Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઝારખંડના એક જિલ્લામાં મુસ્લિમ બાળકોની સંખ્યા વધતા કટ્ટરવાદીઓનું શાળાઓ પર દબાણ: 100થી...

    ઝારખંડના એક જિલ્લામાં મુસ્લિમ બાળકોની સંખ્યા વધતા કટ્ટરવાદીઓનું શાળાઓ પર દબાણ: 100થી વધુ સરકારી શાળાઓમાં રવિવારને બદલે શુક્રવારે અપાય છે રજા

    શરૂઆતમાં કેટલાંક બાળકોના વાલીઓએ શુક્રવારે જુમ્માનું કારણ આપીને શાળામાં તે દિવસે રજા આપવા માટે દબાણ કર્યું હતું. જે બાદ શાળા સમિતિએ બેઠક કરીને શુક્રવારે રજા અને રવિવારે શાળા ચાલુ રાખવાનું ફરમાન બહાર પાડી દીધું હતું.

    - Advertisement -

    દેશભરની શાળાઓ અને સરકારી કચેરીઓમાં અઠવાડિક રજા રવિવારે મળે છે પરંતુ ઝારખંડમાં એક જિલ્લાની સરકારી શાળાઓમાં રવિવારને બદલે શુક્રવારે રજા આપવામાં આવી રહી છે. જેમાંથી મોટાભાગની શાળાઓમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. 

    દૈનિક જાગરણના એક રિપોર્ટ અનુસાર, ઝારખંડના જામતાડા જિલ્લામાં જેમ-જેમ મુસ્લિમ વસ્તી વધતી ગઈ તેમ સરકારી શાળાઓમાં અઠવાડિક રજા રવિવારને બદલે શુક્રવારે મળવા માંડી હતી. રિપોર્ટ અનુસાર, હાલ 100 થી વધુ સરકારી શાળાઓ મુસ્લિમ બાળકોની સંખ્યા વધુ હોવાના કારણે રવિવારને બદલે શુક્રવારે બંધ રહે છે. આ શાળાઓ ઉર્દુ વિદ્યાલયો નથી કે ન તેમને તંત્ર તરફથી શુક્રવારે શાળા બંધ કરવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. 

    સ્થાનિક લોકો અને શાળા મેનેજમેન્ટ સમિતિ દ્વારા આ સરકારી શાળાઓમાં રજા શુક્રવારે કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. શરૂઆતમાં કેટલાંક બાળકોના વાલીઓએ શુક્રવારે જુમ્માનું કારણ આપીને શાળામાં તે દિવસે રજા આપવા માટે દબાણ કર્યું હતું. જે બાદ શાળા સમિતિએ બેઠક કરીને શુક્રવારે રજા અને રવિવારે શાળા ચાલુ રાખવાનું ફરમાન બહાર પાડી દીધું હતું. જે બાદ ધીમે-ધીમે અઘોષિત રીતે આ નિયમ જેવો જ બની ગયો છે. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, જિલ્લામાં અનેક મુસ્લિમ બહુમતી ધરાવતાં ગામોમાં એવી શાળાઓ છે જ્યાં ન તો ઉર્દુ શિક્ષણ ચાલે છે કે ન કોઈ ઉર્દુ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. પરંતુ મુસ્લિમ બાળકોની વસ્તી 70 ટકાથી વધુ હોવાના કારણે શાળા સમિતિએ પોતાની રીતે જ આ શાળાઓને ઉર્દુ સ્કૂલ ઘોષિત કરીને અઠવાડિક રજા પણ રવિવારની જગ્યાએ શુક્રવારે નક્કી કરી દીધી છે.

    એક તસ્વીર પણ સામે આવી છે, જેમાં મધ્યાહન ભોજન માટેનું મેનુ જોવા મળે છે. જેમાં સાત વારની સામે જે-તે દિવસે ભોજનમાં શું બનાવવામાં આવશે તે લખવામાં આવ્યું છે. જેમાં શુક્રવારની સામે ‘જુમ્મા’ અને ‘અવકાશ’ લખેલું જોવા મળે છે, જ્યારે રવિવારની સામે ભોજનની વિગતો લખેલી દેખાય છે.

    jagran
    તસ્વીર સાભાર: દૈનિક જાગરણ

    ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ બાબુલાલ મરાંડીએ ટ્વિટ કરીને ઝારખંડની હેમંત સોરેન સરકાર પર નિશાન સાધ્યું હતું અને સવાલો કર્યા હતા. તેમણે કહ્યું કે, પહેલાં ગઢવામાં હાથ જોડીને પ્રાર્થના કરવાની પદ્ધતિ રોકવાના સમાચાર અને હવે જામતાડા જિલ્લામાં રવિવારને બદલે બળજબરીથી શુક્રવારે શાળા બંધ કરાવવા સાથે જ સામાન્ય વિદ્યાલયો પર જાતે જ ઉર્દુ શાળાઓનું બોર્ડ લખાવી દેવું. સાથે તેમણે મુખ્યમંત્રી સોરેનને પણ પ્રશ્ન કર્યો હતો અને આવી કાર્યવાહી પર રોક લગાવવાની અને અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ઝારખંડના ગઢવા જિલ્લામાં સરકારી શાળામાં થતી પ્રાર્થનામાં બાળકોને હાથ જોડવાની પદ્ધતિ પર રોક લગાવી દેવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, કેટલાક કટ્ટરપંથી મુસ્લિમોએ જઈને પ્રાર્થનામાં હાથ જોડવા પર રોક લગાવવા માટે દબાણ કર્યું હતું અને કહ્યું હતું કે શાળામાં 75 ટકા મુસ્લિમ બાળકો ભણતા હોવાથી પ્રાર્થના પણ તેમના કહ્યા અનુસાર જ થશે. આ મામલે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે જિલ્લાતંત્રની નોટીસ પાઠવી સાત દિવસમાં જવાબ માંગ્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં