ભારતે અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતા આયોગનો (USCIRF) રિપોર્ટ ફગાવી દીધો છે. સાથે એવું પણ કહ્યું છે કે, ‘આ આયોગને પોતે એક ચિંતાનો વિષય ઘોષિત કરવામાં આવવો જોઈએ.’ રિપોર્ટમાં ભારતની ગુપ્તચર એજન્સી રૉ (RAW) પર હત્યાનું કાવતરામાં કથિત ભૂમિકાને લઈને પ્રતિબંધિત કરવાની ભલામણ કરવામાં આવી હતી.
વિદેશ મંત્રાલયે સખત શબ્દોમાં નિવેદન જારી કરીને કહ્યું છે કે, લોકતંત્ર અને સહિષ્ણુના પ્રતિક તરીકે ભારતની છબીને નબળી પાડવાના પ્રયાસો સફળ નહીં થવા દઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, USCIRFના નવો રિપોર્ટ ‘પક્ષપાતી અને રાજકારણથી પ્રેરિત આકલન’ જારી કરવાના પોતાના પેટર્નને રજૂ કરનારો છે.
Our response to media queries regarding the 2025 Annual Report of United States Commission on International Religious Freedom⬇️
— Randhir Jaiswal (@MEAIndia) March 26, 2025
🔗 https://t.co/c5tAF1INZ3 pic.twitter.com/PvpwbZHv5u
વિદેશ મંત્રાલયના રિપોર્ટમાં કહેવાયું છે કે, USCIRF દ્વારા અલગ-અલગ ઘટનાઓને ખોટી રીતે પ્રસૂત કરવા અને ભારતની વાઇબ્રેન્ટ મલ્ટીકલ્ચરલ સોસાયટી પર શંકા વ્યક્ત કરવાના સતત પ્રયાસ ધાર્મિક સ્વતંત્રતા માટે વાસ્તવિક ચિંતાની જગ્યાએ એક જાણીજોઇને કરવામાં આવેલા એજન્ડાને દર્શાવે છે. વધુમાં કહેવાયું કે, ખરેખર તો USCIRFને જ ‘ચિંતાનો વિષય’ ગણવામાં આવવું જોઈએ.