જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોએ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ ત્રણેય આતંકવાદી સમૂહ જૈશ-એ-મોહમ્મદના હતા. જેમની ઓળખ સૈફુલ્લાહ, ફરમાન અને બાશા તરીકે થઈ છે.
આ ત્રણેય આતંકીઓના માથે એજન્સીઓએ પાંચ લાખ રૂપિયાનું ઇનામ ઘોષિત કરી રાખ્યું હતું.
#WATCH | Jammu & Kashmir | Security enhanced in Kishtwar area where, as per White Knight Corps of the Indian Army, two more (a total of 3) Pakistani terrorists have been eliminated. A large quantity of war-like stores, including one AK and one M4 rifle, have been recovered.… pic.twitter.com/uWEDOmt4YO
— ANI (@ANI) April 12, 2025
આતંકવાદીઓની ગતિવિધિઓ વિશે જાણ થતાં સુરક્ષાબળોએ શુક્રવારે કિશ્તવાડ જિલ્લાના છતરુના નૈડગામનાં જંગલોમાં ઑપરેશન શરૂ કર્યું હતું. થોડા જ કલાકોમાં એક આતંકવાદીઓને ઠાર કર્યા બાદ સાંજે બીજા બેને પણ મારી નાખવામાં આવ્યા.
આ આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો, વિસ્ફોટકો મળી આવ્યાં હતાં. હજુ પણ સેના હેલિકૉપ્ટર મારફતે સર્ચ ઑપરેશન ચલાવી રહી છે.