Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'બાંગ્લાદેશી અને રોહિંગ્યા ગેરકાયદેસર વસાહતીઓ દેશ માટે કેન્સર છે': ભાજપના કપિલ મિશ્રાએ...

    ‘બાંગ્લાદેશી અને રોહિંગ્યા ગેરકાયદેસર વસાહતીઓ દેશ માટે કેન્સર છે’: ભાજપના કપિલ મિશ્રાએ રાજકીય પક્ષોને આ મુદ્દે એક થવાનું કહ્યું

    ભાજપાના કપિલ મિશ્રાએ રોહિન્ગ્યાઓને કેન્સર સમાન ગણાવ્યા હતા અને આ સમસ્યા ઉકેલવાના ઉપાયો શોધવાનું પણ તેમણે કહ્યું છે.

    - Advertisement -

    21 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના નેતા કપિલ મિશ્રા દ્વારા બાંગ્લાદેશી અને રોહિંગ્યા ગેરકાયદેસર વસાહતીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ લોકો ‘કેન્સર’ જેવા છે અને સમાજને નુકસાન પહોંચાડે છે. તેમને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવતા, મિશ્રાએ તમામ રાજકીય પક્ષોને રાજકારણથી ઉપર ઉઠવા અને સમસ્યાનો ઉકેલ શોધવા વિનંતી કરી. મિશ્રાએ ઉમેર્યું કે આ મુદ્દો હિંદુઓ કે મુસ્લિમોનો નથી, પરંતુ તે દેશ અને આપણી ભાવિ પેઢીની સુરક્ષાનો છે.

    મિશ્રાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, “બાંગ્લાદેશી અને રોહિંગ્યા ગેરકાયદેસર વસાહતીઓનો મુદ્દો હિંદુ અને મુસ્લિમનો નથી. તે ભારત વિશે છે. આ લોકો જ્યાં પણ છે ત્યાં કેન્સરની જેમ સમાજને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ ગેરકાયદેસર વસાહતીઓ ગુનાખોરીનું પ્રમાણ વધારી રહ્યા છે. બાંગ્લાદેશ અને રોહિંગ્યા ગેરકાયદેસર વસાહતીઓ ચેઈન સ્નેચિંગ, ચોરી, હત્યા, અપહરણ અને ડ્રગ પેડલિંગ વગેરે જેવા ગુનાઓમાં સંડોવાયેલા છે. તેમની વસાહતમાં હનુમાન જન્મોત્સવ શોભા યાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ કર્મચારીઓને ગોળી વાગી હતી. આ ગેરકાયદેસર વસાહતીઓ આવી હિંમત ક્યાંથી મેળવે છે?

    જાણીતા વકીલો શા માટે સુપ્રીમ કોર્ટમાં તેમના કેસ લડી રહ્યા છે તે અંગે પ્રશ્ન કરતાં તેમણે કહ્યું, “પ્રખ્યાત વકીલો તેમના કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહ્યા છે. આ લોકો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. આ લોકો દિલ્હીની સુરક્ષા માટે ખતરો છે. આ ગેરકાયદેસર વસાહતીઓ અમારા બાળકો માટે ખતરો છે. મને લાગે છે કે તમામ રાજકીય પક્ષોએ રાજકારણથી ઉપર ઊઠીને આ ગેરકાયદેસર વસાહતીઓ સામે એકસાથે ઊભા રહેવું જોઈએ. તેને હિંદુ-મુસ્લિમનો મુદ્દો ન બનાવો.”

    - Advertisement -

    કપિલ મિશ્રા દ્વારા સૌને વિનંતી કરાઇ હતી કે ભડકાઉ નિવેદનો આપીને હિંદુ-મુસ્લિમનો મુદ્દો ન બનાવવો જોઈએ. તેમણે કહ્યું કે, ” ‘મુસ્લિમો ખતરામાં છે’ અથવા ‘મુસ્લિમોના ઘરો પર હુમલો થઈ રહ્યો છે’ જેવા નિવેદનો ન આપો. આ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે. આ બાંગ્લાદેશી અને રોહિંગ્યા ગેરકાયદેસર વસાહતીઓ કેન્સર છે. આપણે સાથે મળીને ઉકેલ શોધવાનો છે. દિલ્હીના લોકો, ભારતના લોકોએ સાથે આવવું જોઈએ. તે આપણા બાળકોની સુરક્ષાની બાબત છે. તે ભારતની સુરક્ષાનો મામલો છે.”

    જહાંગીરપુરી હિંસા અને તેના પરિણામ

    હનુમાન જયંતિના શુભ અવસરે જહાંગીરપુરીથી હિન્દુ સંગઠનો અને ભક્તો દ્વારા શોભા યાત્રા કાઢવામાં આવી હતી. જ્યારે શોભા યાત્રા આ વિસ્તારમાં આવેલી મસ્જિદની સામે પહોંચી ત્યારે સરઘસ પર પથ્થરમારો અને ગોળીબાર કરવામાં આવ્યો હતો. હુમલામાં પોલીસ કર્મચારીઓ અને શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. પોલીસ દ્વારા અનેક ધરપકડો કરવામાં આવી હતી.

    બુધવારે, ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને વિસ્તારમાં અતિક્રમણ વિરોધી અભિયાન ચલાવ્યું હતું. જો કે, ઇસ્લામિક સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદે આ અભિયાન સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે યથાસ્થિતિ જાળવવા આદેશ કર્યો હતો. દુષ્યંત દવે અને કપિલ સિબ્બલે અતિક્રમણ વિરોધી અભિયાન સામે દલીલ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં