Tuesday, May 20, 2025
More

    ‘આતંકીઓ જે રીતની બર્બરતા આચરી, તે જ પ્રકારે તેમને અને તેમના આકાઓને મળશે સજા’: પહલગામ હુમલા પર યોગી આદિત્યનાથ, મૃતક શુભમના પરિવારને મળ્યા

    સીએમ યોગી આદિત્યનાથ (CM Yogi) પહેલગામ આતંકવાદી હુમલામાં (Pahalgam Terrorist Attack) શહીદ થયેલા યુપીના કાનપુરના રહેવાસી શુભમ દ્વિવેદીના શોકગ્રસ્ત પરિવારને મળવા પહોંચ્યા. શુભમના અંતિમ સંસ્કારની પ્રક્રિયા પહેલા, સીએમ યોગી અહીં પહોંચ્યા અને પરિવારને મળ્યા અને તેમને શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું.

    એટલું જ નહીં… સીએમ યોગીએ અહીંથી આતંકવાદીઓ અને તેમના આકાઓ વિરુદ્ધ કડક સંદેશ આપ્યો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારત સરકારની આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ આતંકવાદને અસરકારક રીતે નાબૂદ કરશે. આ આતંકવાદી ઘટનાને અંજામ આપનારાઓનો હાલ દરેક વ્યક્તિ જોશે. તેઓએ આ બાબતે X પોસ્ટ પણ કરી હતી.

    જ્યારે સીએમ યોગી આદિત્યનાથ અહીં પહોંચ્યા ત્યારે બધા પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી રહ્યા હતા. શુભમના પરિવારને મળ્યા બાદ, યુપીના વડાએ કહ્યું કે, “22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં કાનપુરનો એક પરિવાર પણ તેનો ભોગ બન્યો હતો. આ પરિવારનો એક યુવાન શુભમ દ્વિવેદી, જેના લગ્ન ફક્ત બે મહિના પહેલા જ થયા હતા, તે પણ તેનો શિકાર બન્યો. પહેલગામના ક્રૂર, ભયાનક અને કાયર કૃત્યની માત્ર દેશ દ્વારા જ નહીં પરંતુ વિશ્વના દરેક સભ્ય સમાજ દ્વારા નિંદા કરવામાં આવી હતી. આ ઘટના દર્શાવે છે કે આતંકવાદ તેના અંતિમ શ્વાસ લઈ રહ્યો છે.”

    સીએમ યોગીએ કહ્યું કે, “હું દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. પરિવારના સભ્યો પ્રત્યે અમારી સંવેદના. આખો દેશ આ અમાનવીય કૃત્યની નિંદા કરે છે. અમે ખાતરી આપીએ છીએ કે જે રીતે આતંકવાદીઓએ ત્યાં ગુનો કર્યો છે, જે રીતે હિંદુ માતાઓ અને બહેનોના સિંદૂર સાથે બર્બરતા કરવામાં આવી છે, એ જ પ્રકારે આતંકવાદીઓ અને તેમના આકાઓને ચોક્કસ સજા મળશે.”