ષના નેતા અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, જે રાજ્યસભા અને મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં સફળ વિજય મેળવ્યા પછી દિલ્હીમાં છે, હવે શિંદેની આગેવાની હેઠળના બળવાખોર શિવસેના જૂથને મળવા અમદાવાદ પહોંચશે. રિપબ્લિકના અહેવાલ અનુસાર, ભાજપ મહારાષ્ટ્ર વિધાનસભામાંથી તેના તમામ 106 ધારાસભ્યોને અમદાવાદ મોકલે તેવી પણ શક્યતા છે.

    - Advertisement -

    એકનાથ શિંદેએ બળવાખોરો સાથે પરામર્શ કરવા માટે સુરત મોકલેલા ઉદ્ધસ્વ ઠાકરેના સહાયક મિલિંદ નાર્વેકરને મળવાનો ઇનકાર કર્યો હોવાનું કહેવાય છે. અહેવાલ મુજબ, શિંદે જુથના શિવસેના નેતાઓને દેવેન્દ્ર ફડણવીસને મળવા માટે સુરતથી અમદાવાદ એરલિફ્ટ કરવામાં આવી શકે છે. એબીપી માઝાના અગાઉના અહેવાલો અનુસાર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા પણ ફડણવીસની સાથે શિંદે જૂથ સાથે વાતચીત કરવા અમદાવાદ આવી શકે છે.

    રિપબ્લિક દ્વારા અહેવાલ મુજબ, ગુજરાત રાજ્ય ભાજપના નેતાઓ એકનાથ શિંદેના સંપર્કમાં છે અને સુરતમાં મોટી રાજકીય ફેરબદલ થવાની તૈયારીમાં છે. ગઈકાલે મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપે પાંચ બેઠકો કબજે કર્યા બાદ હવે શિવસેનાના પચ્ચીસેક જેટલા ધારાસભ્યો સંપર્કવિહોણા બની ગયા છે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી એકનાથ શિંદે કેટલાક ધારાસભ્યોને લઈને સુરત પહોંચ્યા

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં