આજે 14 એપ્રિલના રોજ ભારતભરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની
(ambedkar jayanti) ઉજવણી થઈ રહી છે. ત્યારે આ દિવસ નિમિત્તે દેશના વરિષ્ઠ નેતાઓ પણ તેમની જન્મજયંતિ નિમિત્તે નમન કરી રહ્યા છે. દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મૂર્મુએ (Droupadi Murmu) પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
તેમણે લખ્યું હતું કે, “ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ રામજી આંબેડકરની જન્મજયંતિ પર હું તમામ દેશવાસીઓને હૃદયપૂર્વક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.”
भारतीय संविधान के शिल्पकार, बाबासाहब भीमराव रामजी आंबेडकर के जन्म दिवस पर मैं सभी देशवासियों को हार्दिक बधाई और शुभकामनाएं देती हूं। pic.twitter.com/175sSMV89o
— President of India (@rashtrapatibhvn) April 14, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ X પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “ભારત રત્ન પૂજ્ય બાબાસાહેબને તેમની જન્મજયંતિ પર તમામ દેશવાસીઓ વતી કરોડો વંદન. તેમની પ્રેરણાને કારણે જ આજે દેશ સામાજિક ન્યાયના સ્વપ્નને સાકાર કરવામાં સમર્પિત ભાવે કાર્ય કરી રહ્યો છે. તેમના સિદ્ધાંતો અને આદર્શો આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણને શક્તિ અને ગતિ આપનારા છે.”
सभी देशवासियों की ओर से भारत रत्न पूज्य बाबासाहेब को उनकी जयंती पर कोटि-कोटि नमन। यह उन्हीं की प्रेरणा है कि देश आज सामाजिक न्याय के सपने को साकार करने में समर्पित भाव से जुटा हुआ है। उनके सिद्धांत एवं आदर्श आत्मनिर्भर और विकसित भारत के निर्माण को मजबूती और गति देने वाले हैं। pic.twitter.com/Qhshv4uK7M
— Narendra Modi (@narendramodi) April 14, 2025
દેશના ગૃહમંત્રી અમિત શાહે (HM Amit Shah) પણ બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પોસ્ટ કરતા લખ્યું હતું કે, “શિક્ષણ, સમાનતા અને ન્યાયના બળ પર સામાજિક ક્રાંતિનો પાયો નાખનારા બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જીવનભર વંચિતોના અધિકારો માટે પ્રતિબદ્ધ રહ્યા. સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના સિદ્ધાંતો પર આધારિત બંધારણનો મુસદ્દો ઘડીને, તેમણે ભારતના મહાન લોકશાહી વારસાને મજબૂત પાયો પૂરો પાડ્યો.”
शिक्षा, समानता और न्याय के बल पर सामाजिक क्रांति की नींव रखने वाले बाबासाहेब भीमराव अंबेडकर जी आजीवन वंचितों के अधिकारों के लिए कटिबद्ध रहे। समता, स्वतंत्रता और बंधुत्व पर आधारित संविधान की रचना कर उन्होंने भारत की महान लोकतांत्रिक विरासत को सुदृढ़ आधार प्रदान किया। न्यायपूर्ण और… pic.twitter.com/jRiFdatUEr
— Amit Shah (@AmitShah) April 14, 2025
તેમણે આગળ લખ્યું હતું કે, “ન્યાયી અને સમાનતાવાદી સમાજના નિર્માણ માટેના બાબાસાહેબના વિચારો આજે પણ આપણા બધાને પ્રેરણા આપે છે. બંધારણના મહાન ઘડવૈયા અને લાખો દેશવાસીઓ માટે સ્વાભિમાનના પ્રતીક બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને તેમની જન્મજયંતિ પર હું હૃદયપૂર્વક કોટિ-કોટિ નમન કરું છું.”
सर्वसमावेशी, सर्वहितग्राही, उत्कृष्ट लोकतांत्रिक मूल्यों से दीप्त, एक भारत-श्रेष्ठ भारत की भावना को समृद्ध करते भारतीय संविधान के शिल्पकार, बाबा साहब डॉ. भीमराव आंबेडकर जी की जयंती पर उन्हें कोटि-कोटि नमन!
— Yogi Adityanath (@myogiadityanath) April 14, 2025
वे सच्चे अर्थों में 'भारत रत्न' एवं लोकतंत्र की जीवंत पाठशाला थे।… pic.twitter.com/FLBMyfuEDl
ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) પોસ્ટ કરતા લખ્યું હતું કે, “સર્વસમાવેશક, સર્વહિતગ્રાહી, ઉત્કૃષ્ટ લોકશાહી મૂલ્યોથી રંગાયેલા અને એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવનાને સમૃદ્ધ બનાવનારા ભારતીય બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને તેમની જન્મજયંતિ પર કોટિ-કોટિ નમન!”
सशक्त लोकतंत्र के निर्माण हेतु भारतीय संविधान की रचना करने वाले, देश में समान अधिकार और सामाजिक न्याय हेतु अजीवन समर्पित रहे ‘भारत रत्न’ बाबा साहेब डॉ० भीमराव रामजी अंबेडकर जी की जयंती पर उन्हें कोटिशः नमन। pic.twitter.com/i9rAxtas0k
— Vishva Hindu Parishad -VHP (@VHPDigital) April 14, 2025
આ ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદે (VHP) પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી. VHPએ લખ્યું હતું કે, “સશક્ત લોકશાહીના નિર્માણ માટે ભારતીય બંધારણનું નિર્માણ કરનારા અને દેશમાં સમાન અધિકારો અને સામાજિક ન્યાય માટે પોતાનું જીવન સમર્પિત કરનાર ‘ભારત રત્ન’ બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરને તેમની જન્મજયંતિ પર કોટિશ: નમન.”