Thursday, March 13, 2025
More

    કુશીનગરની મદની મસ્જિદ પર ચાલ્યું બુલડોઝર, સરકારી જમીન પર થયું હતું બાંધકામ: હાઇકોર્ટે સ્ટે હટાવ્યો અને જમીન કરી દેવાઈ સમતલ

    ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ગેરકાયદેસર રીતે બનેલી મદની મસ્જિદને વહીવટીતંત્રે બુલડોઝર દ્વારા કરીને તોડી પાડી છે. આ મસ્જિદ નકશા મંજૂર કર્યા વિના બનાવવામાં આવી હતી. એટલું જ નહીં, તેનો કેટલોક ભાગ પોલીસ સ્ટેશન અને નગરપાલિકાની જમીન પર કબજો કરીને બનાવવામાં આવ્યો હતો. ફરિયાદ બાદ, 18 ડિસેમ્બર 2024ના રોજ તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, મસ્જિદ સમિતિએ ત્રણ નોટિસનો જવાબ આપ્યો ન હતો.

    વહીવટીતંત્રે નકશો સબમિટ ન કરવા બદલ મસ્જિદ સામે કાર્યવાહીની નોટિસ જારી કરી હતી. આ પછી મુસ્લિમ પક્ષ હાઇકોર્ટ ગયો હતો. હાઇકોર્ટે 8 ફેબ્રુઆરી સુધી મસ્જિદ પર કોઈપણ કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. સ્ટેનો સમયગાળો પૂરો થયાના બીજા જ દિવસે વહીવટીતંત્ર ભારે પોલીસ દળ અને લગભગ અડધો ડઝન બુલડોઝર સાથે પહોંચ્યું હતું અને હાટા નગરમાં આવેલી મદની મસ્જિદને જમીનદોસ્ત કરી દીધી હતી.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મસ્જિદનું બાંધકામ વર્ષ 1999માં શરૂ થયું હતું . જ્યારે તેનું બાંધકામ શરૂ થયું, ત્યારે ફક્ત બે માળનો પ્લાન મંજૂર કરવામાં આવ્યો હતો. બાદમાં, નિયમો અને કાયદાઓને અવગણીને મસ્જિદમાં ચાર માળ અને ગ્રાઉન્ડ ફ્લોર બનાવવામાં આવ્યા હત. આ પછી, જ્યારે લોકોએ આ અંગે સીએમ યોગીને ફરિયાદ કરી, ત્યારે તેમણે વહીવટીતંત્રને તેના પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો.

    વહીવટીતંત્રનું કહેવું છે કે, મસ્જિદના નામે કોઈ જમીન નથી. મુસ્લિમ પક્ષના નામે ફક્ત 15 વિઘા જમીન છે . બાકીની 23 એકર મ્યુનિસિપલ જમીન પર કબજો કરીને આ મસ્જિદને વધુ મોટી બનાવવામાં આવી રહી હતી. નગરપાલિકાએ આ અંગે વારંવાર ચેતવણી આપી હતી, પરંતુ મુસ્લિમ પક્ષે તેની અવગણના કરી હતી.