તીર્થરાજ પ્રયાગરાજમાં (Prayagraj) મહાપર્વ મહાકુંભ (Mahakumbh 2025) ચાલી રહ્યો છે. 144 વર્ષે બનેલા આ મહાયોગમાં વિશ્વભરમાંથી કરોડો સનાતની શ્રદ્ધાળુઓ દરરોજ પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. સાધુ-સંતો અને સામાન્ય હિંદુઓ કરોડોની સંખ્યામાં મહાકુંભ મ્હાલી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આપેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ લોકો મહાકુંભમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે.
भारतीयता और मानवता के महोत्सव 'महाकुम्भ-2025, प्रयागराज' में आज 47.72 लाख से अधिक एवं अब तक 10.21 करोड़ से अधिक श्रद्धालुओं ने पवित्र त्रिवेणी में आस्था की डुबकी लगाई है।
— Yogi Adityanath Office (@myogioffice) January 23, 2025
माँ गंगा, माँ यमुना और माँ सरस्वती के पावन संगम में आज पवित्र स्नान का सौभाग्य प्राप्त करने वाले सभी पूज्य… pic.twitter.com/07REy3oymf
ગત 13 જાન્યુઆરી, 2025ના રોજ શરૂ થયેલા આ મહાપર્વમાં અત્યાર સુધી 10 કરોડથી વધુ લોકો ગંગા, જમના અને ગુપ્ત સરસ્વતી નદીના પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી ચૂક્યા છે. આ મામલે સીએમ યોગી આદિત્યનાથના કાર્યાલય પરથી માહિતી આપતી એક X પોસ્ટ પણ કરવામાં આવી છે.
भारत की सांस्कृति, आध्यात्मिक और एतिहासिक विरासत का प्रतीक महाकुम्भ 2025
— Mahakumbh (@MahaKumbh_2025) January 23, 2025
महाकुम्भ में श्रद्धालुओं की आस्था का सागर उमड़ पड़ा है। प्रत्येक श्रद्धालु 144 वर्षों पश्चात आए इस दिव्य क्षण की साक्षी बनने का लिए उत्साहित है। इसी उत्साह के साथ आज पवित्र संगम में 10 करोड़ से अधिक… pic.twitter.com/3IqsprIRem
સત્તાવાર જાણકારી અનુસાર મહાકુંભમાં 10 કરોડનો આંકડો ગુરુવારે (23 જાન્યુઆરી) જ પાર થઈ ગયો હતો. આ આંકડો એક વિશ્વવિક્રમ છે અને વિશ્વમાં વધી રહેલા સનાતનના પ્રભાવને ચિહ્નિત કરે છે. માત્ર ભારતના જ નહીં, વિદેશથી પણ એટલા જ શ્રદ્ધાળુઓ મહાકુંભ આવી રહ્યા છે. રાજ્ય સરકારનું અનુમાન છે કે આ મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો આંકડો 45 કરોડને પાર થઈ જશે. નોંધવું જોઈએ કે આટલી અમુક દેશોની વસ્તી પણ નથી. અમેરિકાની વસ્તી પણ 33 કરોડ આસપાસ છે. તેના કરતાં વધુ લોકો મહાકુંભ આવશે.
સત્તાવાર આંકડાઓ અનુસાર માત્ર ગુરુવારે જ 10 લાખ કલ્પવાસીઓ સહિત 30 લાખ ભક્તોએ પવિત્ર અનુષ્ઠાનોમાં ભાગ લીધો હતો. મહાકુંભના પ્રારંભ એટલે કે મકર સંક્રાંતિના દિવસે જ 3.5 કરોડ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું હતું.13 જાન્યુઆરીએ (પોષ પૂર્ણિમા) આ આંકડો 1.7 કરોડનો હતો. વિશ્વના ખૂણેખૂણેથી શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આવી રહ્યા છે.