Wednesday, May 14, 2025
More

    ‘આતંકીઓ પાસે ધર્મ પૂછવાનો ના હોય સમય’: કર્ણાટકના મંત્રી બાદ હવે મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતાએ આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું- આતંકવાદનો ના હોય કોઈ ધર્મ

    કર્ણાટકના કોંગ્રેસી મંત્રી બાદ હવે મહારાષ્ટ્રના (Maharashtra) કોંગ્રેસ નેતા (Congress Leader) અને ધારાસભ્ય વિજય વડેટ્ટીવારે પહલગામ આતંકી હુમલા (Pahalgam Terror Attack) પર વિવાદિત નિવેદન આપ્યું છે. હિંદુઓને ધર્મ પૂછીને મોતને ઘાટ ઉતારવાની આ ઘટના પર તેમણે કહ્યું છે કે, આ વાત તદ્દન ખોટી છે. તેમણે કહ્યું કે, “શું આતંકીઓ પાસે એટલો સમય હતો કે, તેઓ દરેક પાસે જઈને તેમનો ધર્મ પૂછે”

    વધુમાં કોંગ્રેસ સમર્થકોએ આ નિવેદનનું સમર્થન પણ કર્યું છે. બીજી તરફ લોકોમાં આ નિવેદનને લઈને ભારે રોષ વ્યાપ્યો છે અને ટીકાઓ પણ થઈ રહી છે. તેમણે વધુમાં ખોટો દાવો કરતા એવું પણ કહ્યું છે કે, ઘણા સાક્ષીઓએ એવું કહ્યું છે કે, આવું કઈ બન્યું નથી. તેમણે ઇકોસિસ્ટમનો નેરેટિવ ચલાવતા કહ્યું કે, આતંકવાદીઓની કોઈ જાતિ કે ધર્મ નથી હોતો.

    આ પહેલાં પહલગામ આતંકવાદી હુમલા પર ટિપ્પણી કરતી વખતે કર્ણાટકના એક્સાઈઝ મંત્રી આરબી તિમ્માપુરે વિવાદિત વાત કહી દીધી હતી. તેમણે આતંકવાદીઓનો બચાવ કરતાં કહ્યું કે, તેમણે પર્યટકોને નામ પૂછીને નહીં માર્યા હોય અને જે મહિલાએ આવું કહ્યું તેમની માનસિક સ્થિતિ ત્યારે ઠીક નહીં હોય.

    કોંગ્રેસ નેતાએ કહ્યું, “મને અંગતપણે નથી લાગતું કે આતંકવાદીઓએ પર્યટકોનાં નામ અને ધર્મ પૂછ્યાં હોય. આ માત્ર ઇન્ટેલિજન્સ ફેલ્યોર પર ધર્મનો રંગ ચડાવવાનો પ્રયાસમાત્ર છે. કારગિલ, પુલવામા અને હવે પહલગામ..એ કેન્દ્રના ઇન્ટેલિજન્સ ફેલ્યોરનાં ઉદાહરણ છે.”