Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅજીત ડોવાલે જે નિવેદન આપ્યું જ ન હતું તેને ઈરાને ટ્વિટ કર્યું,...

    અજીત ડોવાલે જે નિવેદન આપ્યું જ ન હતું તેને ઈરાને ટ્વિટ કર્યું, કેટલાક ભારતીય મેઈનસ્ટ્રીમ મિડીયાએ ચગાવ્યું અને હવે ઈરાન ફરી ગયું

    અજીત ડોવાલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું ન હતું તેમ છતાં ઈરાનની એક ટ્વિટને આધાર બનાવીને મેઈન સ્ટ્રીમ મિડિયાએ તેને ચગાવ્યું તો ખરું જ અને છેવટે ઈરાન ફરી ગયું.

    - Advertisement -

    ભાજપ પૂર્વ નેતાઓ દ્વારા પયગંબર મોહમ્મદના કરવામાં આવેલ કથિત અપમાન અને મુસ્લિમ દેશોના વિરોધ વચ્ચે બુધવારે વિદેશ મંત્રી એસ જયશંકર અને ઇરાનના વિદેશમંત્રી ડૉ હુસૈન આમિર-અબ્દોલ્લાહીયન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જોકે, આ બેઠક બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, આ બેઠકમાં આ હાલ ચાલી રહેલા વિવાદનો મુદ્દો ચર્ચવામાં આવ્યો ન હતો, અને તેમણે એમ પણ ઉમેર્યું કે અમુક લોકોની વ્યક્તિગત ટિપ્પણીઓ કે ટ્વિટ સરકારના વિચારો પ્રદર્શિત કરતા હોતા નથી. આ ઉપરાંત બેઠકમાં અજિત ડોવાલ સાથેની બેઠક મામલે પણ વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી.

    9 જૂન (ગુરુવાર)ના રોજ મીડિયાને સંબોધિત કરતા વિદેશ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે, “સરકારે સ્પષ્ટ કર્યું છે કે ટ્વિટ કે કૉમેન્ટ સરકારના વિચારો પ્રદર્શિત કરતા નથી. આ બાબત વાતચીતમાં પણ સ્પષ્ટ કરવામાં આવી છે. ઉપરાંત સબંધિત તંત્ર દ્વારા આ પ્રકારના કૉમેન્ટ કે ટ્વિટ કરનારા વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. વાતચીત દરમિયાન આ મુદ્દે ચર્ચા કરવામાં આવી ન હતી.”

    પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાને ઈરાનના વિદેશ મંત્રાલય દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ટ્વિટ અંગે પણ પૂછવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ અને ઇરાનના વિદેશમંત્રી વચ્ચે બેઠક થઇ હોવાનું તેમજ આ બેઠકમાં બંને વચ્ચે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ થયેલ ટિપ્પણી મુદ્દે પણ ચર્ચા થઇ હોવાનું જણાવાયું હતું. જે મામલે વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી. 

    - Advertisement -

    વિદેશ મંત્રાલયે કહ્યું કે, “જ્યાં સુધી એનએસએ અને ઈરાની મંત્રી વચ્ચેની વાતચીતની વાત છે, હું તે મુદ્દે કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. પરંતુ તમે જે સોશિયલ મીડિયા પોસ્ટની વાત કરી રહ્યા છો, તે અંગે ફરીથી પુષ્ટિ કરી જુઓ. પોસ્ટ હવે હટાવી લેવામાં આવી છે.” 

    નોંધનીય છે કે, અમુક રિપોર્ટમાં ઈરાનના દાવાને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે ઈરાની મંત્રી સાથેની વાતચીત દરમિયાન NSA અજિત ડોવાલે તેમને કહ્યું હતું કે, ઇસ્લામનું અપમાન કરનારાઓ સામે એવા પગલાં લેવાશે જેનાથી અન્ય લોકોને પણ શીખ મળશે.

    ઈરાન તરફથી એક અધિકારીક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું હતું કે, અજિત ડોવાલે આશ્વાસન આપતા કહ્યું હતું કે, ભારત સરકાર અને અધિકારીઓ પયગંબર મોહમ્મદનું સન્માન કરે છે અને સરકાર અને સબંધિત વિભાગો દ્વારા પયગંબરનું અપમાન કરનારાઓ સામે એવી રીતે પગલાં લેવાશે જેનાથી અન્યોને પણ પાઠ મળે. ઈરાની મંત્રાલયે કહ્યું કે, તેઓ નૂપુર શર્મા અને નવીન જિંદલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાના પગલાંનું સ્વાગત કરે છે અને કહ્યું કે દોષીઓ સામે ભારત સરકારના પગલાથી મુસ્લિમો સંતુષ્ટ છે.

    જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ઈરાને આ નિવેદન પરત ખેંચી લીધું હતું.

    ઈરાની વિદેશ મંત્રી અબ્દોલ્લાહીયનની ભારત મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે તેમની સાથે વાણિજ્ય, સ્વાસ્થ્ય અને અન્ય સબંધો મામલે દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી હતી. એક તરફ ભારતીય જનતા પાર્ટીએ પોતાના નેતાઓ નૂપુર શર્મા અને નવીન જિંદલને પાર્ટીમાંથી બરતરફ કરી દીધા છે ત્યાં બીજી તરફ, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, વ્યક્તિગત વ્યક્તિઓના અભિપ્રાયો કે ટિપ્પણીઓ સરકારના વિચારો પ્રદર્શિત કરતા નથી.

    ઈરાનના વિદેશ મંત્રી હાલ ત્રણ દિવસ માટે ભારતની યાત્રાએ છે. બુધવારે તેમણે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે બેઠક કરી હતી. રિપોર્ટ અનુસાર, બંને પક્ષે રશિયા-યુક્રેન યુદ્ધ, અફઘાનિસ્તાનની સ્થિતિ અને ઈરાન ન્યુક્લિયર ડીલ વગેરે મુદ્દે ચર્ચા થઇ હતી. જોકે, પયગંબરના કથિત અપમાનનો મુદ્દો બેઠકમાં ચર્ચાયો ન હતો. આ ઉપરાંત, ઈરાની મંત્રી પીએમ મોદીને પણ મળ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં