Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ગુજરાત ભાજપની પ્રયોગશાળા છે' - ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પોતાના...

    ‘ગુજરાત ભાજપની પ્રયોગશાળા છે’ – ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પોતાના એક દિવસીય ગુજરાત પ્રવાસમાં સ્વીકાર્યું

    ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાતની યાત્રા પર હતા અને તેમણે સ્વીકાર કર્યો છે કે ભાજપ માટે ગુજરાત એ પ્રયોગશાળા છે.

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે પોતાના એક દિવસીય ગુજરાત પ્રવાસ પર છે. ગાંધીનગર કોબા ખાતે પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ પર પત્રકારોને સંબોધતા એમણે સ્વીકાર્યું કે ગુજરાત ભાજપની પ્રયોગશાળા છે અને ગુજરાતમાં સફળ જતાં પ્રયોગો અમે દેશભરમાં લાગુ પાડીએ છીએ.

    ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા એક દિવસીય ગુજરાતની મુલાકાતે છે. સંપૂર્ણ દિવસ તેઓ ભાજપના સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી રહ્યા છે તેમજ અનેક કાર્યક્રમોમાં વ્યસ્ત છે.

    જેપી નડ્ડાએ જણાવ્યું કે પ્રજાનો વિષય હોય કે પાર્ટીનો ગુજરાત ભાજપની પ્રયોગશાળા છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીજીએ જે ગવર્નન્સ મોડલ સ્થાપિત કર્યુ છે તેનું પ્રતિબીંબ દેશમાં જોવા મળે છે. આંતરાષ્ટ્રીય સમુદાય ગુજરાતમાં આવે છે, ગુજરાતમાં રોકાણ કરે છે અને ગુજરાત મોડલને સમજવાનો પ્રયાસ કરે છે.

    - Advertisement -

    જે.પી. નડ્ડાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીનો સી.આર. પાટીલના નેતૃત્વમાં રાજ્યમાં વ્યાપ થયો છે. રાજ્યમાં પેટા ચૂંટણીઓ હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અમે તમામ ચૂંટણીઓ જીત્યા છે.  રાજ્યમાં ભાજપનો દેખાવ 90 ટકા જીતનો રહ્યો છે. આના પરથી આગામી વિધાનસભા ચૂંટણીના પરિણામ ઘણા સ્પષ્ટ છે. ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત છે.

    ગુજરાત ભાજપની પ્રયોગશાળા છે.

    નડ્ડાએ એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે “ગુજરાત ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા છે. પક્ષ કે પ્રસાશન બંને મુદ્દે ગુજરાત ભાજપની પ્રયોગશાળા છે. અમે અહીંયા કરેલા કામ પર જીત મેળવીએ છીએ. અમારા નેતા વડાપ્રધાન મોદીના કાર્યો પર જીત મેળવીએ છીએ. સરકારના શાસન પર જીત મેળવીએ છીએ.

    ગુજરાત સરકારના વિવિધ નાણાકીય વ્યવસ્થાપનોને પીએન જે પી નડ્ડાએ પ્રેસ કોન્ફ્ર્ન્સ દરમિયાન વધાવ્યા હતા.

    ભારતીય જનતા પાર્ટી જાતિવાદ, સંપ્રદાયવાદ, ક્ષેત્રવાદ, પરિવારવાદના રાજકારણને જો કોઈએ ટક્કર આપી હોય તો પીએમ મોદીના વિકાસવાદે આપી છે. આજે આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટી ગામ, ગરીબ, વંચિત, શોષિત, દલિતને રાહત આપનારા પંથે છે. ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાનના નેતૃત્વમાં પોતાનું યોગદાન આપ્યું છે.”

    વડાપ્રધાન મોદીએ રાજકારણની દશા અને દિશા બંને બદલી દીધી છે.

    “પીએમ મોદીજીએ રાજનીતિની દિશા બદલવાનું કાર્ય કર્યુ છે. અગાઉની ચૂંટણીના એજન્ડા જાતિવાદ, સંપ્રદાયવાદ વગેરે રહેતા હતા. આજના સમયમાં ચૂંટણીના એજન્ડા રિપોર્ટ કાર્ડ હોય છે. રાજનીતિની સંસ્કૃતિમાં બદલાવ આવ્યો એવું અમે કહીએ છીએ તે ફક્ત કહેવા પૂરતું હોતું નથી. ઉદાહરણ તરીકે કોરોનાકાળમાં વડાપ્રધાન મોદીના ગવર્નન્સના કારણે દેશને આ મોટી મહામારીમાંથી બહાર નીકળવાનો માર્ગ આસાનીથી મળ્યો.” નડ્ડાએ કહ્યું.

    નડ્ડાએ ઉમેર્યુ કે “એક સમય હતો કે અગાઉ રસી બનતા દાયકાઓ લાગતા. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દાયકાઓમાં નહોતું થયું એ કામ થયું છે. ભારતનો રસીકરણ કાર્યક્રમ વિશ્વનો સૌથી મોટો અને સૌથી ઝડપી રસીકરણ કાર્યક્રમ છે. આ વડાપ્રધાન મોદીના નેતૃત્વનું પરિણામ છે.”

    કોરોનાકાળમાં ભાજપ હમેશા પ્રજા વચ્ચે રહ્યું.

    જે.પી.નડ્ડાએ જણાવ્યું કે “કોરોનાકાળમાં ભાજપ સિવાય કોઈ રાજકીય પક્ષના કાર્યકરો મેદાને નહોતા. ભાજપના કાર્યકરો મેદાને હતા. અન્ય રાજકીય પક્ષો તેમના કાર્યકરો ક્વોરન્ટાઈન થઈ ગયા હતા. ભાજપના લાખો કાર્યકરોએ કોરોનાકાળમાં જનજનની સેવા કરી.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં