Friday, April 19, 2024
More
    હોમપેજમંતવ્યટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો આ લેખ કરે છે 'ડરા હુઆ મુસલમાન' નું અવાસ્તવિક...

    ટાઈમ્સ ઓફ ઈન્ડિયાનો આ લેખ કરે છે ‘ડરા હુઆ મુસલમાન’ નું અવાસ્તવિક ચિત્રણ: મોત મળ્યું કન્હૈયા લાલને અને વિક્ટીમ રમે છે ‘મુસ્લિમ દરજીઓ’

    ગુનાહિત વર્તણૂકનું આ પ્રકારનું અવાસ્તવિક ચિત્રણ ફક્ત બાકીના ભારતીય મુસ્લિમો માટે તેને વધુ ખરાબ બનાવે છે કારણ કે તે અવિશ્વાસનું સ્તર વધારે છે. 'ઉદારવાદીઓ' જ ભારતીય મુસ્લિમોના સૌથી ખરાબ સાથી છે.

    - Advertisement -

    વ્યવસાયે દરજી કન્હૈયા લાલનું રાજસ્થાનના ઉદયપુરમાં બે મુસ્લિમ વ્યક્તિઓ દ્વારા માત્ર પૂર્વ ભાજપ પ્રવક્તા નુપુર શર્માને સમર્થન કરવા બદલ શિરચ્છેદ કરવામાં આવ્યાના માંડ અઠવાડિયા પછી, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ એક કોલમ પ્રકાશિત કરી હતી. જેમાં ભારતમાં મુસ્લિમ દરજીઓ તેમની ધાર્મિક ઓળખ બતાવવાને કારણે કેવી રીતે જોખમમાં છે તે દર્શાવવાનો પ્રયાસ કરે છે.

    કન્હૈયા લાલના હત્યારાઓએ એક વિડિયો બહાર પાડ્યો હતો જ્યાં તેઓ કસાઈઓ દ્વારા વપરાતી છરીઓ દર્શાવતા હતા જેનો ઉપયોગ તેઓ કન્હૈયા લાલનું માથું કાપવા માટે કરે છે અને તેઓએ કેવી રીતે નિંદાનો બદલો લીધો તે અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. અને હવે, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા એક રિતુપર્ણા ચેટરજીને પ્લેટફોર્મ પૂરું પાડે છે જે મુસ્લિમ પુરુષો, ખાસ કરીને દરજીઓ કે જે પોતાની ધાર્મિક ઓળખ છુપાવે છે જેનું કારણ ‘તમે જાણો જ છો’ એમ કહીને તેમને અવાસ્તવિક રૂપે રજૂ કરે છે. ચેટર્જીએ ‘ઓળખ છુપાવવાનું કારણ’ કહ્યું ના હોવાથી, કોઈને પણ લાગી શકે તેની પાછળનો ઈરાદો લોકોને છેતરવાનો હશે? એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જ્યારે મુસ્લિમ પુરુષોએ તેમની ધાર્મિક ઓળખ છુપાવી છે અને હિંદુ મહિલાઓને માત્ર લગ્ન કરવા અને તેમને ઇસ્લામ સ્વીકારવા દબાણ કરવા માટે પ્રેમ સંબંધોમાં ફસાવી હોય. લેડીઝ ટેલર્સ માટે મહિલાઓ સૌથી મોટા ગ્રાહક હોવાથી, શું ‘લવ જેહાદ’ અથવા ગ્રૂમિંગ જેહાદને કરવા માટેનું પણ આ એક કારણ હોઈ શકે છે, તેવું કરવાની એક પ્રેરણા હોઈ શકે છે.

    હવે, ચાલો કન્હૈયા લાલ હત્યા પર પાછા જઈએ. તેની હત્યા કરનારા બે માણસોએ તેમના હાથની બાંયો પર તેમની ધાર્મિક ઓળખ પહેરી હતી. તેઓએ દાઢી રાખી, મુસ્લિમ ધાર્મિક ટોપી પહેરી હતી. તેઓએ તેના ગ્રાહકો હોવાનો ઢોંગ કર્યો અને જ્યારે તે તેની સૌથી નબળી ક્ષણે હતો, ત્યારે તેઓએ તેનું માથું કાપી નાખ્યું. કમલેશ તિવારીની હત્યા કરનાર વ્યક્તિ, જેને પ્રોફેટ મુહમ્મદ વિરુદ્ધ નિંદાના આરોપમાં જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી હતી, તે અશફાકે ફેસબુક પર ‘રોહિત સોલંકી’ હોવાનો ઢોંગ કરીને તિવારી સાથે મિત્રતા કરી હતી. મને ફરી કહો કે ધાર્મિક ઓળખ છૂપાવવાને કટારલેખકે શા માટે અવાસ્તવિક રીતે દર્શાવ્યું હશે?

    - Advertisement -

    ચેટર્જી પોતાની કૉલમની શરૂઆત તેણે નક્કી કરેલા કેટલાક વસ્ત્રો અને અન્ય સુંદર કામવાળા બ્લાઉઝના આબેહૂબ વર્ણન સાથે કરે છે. જ્યારે તેણે તેના પર એમ્બ્રોડરી કામ કરતા જોયા, તેણે તરત જ તેના દરજીને કહ્યું કે ‘તે કેવી રીતે કામ આટલું સારું કામ કરે છે, તે હિન્દુ ન હોઈ શકે.’ વાહ્હ.. સુંદર આર્ટવર્ક જોઈને વ્યક્તિનો પહેલો વિચાર કેવો આવે છે કે તે વ્યક્તિ ‘હિંદુ હોઈ શકે કે નહીં!’ તેને શું લાગે છે કે તાજમહેલ કોણે બાંધ્યો છે જે દરેકને આશ્ચર્યમાં નાખે છે. સનાતન ધર્મની ભૂમિ, ભારતમાં ઇસ્લામ આક્રમણકારો બહારથી આવ્યા હતા અને જો ભારતીય મુસ્લિમોના મૂળ શોધી કાઢવામાં આવે તો, તેમના પૂર્વજો હિંદુઓ જ હશે. તેથી સંભવ છે કે તે દરજી, જે તેના ‘કામ’ માટે ખૂબ જ સારો લાગે છે અને જે ‘હિંદુ ન હોઈ શકે’, તેના પૂર્વજો હિન્દુ જ હોય!

    ચેટર્જી પછી કહે છે કે કેવી રીતે ભારતમાં મુસ્લિમ દરજીઓ તેમની વાસ્તવિક ધાર્મિક ઓળખ ફક્ત તે ગ્રાહકોને જ જાહેર કરે છે જેમને તેઓ વિશ્વાસ કરે છે. આ કઈ રીતે શંકા ન ઉભી કરે? ચેટર્જી પછી દરજીઓથી લઈને ઘરકામ માટે આવતી મહિલાઓ તરફ આગળ વધે છે અને મુંબઈમાં કેટલા લોકો (જે સ્થળ વિશે તેણે વાત કરી હતી) બેવડા નામો રાખે છે, અને ભાગ્યે જ તેમની વાસ્તવિક ધાર્મિક ‘મુસ્લિમ’ ઓળખ જાહેર કરે છે. ચેટર્જી પછી કહે છે કે તેણે કઈ રીતે ઘણા મુસ્લિમ ઉબેર ડ્રાઇવરો સાથે વાત કરી અને તેઓએ કહ્યું કે જો દસ્તાવેજો જરૂરી ન હોત, તો તેઓ તેમની ધાર્મિક ઓળખ પણ જાહેર કરતા જ નહીં. એ જોતા કે કેવી રીતે નાણાકીય છેતરપિંડીના આરોપી વોશિંગ્ટન પોસ્ટના કટાર લેખક રાણા અય્યુબે ગુજરાત ફાઇલ્સમાં કબૂલાત કરી હતી કે તેણે ‘સ્ટિંગ’ માટે સરકાર દ્વારા જારી કરાયેલ નકલી આઇ-કાર્ડ ખૂબ જ સરળતાથી મેળવ્યા હતા. તો હવે કોઈને આશ્ચર્ય થશે કે કેટલાક દ્વારા જમા કરેલા દસ્તાવેજો પણ ખોટા હોઈ શકે છે.

    ચેટર્જી પછી ઘરકામવાળી હિંદુ મહિલાઓ કે હિંદુ રસોઈયા રાખવા ઈચ્છતા લોકોને દોષ આપે છે. નોકરીદાતા-કર્મચારી સંબંધ મોટાભાગે વિશ્વાસ પર આધારિત છે. જો, કહો કે નોકરાણીઓ અથવા રસોઈયાઓ તેમની ધાર્મિક ઓળખ છુપાવે છે, તેઓ નોકરી મેળવતા પહેલા જ જૂઠું બોલે છે, તો કોઈ તેમના પર કેવી રીતે વિશ્વાસ કરે છે અને ખાતરી કરે કે તેઓ કોઈ સમયે તેમનું શિરચ્છેદ કરશે નહીં.?

    પરંતુ હકીકત તો એ છે કે પોતાની ધાર્મિક ઓળખ છુપાવતાં મુસ્લિમો કરતા, આને કારણે ઋતુપર્ણા ચેટરજી જેવા લોકોને ચિંતા નથી થતી તે વધુ ચિંતાજનક છે. ભારત 20 કરોડથી વધુ મુસ્લિમોનું ઘર છે. આ પ્રકારની વાર્તાઓ જ્યાં તેમને ‘ડરા હુઆ મુસલમાન’ તરીકે દર્શાવવામાં આવે છે તે ફક્ત તેમની વિક્ટિમ રમવાની આદતમાં વધારો કરે છે. ભારતમાં મુસ્લિમોને ‘અસહિષ્ણુતાના પીડિતો’ તરીકે દર્શાવવાના પોતાના પ્રયત્નમાં, ચેટરજીએ તેમને તેવા ખોટી મંશાવાળા સ્ત્રી અને પુરુષો તરીકે દર્શાવ્યા કે જે પોતાની ઓળખ છુપાવતા ફરે છે.

    કારણ કે અન્યથા શા માટે, એવા સમયે જ્યારે હિંદુઓ પોતાના તહેવારની ઉજવણીની ઈચ્છાને દબાવી રાખે છે જેથી ઇસ્લામવાદીઓને તેમના પર પથ્થરમારો કરવા માટે ‘ઉશ્કેરવામાં’ ઉશ્કેરાય નહીં અથવા જ્યારે ન્યાયતંત્ર બંધારણના સ્થાને શરિયા (ઇસ્લામિક કાયદો) વિશે બોલવાનું શરૂ કરે, ત્યારે ભારતીય મુસ્લિમો, જેઓ તેમની બાંયો પર પોતાની ધાર્મિક ઓળખનો દાવો કરે છે અને પહેરે છે, તેઓને શા માટે આ રીતે બતાવવાની જરૂર પડી હશે? ચેટર્જી જેવા લોકો અને તેમના જેવા કૉલમના કારણે જ ભારતીય મુસ્લિમો વિશે અવિશ્વાસનું એક વાતાવરણ રહેતું હોય છે, જેઓ અન્ય ભારતીયોની જેમ, સંભવતઃ જીવન જીવવા અને ટકી રહેવા માંગે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં