Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભાજપ કાર્યકર્તાની લાશ ઝાડ પર લટકતી મળી: પશ્ચિમ બંગાળમાં હત્યાઓનો દૌર યથાવત,...

    ભાજપ કાર્યકર્તાની લાશ ઝાડ પર લટકતી મળી: પશ્ચિમ બંગાળમાં હત્યાઓનો દૌર યથાવત, ટીએમસી પર હત્યાનો આરોપ

    બીજેપી રાજ્ય એકમનો આરોપ છે કે પાર્ટી કાર્યકર સહદેવની હત્યા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ગુંડાઓ દ્વારા કરવામાં આવી હતી, જોકે પોલીસે દાવો કર્યો હતો કે હત્યાના કોઈ પુરાવા મળ્યા નથી.

    - Advertisement -

    ભાજપ કાર્યકર્તાની લાશ ઝાડ પર લટકતી મળી, આ બિહામણી ખબર છે પશ્ચિમ બંગાળના બાંકુડા જિલ્લાના કોટલદીઘી વિસ્તારની, જ્યાં સોમવારે (27 જૂન, 2022) પાથરચટ્ટી કબીરસ્થાન પાસે 45 વર્ષીય ભાજપ કાર્યકર્તાની લાશ ઝાડ પર લટકતી જોવા મળી હતી. આ વિસ્તાર કોતુલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતકની ઓળખ સહદેવ ખા તરીકે થઈ છે. બીજેપી રાજ્ય એકમનો આરોપ છે કે પાર્ટી કાર્યકર સહદેવની હત્યા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ગુંડાઓ દ્વારા કરવામાં આવી હતી, જોકે પોલીસે દાવો કર્યો હતો કે હત્યાના કોઈ પુરાવા મળ્યા નથી.

    તે જ સમયે, પોલીસે પ્રાથમિક તપાસ બાદ એવો પણ દાવો કર્યો છે કે સહદેવે માનસિક હતાશાના કારણે આત્મહત્યા કરી હશે. જો કે મૃતકને અન્ય જગ્યાએ હત્યા કર્યા બાદ મૃતકને અહી લાવીને લટકાવી દેવામાં આવ્યાં હોય તેવું જણાઈ રહ્યું છે.

    - Advertisement -

    જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતકના પરિવારે હજુ સુધી કોઈ લેખિત ફરિયાદ નોંધાવી નથી, પરંતુ પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો. તે જ સમયે, સહદેવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બિષ્ણુપુર જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે, જેનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું છે.

    રિપોર્ટ અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મૃત્યુ પામનાર બીજેપી કાર્યકર આઈસ્ક્રીમ વેચતો હતો. દરમિયાન ભાજપે પોલીસના દાવાઓને ખોટા ગણાવ્યા છે. પક્ષે દલીલ કરી હતી કે સહદેવ કોતુલપુર વિધાનસભા મતવિસ્તારના ગોપાલપુર ઢાક પરામાં બૂથ નંબર 104માં કાર્યરત ભાજપના સક્રિય સભ્ય હતા.

    પાર્ટીનો આરોપ છે કે ઘરે પરત ફરતી વખતે સહદેવની હત્યા કરવામાં આવી હતી અને આત્મહત્યાનો કેસ બનાવવા માટે તેની લાશને ઝાડ પર લટકાવી દેવામાં આવી હતી. ધારાસભ્ય નીલાદ્રી શેખર દાના નેતૃત્વમાં ભાજપે નેશનલ હાઈવે નં.6ને બ્લોક કરીને પ્રદર્શન કર્યું હતું.

    બિષ્ણુપુર નગરપાલિકામાં વિપક્ષના નેતા શુક્લા ચેટરજીએ પણ સહદેવની યાદમાં મૌન કેન્ડલ માર્ચ કાઢી હતી. આ કેસ વિશે વાત કરતી વખતે, પોલીસ અધિક્ષક વૈભવ તિવારીએ કહ્યું, “હત્યાના આરોપો પાયાવિહોણા છે. અમે દરેકને વિનંતી કરીએ છીએ કે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ન ફેલાવો. જ્યારે ભાજપે દાવો કર્યો હતો કે મૃતક સહદેવ પક્ષનો સભ્ય હતો અને કથિત રીતે ટીએમસી સમર્થકો દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી, રાજ્યના શાસક પક્ષે આ આરોપને નકારી કાઢ્યો હતો.

    તેમણે કહ્યું, “અમે આ મામલે યોગ્ય તપાસ શરૂ કરી છે. સ્થળની તપાસ કરવામાં આવી છે અને સંજોગોવશાત્ પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા છે.”

    અગાઉ પણ ભાજપના કાર્યકરનો પુત્રનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો

    નોંધનીય છે કે આ પહેલા પૂર્વ મેદિનીપુરના ખેજુરીમાં બીજેપી કાર્યકરનો 22 વર્ષીય પુત્ર દેબાશિષ ઝાડ પર લટકેલી હાલતમાં મળ્યા હતા. તે ભાજપના બૂથ કાર્યકર મુક્તિપદા મન્નાના પુત્ર હતા.

    ત્યારે પણ સ્થાનિક ભાજપ નેતૃત્વએ મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો . જોકે, ત્યારે પણ પશ્ચિમ બંગાળ પોલીસે દાવો કર્યો હતો કે મન્નાએ આત્મહત્યા કરી છે.

    ચોંકાવનારી વાત એ છે કે જે દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયા હતા, તે જ દિવસે તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે તેમની મુલાકાત દરમિયાન મમતા બેનર્જીના નેતૃત્વવાળી સરકાર પર રાજકીય હિંસા અને રાજકીય હત્યાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં