ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એઈમ્સ હૉસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમની તબિયત હાલ સ્થિર છે.
Vice President Jagdeep Dhankhar was admitted to the cardiac department at AIIMS Delhi in the early morning. He is stable and under observation: AIIMS Hospital Sources
— ANI (@ANI) March 9, 2025
જગદીપ ધનખડને રાત્રે લગભગ 2 કલાકે હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમને એઈમ્સ કાર્ડિયોલોજી વિભાગના પ્રમુખ ડૉ. રાજીવ નારંગની દેખરેખ હેઠળ ક્રિટિકલ કેર યુનિટમાં (CCU) રાખવામાં આવ્યા હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે.
હૉસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ ઉપરાષ્ટ્રપતિની સારવાર ચાલી રહી છે અને તબિયત સ્થિર છે.