Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકન્હૈયાલાલનું લોકેશન પાડોશી નાઝીમે વોટ્સએપ પર લીક કર્યું હતું: કાશ્મીરી હિંદુઓ સાથે...

    કન્હૈયાલાલનું લોકેશન પાડોશી નાઝીમે વોટ્સએપ પર લીક કર્યું હતું: કાશ્મીરી હિંદુઓ સાથે જે થયું હતું તેવુજ કઈક ઉદયપુરમાં પણ થયું

    ટીવી9 નેટવર્કના એક્ઝિક્યુટિવ એડિટર આદિત્ય રાજ ​​કૌલે રાજસ્થાન પોલીસની નિષ્ક્રિયતા પર અનેક સવાલો ઉઠાવ્યા છે.

    - Advertisement -

    કન્હૈયાલાલનું લોકેશન પાડોશી નાઝીમે વોટ્સએપ પર લીક કર્યું હતું, 28 જૂનના રોજ, કન્હૈયા લાલ નામના હિન્દુ દરજીની ભારતીય જનતા પાર્ટી (BJP) ના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં કરેલી પોસ્ટ બદલ મોહમ્મદ રિયાઝ અખ્તર અને મોહમ્મદ ગોસ તરીકે ઓળખાતા બે કટ્ટર ઇસ્લામવાદીઓ દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં ખુલાસો થયોછે કે કન્હૈયાલાલનું લોકેશન પાડોશી નાઝીમે વોટ્સએપ પર તેના પાડોશી નાઝિમ દ્વારા વાયરલ કરવામાં આવ્યું હતું જેણે કથિત પોસ્ટ માટે કન્હૈયા લાલ વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી.

    15 જૂન, 2022 ના રોજ નાઝિમની પ્રારંભિક ફરિયાદના પાંચ દિવસ પછી કન્હૈયાલે કાનૂની કાર્યવાહી માટે પોલીસનો સંપર્ક કર્યો હતો અને રક્ષણની માંગ કરી હતી. પોલીસને આપેલી અરજીમાં તેણે જણાવ્યું હતું કે ફરિયાદના થોડા દિવસો પહેલા તેના પુત્રએ તેના મોબાઈલ ફોન પર ગેમ રમતી વખતે આકસ્મિક રીતે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી. ત્યાર બાદ કન્હૈયાલાલનું લોકેશન પાડોશી નાઝીમે વોટ્સએપ પર લીક કર્યું હતું.

    પોસ્ટ કર્યાના બે દિવસ પછી, બે શખ્સો તેમની દુકાન પર આવ્યા અને તેમનો ફોન જોવાની માંગણી કરી હતી, જેના જવાબમાં કન્હૈયા લાલે કહ્યું હતું કે તેને ફોન વાપરતા નથી આવડતું, અને તેનો પુત્ર ફોનનો ઉપયોગ ગેમ રમવા માટે કરે છે. ધમકાવવા આવેલા લોકોએ પોસ્ટ ડીલીટ કરીને ફરી ધ્યાન રાખવાની ચેતવણી આપી હતી.

    - Advertisement -
    ક્ન્હૈયાલાલે દાખલ કરેલ ફરિયાદની કોપી (સાભાર Opindia English)

    11 જૂન, 2022 ના રોજ, તેમને ધનમંડી પોલીસ સ્ટેશનમાંથી તેમની વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ વિશે ફોન આવ્યો. તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો, અને ત્યાં પહોંચીને તેણે જોયું કે તેની વિરુદ્ધ તેના પાડોશી નાઝીમે ફરિયાદ નોંધાવી હતી. તેણે કન્હૈયાલાલને કહ્યું કે તેણે ફરિયાદ તેના સમુદાયના દબાણ હેઠળ દાખલ કરી છે. નાઝિમે એવો પણ દાવો કર્યો હતો કે તે જાણતો હતો કે કન્હૈયાલાલને ફોન કેવી રીતે ઓપરેટ કરવો તે ખબર નથી અને તે પોસ્ટ શેર ન કરી શકે.

    ક્ન્હૈયાલાલે દાખલ કરેલ ફરિયાદની કોપી (સાભાર Opindia English)

    બાદમાં લાલને ખબર પડી કે નાઝીમ અને તેના સમુદાયના અન્ય પાંચ લોકો તેની દુકાનની રેકી કરી રહ્યા છે. અને તેઓએ તેને દુકાન ખોલવા દીધી ન હતી. કન્હૈયાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે પાંચથી સાત લોકો તેની દુકાન પર રેકી કરતા હતા અને જો તે દુકાન ખોલશે તો તેણે મારી નાંખવામાં આવશે.

    કન્હૈયા લાલે તેની ફરિયાદમાં વધુમાં આક્ષેપ કર્યો હતો કે નાઝીમ અને અન્ય લોકોએ તેમના સમુદાયના જૂથોમાં તેમના ફોટોગ્રાફ અને સરનામા સહિતની માહિતી લીક કરી હતી. તેઓએ કથિત રૂપે સમુદાયના સભ્યોને ઉશ્કેર્યા હતા કે જો તેઓ કન્હૈયાલાલને ક્યાંય જોવે અથવા જો તે દુકાન ખોલે તો તેને મારી નાખવો. ક્ન્હૈયાએ કહ્યું હતું કે, “તેઓ મારા પર મારી દુકાન ન ખોલવા માટે દબાણ કરી રહ્યા છે. જો હું મારી દુકાન ખોલીશ તો તેઓ મને મારી નાખશે”. તેણે પોલીસને તેની દુકાન ખોલવામાં મદદ કરવા અને સુરક્ષા આપવા વિનંતી પણ કરી હતી.

    કન્હૈયાની અરજીપર પોલીસના આંખ આડા કાન

    અહેવાલો સૂચવેછે કે પોલીસે કન્હૈયાલાલની અરજી પર સુરક્ષા આપી ન હતી. એએસઆઈ ભંવરલાલે તેમને ધમકાવનારાઓને બોલાવ્યા અને કન્હૈયા લાલ અને અન્ય લોકો વચ્ચે ‘સમાધાન’ કરાવ્યું. તેણે લાલને કહ્યું કે કંઈ થશે નહીં કારણ કે લાલ અને બીજા પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું છે. તેણે કન્હૈયાલાલને કહ્યું કે તમે ધ્યાન રાખજો અને જો કંઈ પણ શંકાસ્પદ હોય તો પોલીસને જાણ કરજો.

    કન્હૈયાલાલે પોલીસને એક પત્ર પણ સુપરત કર્યો હતો કે સમાધાન થયું હોવાથી તે પાંચેય સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવા માંગતા નથી. હવે કન્હૈયા લાલની હત્યા થયા પછી, એએસઆઈ ભંવરલાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને એડીજી કાયદો અને વ્યવસ્થા હવાસિંગ ઘુમરિયાએ જણાવ્યું હતું કે તેઓ સમાધાનના કરાર પર હસ્તાક્ષર કરનાર પાંચની પૂછપરછ કરશે કે સમાધાન છતાં ઘટના કેવી રીતે બની.

    કન્હૈયાલાલ દ્વારા કાર્યવાહી ન કરવા માટે આપેલ પત્ર (સાભાર Opindia English)

    રાજસ્થાન પોલીસ અને વહીવટીતંત્રની નિષ્ક્રિયતા પર સવાલ

    આ મામલે રાજસ્થાન પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠી રહ્યા છે. ટીવી9 નેટવર્કના એક્ઝિક્યુટિવ એડિટર આદિત્ય રાજ ​​કૌલે રાજસ્થાન પોલીસની નિષ્ક્રિયતા પર અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે સવાલ કર્યો હતો કે કન્હૈયા લાલને સુરક્ષા કેમ આપવામાં આવી નહોતી. વધુમાં, કન્હૈયાલાલને ધમકી આપનારા 5-7 ઈસ્લામીઓની પોલીસે ધરપકડ કેમ ન કરી. તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે રાજસ્થાન સરકાર સમયસર કાર્યવાહી ન કરનાર પોલીસની જવાબદારી નક્કી કરવામાં કેમ નિષ્ફળ રહી. તેમણે પ્રશ્ન કર્યો કે શું ગુનેગારોને બચાવવા માટે રાજકીય દબાણ હતું.

    કાશ્મીરી હિંદુઓને પણ તેમના જ પડોશીઓ દ્વારા દગો આપવામાં આવ્યો હતો

    જે રીતે કન્હૈયા લાલનું લોકેશન લીક કરવામાં આવ્યું હતું, અને જે રીતે તેને ધમકી આપવામાં આવી હતી અને જે રીતે તેની હત્યા કરવામાં આવી, તે હિજરત દરમિયાન કાશ્મીરી હિંદુઓ સાથે જે બન્યું હતું તેના જેવું જ છે. આ ઘટના 1990 ની ઘાતકી હત્યા જેવી જ છે જ્યારે આતંકવાદીઓ એન્જિનિયર બી.કે ગંજૂને શોધતા આવ્યા હતા, તેઓ ચોખાના પીપમાં છુપાયેલા હતા. જો તેમના પોતાના પાડોશીઓ દ્વારા આતંકવાદીઓને તેનું સ્થાન જાહેર ન કર્યું હોત, તો તે આજે જીવતા હોત. તેમને આતંકવાદીઓએ ઠાર માર્યા હતા, ચોખાના બેરલ પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને પીપમાંથી લોહી વહ્યું હતું. લોહીમાં લથપથ ચોખા પછી ગંજુની પત્નીને બળપૂર્વક ખવડાવવામાં આવ્યા હતા. ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં પણ આ ઘટનાને દર્શાવવામાં આવી હતી.

    અન્ય પીડિત ગિરિજા ટિકૂને પણ તેના સાથીદારોએ તેના પગારનો ચેક વસૂલવા માટે બોલાવ્યા હતા. અહેવાલો મુજબ, તેણીની હિલચાલની જાણ સ્થાનિક ઇસ્લામવાદીઓને કરવામાં આવી હતી અને ટિકૂનું એક સાથીદારના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું, બાદમાં લાકડા કાપવાની કરવતથી તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી,

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં