Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ1993 મુંબઈ બ્લાસ્ટ કેસ : ગુજરાતમાંથી પકડાયેલા ચારેય આતંકવાદીઓ જેલમાં ધકેલાયા, 14...

    1993 મુંબઈ બ્લાસ્ટ કેસ : ગુજરાતમાંથી પકડાયેલા ચારેય આતંકવાદીઓ જેલમાં ધકેલાયા, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

    આ મહિને પકડાયેલા 1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટના ચાર આરોપીઓને સ્પેશિયલ કોર્ટે 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પકડાયેલા આરોપીઓ અબુ બકર, સૈયદ કુરેશી, મોહમ્મદ શોએબ કુરેશી અને મોહમ્મદ ઇસ્માઇલ શેખ આગામી 13 જૂન સુધી જેલમાં રહેશે. 

    - Advertisement -

    આ મહિને પકડાયેલા 1993 મુંબઈ બૉમ્બ બ્લાસ્ટના ચાર આરોપીઓને સ્પેશિયલ કોર્ટે 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. પકડાયેલા આરોપીઓ અબુ બકર, સૈયદ કુરેશી, મોહમ્મદ શોએબ કુરેશી અને મોહમ્મદ ઇસ્માઇલ શેખ આગામી 13 જૂન સુધી જેલમાં રહેશે. 

    આ આતંકવાદીઓને ગુજરાત એટીએસે અમદાવાદથી પકડી લીધા હતા. જે બાદ ગત અઠવાડિયે તેમને મુંબઈ લાવવામાં આવ્યા હતા. જ્યાં સીબીઆઈએ તેમની કસ્ટડી મેળવી હતી. આજે તેમના રિમાન્ડ પૂર્ણ થતા હતા. રિમાન્ડ પૂર્ણ થતા આજે સીબીઆઈએ આ તમામને સ્પેશિયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. એજન્સીએ વધુ બે અઠવાડિયા માટે તેમની કસ્ટડી માંગી હતી. જોકે, કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય સંભળાવ્યો હતો. હવે મુંબઈ બ્લાસ્ટના આ ચારેય આરોપીઓ જેલમાં રહેશે.

    આતંકવાદીઓ છેલ્લા 29 વર્ષોથી ફરાર હતા. ઓળખ છુપાવવા માટે તેમણે ફર્જી પાસપોર્ટ બનાવી રાખ્યા હતા.  કેસની પ્રારંભિક તપાસ બાદ આ તમામને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આખરે અમદાવાદથી ગુજરાત એટીએસે તેમને ઝડપી પાડ્યા હતા. 

    - Advertisement -

    ચારેય ગુપ્તચર એજન્સીઓના રડાર પર હતા અને તેમની શોધખોળ ચાલી રહી હતી. પરંતુ એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે તેઓ પોતાનાં ઠેકાણાં બદલતા રહેતા હતા. તેમજ બોગસ પાસપોર્ટનો સહારો લઇ વિવિધ દેશોમાં ભટકતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. થોડા સમય પહેલાં તેઓ દુબઇમાં હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ અમદાવાદ આવતા હોવાનું જાણવા મળતા ચારેયને પકડી લેવામાં આવ્યા હતા

    પકડાયેલા ચારેય આતંકવાદીઓએ 1993 મુંબઈ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં મોટી ભૂમિકા ભજવી હોવાનું સામે આવ્યું છે. આ ચારેય આતંકવાદીઓ દાઉદ ઈબ્રાહીમના દુબઇ સ્થિત રહેઠાણ ‘વ્હાઇટ હાઉસ’માં ભેગા થયા હતા અને મુંબઈના સિરિયલ બૉમ્બ બ્લાસ્ટનું કાવતરું ઘડ્યું હતું. તદુપરાંત, પ્લાન અમલમાં મૂકવા પહેલાં તેઓ પાકિસ્તાનમાં ટ્રેનિંગ લેવા માટે પણ ગયા હતા. 

    12મી માર્ચ, 1993 ના દિવસે મુંબઈમાં બે કલાકના સમયગાળામાં કુલ 12 સિરિયલ બ્લાસ્ટ થયા હતા, જેમાં 257 લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે લગભગ 1000 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે આ બ્લાસ્ટમાં 27 કરોડ રૂપિયાની સંપત્તિઓ નષ્ટ થઇ ગઈ હતી.

    આ કેસમાં તપાસ કરતા મુંબઈ પોલીસે 1994 માં 129 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. 2006 માં ટાડા કોર્ટે 100 લોકોને દોષી ઠેરવીને સજા સંભળાવી હતી. આ જ કેસમાં યાકુબ મેમણને 2015 માં ફાંસીએ ચડાવવામાં આવ્યો હતો. આ જ કેસમાં સ્પેશિયલ કોર્ટે ગેંગસ્ટર અબૂ સાલેમને પણ દોષી ઠેરવ્યો હતો. તેણે કબુલ્યું હતું કે તેણે સંજય દત્તને હથિયારો પૂરાં પાડ્યાં હતાં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં