હમાસનો વડો યાહ્યા સિનવાર માર્યો ગયો છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી સેનાના જવાનોએ એક ઑપરેશન ચલાવ્યું હતું, જેમાં તે ઠાર મરાયો. ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે આ બાબતની અધિકારિક રીતે પુષ્ટિ કરી છે.
ઇઝરાયેલ વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, “એક વર્ષ પહેલાં 7 ઑક્ટોબરના રોજ યાહ્યા સિનવારે નરસંહાર કરાવ્યો હતો, જેમાં 1200 ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા. આજે એક વર્ષ બાદ તે ઇઝરાયેલી સેનાના હાથે મરાયો છે.”
A year ago on the holiday of Sukkot, Yahya Sinwar orchestrated the horrific October 7th Massacre in which more than 1,200 Israeli men, women and children were butchered.
— Israel ישראל (@Israel) October 17, 2024
𝐓𝐨𝐝𝐚𝐲, 𝐨𝐧𝐞 𝐲𝐞𝐚𝐫 𝐥𝐚𝐭𝐞𝐫, 𝐡𝐞 𝐰𝐚𝐬 𝐞𝐥𝐢𝐦𝐢𝐧𝐚𝐭𝐞𝐝 𝐛𝐲 𝐈𝐬𝐫𝐚𝐞𝐥𝐢 𝐟𝐨𝐫𝐜𝐞𝐬.… pic.twitter.com/lCvdkwjkGC
આગળ જણાવવામાં આવ્યું કે, “ન્યાય થઈ ગયો છે. ઇઝરાયેલીઓને નુકસાન પહોંચાડનાર એકેએક આતંકવાદીની આ જ હાલત કરવામાં આવશે.”
ઇઝરાયેલી સેનાએ પણ યાહ્યા સિનવાર માર્યો ગયો હોવાની પુષ્ટિ કરી છે.
Eliminated: Yahya Sinwar.
— Israel Defense Forces (@IDF) October 17, 2024
આ પહેલાં ઇઝરાયેલની સ્થાનિક મીડિયા ચેનલ ‘ચેનલ12’ દ્વારા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીના શરીર પર ટેસ્ટ કરવામાં આવ્યો તો પ્રાથમિક તબક્કે યાહ્યા સિનવાર જ હોવાની પુષ્ટિ થઈ છે.
"התאמה מלאה": מסמך המעבדה המשטרתית שמאשר את צילומי השיניים של סינוואר.@amit_segal pic.twitter.com/lmFkgxfOT4
— החדשות – N12 (@N12News) October 17, 2024
નોંધવું જોઈએ કે ઇઝરાયેલી સૈનિકોએ યાહ્યા સિનવારને મારવા માટે ખાસ ઑપરેશન લૉન્ચ ન હતું કર્યું, પરંતુ એક ઇમારતમાં ત્રણ આતંકવાદીઓ સંતાયેલા હોવાના ઇનપુટના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા બાદ જ્યારે તેમના મૃતદેહો મળ્યા ત્યારે તેમાંથી એક સિનવાર હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યારબાદ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં તે માર્યો ગયો હોવાની પુષ્ટિ થઈ.
આ પહેલાં ઇઝરાયેલે હમાસના ભૂતપૂર્વ વડા ઇસ્માઇલ હનીયાહ અને હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહને પણ ઠેકાણે પાડી દીધા હતા.