Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકન્હૈયાલાલની ઘાતકી હત્યા માટે નુપુર શર્માને જવાબદાર ગણાવનાર સુપ્રિમ કોર્ટના જજીઝમાંથી એક...

    કન્હૈયાલાલની ઘાતકી હત્યા માટે નુપુર શર્માને જવાબદાર ગણાવનાર સુપ્રિમ કોર્ટના જજીઝમાંથી એક પારડીવાળા અનામત અંગે પણ અતાર્કિક ટિપ્પણી કરી ચુક્યા છે

    આજે સુપ્રિમ કોર્ટમાં નુપુર શર્માને જ ઉદયપુરના કન્હૈયાલાલની નિર્મમ હત્યા માટે જવાબદાર ઠેરવનાર જસ્ટીસ પારડીવાલા અગાઉ પણ આ પ્રકારના તાર્કિક અનુમાનો કરી ચુક્યા છે.

    - Advertisement -

    કન્હૈયાલાલની ઘાતકી હત્યા માટે નુપુર શર્માને જવાબદાર ગણાવનાર સુપ્રીમ કોર્ટના જજ જેબી પારડીવાળાએ શુક્રવારે (1 જુલાઈ 2022) ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને સખત ઠપકો આપ્યો હતો. પ્રોફેટ મુહમ્મદ વિશેની ટિપ્પણીને કારણે ન્યાયાધીશે તેમને ઉદયપુર હત્યાકાંડ માટે દોષિત ઠેરવ્યા હતા. હકીકતમાં, આ મામલાની સુનાવણી કરતી વખતે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું હતું, “નુપુર શર્માના નિવેદનો ઉશ્કેરણીજનક હતા. દેશમાં જે કંઈ થઈ રહ્યું છે તેના માટે માત્ર આ મહિલા જ જવાબદાર છે. આ માટે તેણે દેશની માફી માંગવી જોઈએ.” સાથે જ હાલ જજનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે.

    જ્યારે એ વાત લગભગ બધાને ખબર છે કે ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલ તેલીનું ગળું મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ દ્વારા કાપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ વીડિયો બનાવીને આખી દુનિયાની સામે આ જઘન્ય હત્યાની જવાબદારી લીધી હતી.

    આ પહેલા જસ્ટિસ જમશેદ બુર્જોર પારડીવાળા અનામત પર પણ ‘ધડ-માથા વગરની’ ટીપ્પણી કરીને ચર્ચામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના બે જજ પૈકીના એક જસ્ટિસ જે.બી. પારડીવાળા એક સમયે ગુજરાત હાઈકોર્ટના જજ હતા. તે સમયે ગુજરાત હાઈકોર્ટના જજ પારડીવાળાને હટાવવા માટે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની પણ માંગ કરવામાં આવી હતી, જેમણે કહ્યું હતું કે ‘અનામતથી દેશ બરબાદ થયો છે’. ડિસેમ્બર 2015માં, રાજ્યસભામાં 58 સાંસદોએ અધ્યક્ષ હામિદ અંસારીને જે.બી. પારડીવાળા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવની માગણી કરતી અરજી સબમિટ કરી હતી. જો કે, અરજીને પગલે, ન્યાયાધીશે તેમના ચુકાદામાંથી અવલોકનોને “સંબંધિત અને જરૂરી” ન હોવાનું કહીને હટાવી દીધી હતી.

    - Advertisement -

    વાસ્તવમાં, તેમણે હાર્દિક પટેલના કેસમાં કહ્યું હતું કે, “જો કોઈ મને બે એવી બાબતો કહેવાનું કહે કે જેણે દેશને બરબાદ કર્યો છે અથવા જેણે દેશને સાચી દિશામાં આગળ વધવા દીધો નથી, તો હું કહીશ કે તે અનામત અને ભ્રષ્ટાચાર છે. ” અધ્યક્ષ હામિદ અંસારી સમક્ષ કરેલી અરજીમાં સાંસદોએ કહ્યું હતું કે ન્યાયાધીશના કહેવા પ્રમાણે, “જ્યારે બંધારણ ઘડવામાં આવી રહ્યું હતું, ત્યારે કહેવામાં આવ્યું હતું કે અનામત દસ વર્ષ માટે રહેશે. પરંતુ આઝાદીના 65 વર્ષ પછી પણ તે યથાવત છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે 10 વર્ષની મર્યાદા કેન્દ્ર અને રાજ્યની વિધાનસભાઓમાં એસસી અને એસટીના પ્રતિનિધિત્વ પર હતી, શિક્ષણ અને રોજગારના ક્ષેત્રમાં નહીં.”

    જસ્ટિસ પીએસ નરસિમ્હા મે 2028માં નિવૃત્ત થશે ત્યારે જસ્ટિસ જેબી પારડીવાળા ભારતના ચીફ જસ્ટિસ બનવાની તૈયારીમાં છે. તેમનો કાર્યકાળ 11 ઓગસ્ટ 2030 સુધી રહેશે. તેમણે 1989 માં વકીલાતના વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો. તેઓ તેમના પરિવારની ચોથી પેઢી છે જે વકીલાતના વ્યવસાયમાં છે.

    ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના ઉદયપુરમાં 28 જૂન 2022ના રોજ કન્હૈયાલાલની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ દરજીની દુકાનમાં ઘૂસી ગયા હતા અને તેમનું ગળું કાપી નાખ્યું હતું. હત્યારાઓએ આ ભયાનક ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. આ કેસમાં કન્હૈયા લાલના 20 વર્ષના પુત્ર દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં પણ ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે.

    આ મુજબ, ઇસ્લામિક હત્યારાઓએ હુમલા પહેલા તેને કહ્યું હતું કે તેં અમારા પયગંબર વિરુદ્ધ લખ્યું છે, તેથી તને જીવવાનો કોઈ અધિકાર નથી. તમને કાફર હિંદુઓને અમે અંત સુધી લાવીશું. ન્યૂઝ18 અનુસાર, દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં, કન્હૈયા લાલના પુત્રનું કહેવું છે કે, “આ 2 હત્યારાઓ દેશના લોકોમાં આતંક અને તણાવ ફેલાવીને નિર્દય હત્યાઓ કરવાની ગેંગ ચલાવે છે. તેઓએ સંપૂર્ણ પ્લાનિંગ સાથે મારા પિતાની હત્યા કરી. આ પછી તેણે અન્ય લોકોને પણ ધમકી આપી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં