પહલગામના ઇસ્લામી આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ શરૂ કરેલા ઑપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના બહાવલપુર સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મુખ્ય અડ્ડાને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. આ હુમલામાં જૈશના ચીફ આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 10 લોકો અને ચાર હેન્ડલરો એમ 14 લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યા બાદ હવે તાજી જાણકારી એ મળી છે કે તેમાં મસૂદનો ભાઈ અને કંધાર હાઇજેકનો માસ્ટરમાઈન્ડ રઉફ અઝહર પણ માર્યો ગયો છે.
#BREAKING: Jaish e Muhammad Chief Rauf Asghar killed in Bhawalpur, Pakistan. Top Intelligence and Indian Army sources confirm to me. Rauf Asgar was the brother of Masood Azhar. He was one of rhe 14 family members of Masood Azhar killed in airstrikes.
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 8, 2025
Rauf was responsible for… pic.twitter.com/LXI6JosGh7
ઇન્ટેલિજન્સ અને સેનાનાં સૂત્રોના હવાલેથી આ જાણકારી આપવામાં આવી રહી છે. મસૂદ અઝહરના પરિવાર અને નજીકના 14 લોકો માર્યા ગયા તેમાંથી એક રઉફ પણ હતો.
રઉફ IC–814 હાઇકેજિંગમાં સામેલ હતો. ઉપરાંત, પઠાણકોટ આતંકવાદી હુમલામાં અને સંસદ ભવન પર થયેલા હુમલામાં પણ તેનો મોટો હાથ હતો.
તેને ઠાર કરીને ભારતીય સેનાએ બદલો લીધો છે. બહાવલપુરમાં યોજાયેલા આતંકવાદીના જનાજામાં પાકિસ્તાની સેના અને ISIના અધિકારીઓ પણ ગયા હતા, જેના વિડીયો સામે આવ્યા છે. જે પાકિસ્તાની સેના અને આતંકવાદીઓ બંને વચ્ચે સાંઠગાંઠ હોવાની વાતની પણ પુષ્ટિ કરે છે.