Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમાલદીવમાં ભારત સમર્થિત યોગ કાર્યક્રમમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓએ તોફાન કર્યું, 'અલ્લાહુ અકબર'ના નારા...

    માલદીવમાં ભારત સમર્થિત યોગ કાર્યક્રમમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓએ તોફાન કર્યું, ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવતા સ્ટેડિયમમાં ઘુસ્યા

    જ્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે યુવા મંત્રી અહેમદ મહલૂફ ત્યાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા.

    - Advertisement -

    માલદીવમાં ભારત સમર્થિત યોગ કાર્યક્રમમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓએ તોફાન કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. 21મી જૂન, 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 ના રોજ, વિશ્વભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ એશિયાના માલદીવમાં ભારતીય સંસ્કૃતિ કેન્દ્ર અને યુવા અને રમતગમત સમુદાય સશક્તિકરણ મંત્રાલયના સહયોગથી યોજયેલા યોગા કાર્યક્રમમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓએ હોબાળો મચાવ્યો હતો. સ્થિતિ એટલી વણસી હતી કે પોલીસે ટીયર ગેસ છોડીને લાઠી ચાર્જ કરવો પડ્યો માલદીવમાં ભારત સમર્થિત યોગ કાર્યક્રમમાં હુલ્લડના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

    તોફાનીઓ અલ્લાહુ અકબરના નારા લગાવતા સ્ટેડિયમમાં પ્રવેશ્યા

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે માલદીવની રાજધાની માલેના ગલોલ્હુ નેશનલ ફૂટબોલ સ્ટેડિયમમાં યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનું આયોજન ભારતીય સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા યુવા અને રમતગમત સમુદાય સશક્તિકરણ મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું હતું. મંગળવારે સવારે લગભગ 6.30 વાગ્યે કાર્યક્રમ શરૂ થતાં જ મુસ્લિમ કટ્ટરપંથીઓ અલ્લાહુ અકબરના નારા લગાવતા ત્યાં ધસી આવ્યા હતા. મુસ્લિમ ટોળાને જોઈને ત્યાં યોગ કરવા આવેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

    - Advertisement -

    ઇસ્લામિક કટ્ટરપંથીઓ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કાર્યક્રમનું આયોજન કરતી સરકાર પર ભડક્યા હતા. કટ્ટરપન્થીઓએ કાર્યક્રમ ન કરવા અગાઉ પણ ધમકી આપી હતી. અગાઉ આ ઈવેન્ટ માટે રસફન્નુ બીચની જગ્યા માંગવામાં આવી હતી. જોકે મ્યુનિસિપલ કાઉન્સિલે સ્થળ બદલીને સ્ટેડિયમ કર્યું હતું. ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવતા હાથમાં ધ્વજ સાથે કટ્ટરપંથીઓ સ્ટેડિયમમાં પ્રવેશ્યા અને યોગ કરી રહેલા લોકોને ધમકાવવા લાગ્યા. જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. બાદમાં પોલીસે બદમાશો પર બળપ્રયોગ કર્યો હતો.

    મંત્રીની હાજરીમાં થયું હુલ્લડ

    જ્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે યુવા મંત્રી અહેમદ મહલૂફ ત્યાં પોતાનું ભાષણ આપી રહ્યા હતા. ભારતીય હાઈ કમિશનર ઉપરાંત યુવા બાબતોના મંત્રાલય અને ભારતીય હાઈ કમિશનના ઘણા અધિકારીઓ ત્યાં પણ હાજર હતા. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ 2014 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને માન્યતા આપી હતી અને જાહેરાત કરી હતી કે તે દર વર્ષે 21 જૂને ઉજવવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે, માલદીવ 177 દેશોમાંનો એક હતો જેણે દિવસની ઉજવણી માટે યુએનના ઠરાવને સહ-પ્રાયોજિત કરવાની તરફેણમાં મત આપ્યો હતો. જયારે ત્યાનાજ લોકો હુલ્લડ કરતા જોવા મળ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં