આજે એટલે કે 2 એપ્રિલના રોજ વક્ફ સંશોધન બિલ 2024 (Waqf Amendment Bill 2024) લોકસભામાં રજૂ થવાનું છે. આ પહેલાં ઉત્તરાખંડ વક્ફ બોર્ડના અધ્યક્ષ શદાબ શમ્સે (Shadab Shams) એક મોટું નિવેદન આપી દીધું છે. તેમણે આ બિલનું સમર્થન કર્યું હતું અને વિરોધ કરી રહેલ મુસ્લિમોને ‘પોલિટીકલ મુસલમાન’ ગણાવ્યા હતા.
તેઓ આજ તકની એક ટીવી ડિબેટમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન વક્ફ સંશોધન બિલ પરના પ્રશ્નનો જવાબ આપતા તેમણે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “વક્ફ બિલનો વિરોધ કરી રહેલા મુસ્લિમો ‘પોલિટીકલ મુસલમાન’ છે, તેઓ સાચા મુસલમાન નથી નથી. તે કોંગ્રેસી મુસલમાન છે, સપાઈ મુસલમાન છે, તે AAPના મુસલમાન છે, જનતા દળવાળા મુસલમાન છે.”
''जो लोग विरोध कर रहे हैं वह मुसलमान है ही नहीं, ये पॉलिटिकल मुसलमान हैं'': शदाब शम्स, अध्यक्ष, वक्फ बोर्ड, उत्तराखंड
— AajTak (@aajtak) April 1, 2025
''आज शदाब भाई ने तय कर दिया कि जो मोदी के साथ नहीं है, वह मुसलमान नहीं है'':@rajkumarbhatisp
@AnjanaOmKashyap #WaqfBill pic.twitter.com/n5jHiRezj6
તેમણે કહ્યું કે કેટલાક મુસ્લિમ સંગઠનો પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ બિલનો વિરોધ કરી રહ્યા છે, મુસ્લિમ સંગઠનોના કેટલાક લોકો પાછલા દરવાજેથી રાજ્યસભામાં પ્રવેશવા માંગે છે. વિપક્ષ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે દેશમાં આજે સૌથી ડરપોક વિપક્ષ છે.
તેમણે આગળ કહ્યું કે, જો વિપક્ષ મુસ્લિમોની આટલી ચિંતા કરે છે તો તેઓ જેલ ભરો આંદોલન કેમ નથી ચલાવતા? શદાબ શમ્સે કહ્યું કે વિપક્ષી લોકો અને જમિયત ઉલેમા-એ-હિંદ જેવા સંગઠનો મુસ્લિમોને ડરાવવાનું કામ કરી રહ્યા છે.
#WATCH | Delhi: On Waqf Amendment Bill, Uttarakhand Waqf Board Chairman Shadab Shams says, "Poor Muslims have hopes from PM Modi, and that is why we have named this amendment bill as 'Ummeed'. Union Minister Kiren Rijiju is the ray of hope… PM Modi government has decided that… pic.twitter.com/ghOc3FzODB
— ANI (@ANI) April 2, 2025
તેમણે કહ્યું કે પહેલા મુસ્લિમોને CAAથી ડરાવવામાં આવ્યા અને હવે વક્ફના નામે ડરાવવામાં આવી રહ્યા છે. વક્ફ બિલને ટેકો આપતા તેમણે કહ્યું કે જેમણે છેલ્લા 70 વર્ષોમાં વકફ મિલકતો પર કબજો કર્યો છે અને હડપ કરી છે, તેઓને આ કાયદા હેઠળ વક્ફ જમીન છીનવી લેવાની ફરજ પાડવામાં આવશે.
તેમણે કહ્યું કે વક્ફના નામે તેઓ દેશને સળગાવવા માંગે છે, તેઓ સરકાર અને દેશને અસ્થિર કરીને સત્તા કબજે કરવા માંગે છે. નોંધનીય છે કે શદાબ શમ્સ પહેલાં ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદનાશીન કાઉન્સિલના અધ્યક્ષ અને અજમેર દરગાહના આધ્યાત્મિક પ્રમુખના ઉત્તરાધિકારી સૈયદ નસરુદ્દીન ચિશ્તી તથા હજ કમિટીના ચેરમેન કૌસર જહાં પણ આ બિલનું સમર્થન કરી ચૂક્યા છે.