જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) ફરીથી બિન-કાશ્મીરીઓ પર આતંકી હુમલો (Terrorist Attack) થયો છે. આ વખતે હુમલો બડગામના (Budgam) મઝામા (Majhama) ગામમાં સહારનપુરના બે લોકો પર થયો હતો. મૃતકોની ઓળખ સુફીયાન અને ઉસ્માન તરીકે થઈ છે. આ બંને મજૂરો જલ જીવન પ્રોજેક્ટમાં કામ કરતા હતા.
ઘટનાની જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દરમિયાન, બંને ઘાયલોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. તેની સારવાર ચાલુ છે.
🚨 Terrorist attack and shot two non-Kashmiri youths in #Majhama village of #Budgam, both are residents of UP and are the employees of Jal Jeevan Project
— Political Quest (@PoliticalQuestX) November 1, 2024
The injured have been identified as Sufiyan and Usman.#TerroristAttack #Kashmir #JammuAndKashmir pic.twitter.com/tRn7X74sU3
છેલ્લા 12 દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરી લોકો પર આ બીજો હુમલો છે. આ પહેલા 20 ઓક્ટોબરે આતંકવાદીઓએ ગાંદરબલ જિલ્લામાં સાત લોકોની હત્યા કરી હતી જેમાં એક ડોક્ટર પણ સામેલ હતો.